SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 217 ) શ્રાદ્ધદિનકૃત્ય (217) અગિયારમું શ્રવણ દ્વાર પ્રમાણે જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ થાય. (૧૪૨) जिणपवयणवुड्विकरं, पभावगं नाणदसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥१४३॥ જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે તે અલ્પસંસારી થાય. અલ્પસંસારી થાય એનો અર્થ એ છે કે નજીકમાં જ મુક્તિમાં જવાના કારણે સંસારમાં અલ્પકાળ જ રહેનારો થાય.(૧૪૩) जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाण । वटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१४४॥ જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શનગુણની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર તીર્થંકરપદને પામે છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને અરિહંતની અને પ્રવચનની અતિશય ભક્તિ કરવાના કારણે તીર્થકરપદનો લાભ સુપ્રસિદ્ધ જ છે. (૧૪૪) एवं नाऊण जे दव्वं, वुद्धिं निति सुसावया । जरामरणरोगाणं, अंतं काहिंति ते पुणो ॥१४५॥ દેવદ્રવ્યના વર્ણનનો ઉપસંહાર કરવાની ઈચ્છાવાળા સૂત્રકાર કહે છે આ પ્રમાણે દેવદ્રવ્યની વૃદ્ધિથી જિનશાસનની ઉન્નતિ વગેરે જાણીને જે સુશ્રાવકો દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તે શ્રાવકો જરા-મરણ-રોગોનો અંત કરશે, અર્થાત્ ભોક્ષપદને પામશે. (૧૪૫) अह धम्मदेसणत्थं, तत्थ सूरी न आगओ। . पुव्वुत्तेण विहाणेणं, वसहीए गच्छए तओ ॥१४६॥ શ્રવણદ્વારમાં જ વિશેષ વિધિને કહે છે– હવે જો કોઈ કારણથી જિનમંદિરમાં આચાર્ય ભગવંતન પધાર્યા હોય તો પૂર્વોક્ત વિધિથી સાધુના ઉપાશ્રય જાય. પૂર્વોક્ત વિધિથી ઋદ્ધિમાન શ્રાવક અથ-હાથી વગેરે રીતે આડંબરથી જાય, અને સામાન્ય શ્રાવક સામાયિક સ્વીકારવાની વિધિથી જાય. (૧૪૬) जइविन आहाकम्मं, भत्तिकयं तहवि वजयंतेहिं । મરી નુ હોય, નિપા નો વિડિંતો ૨૪૭ | સાધુઓ જિનમંદિરમાં જ કેમ નથી રહેતાએવી શંકાને વ્યવહાર ભાષ્યની ગાથાઓથી દૂર કરતા * વ્યવહાર સૂત્રના નવમા ઉદ્દેશામાં આ ગાથાઓના અનુક્રમે ૭૦-૭૧-૭૨-૭૩ નંબર છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy