SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું શ્રવણ દ્વાર 216 संकासो विव भित्तूणं, कम्मगंठिं सुनिव्वुडो । जाहिही सो उ निव्वाणं, महासत्तो न संसओ ॥ १३९ ॥ દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર મહાસત્ત્વશાલી તે શ્રાવક સંકાશની જેમ કર્મગ્રંથિને ભેદીને અને સંયમમાં લીન બનવાના કારણે અહીં જ મુક્તિસુખનો આસ્વાદ ચાખીને નિશ્ચે મોક્ષમાં જશે, આમાં જરાય સંશય નથી. શ્રાદ્ધદિનકૃત્ય પ્રશ્ન:- પૂર્વે ૧૩૭મી ગાથામાં ‘‘જે શ્રાવકો’’ એમ બહુવચનનો પ્રયોગ કર્યો અને આ ગાથામાં ‘“તે શ્રાવક’’ એમ એકવચનનો પ્રયોગ કેમ કર્યો ? ઉત્તર ઃ- આવો મહાસત્ત્વશાલી કોઈક જ હોય છે એ જણાવવા માટે આ ગાથામાં ‘તે શ્રાવક’ એમ એકવચનનો પ્રયોગ કર્યો છે. (૧૩૯) नो माया न पिया भज्जा, न सरीरं न बंधवा । पिच्छए तत्थ ठाणंमि, जत्थ अत्थं तु पिच्छए ॥१४०॥ अलुद्धो जो उ दव्वंमि, जिणदव्वं नेय वित्थरं । एएणं सो महासत्तो, वुच्चए जिणसासणे ॥ १४१ ॥ મહાસત્ત્વપણાને જ કહે છે– પ્રાય: દરેક જીવ સદા ય અનાદિથી કષ્ટથી જીતી શકાય તેવા લોભરૂપ ગ્રહથી દબાયેલો હોવાથી તે ધનને જ પરમ ધ્યેય બુદ્ધિથી જુએ છે અને એથી જે સ્થાનમાં ધનનું રક્ષણ અને વૃદ્ધિ થઇ શકે તે સ્થાનમાં માતા, પિતા, પત્ની, શરીર અને બંધુઓને જોતો નથી. દરેક જીવ ધન માટે ઘણા ય ક્લેશોને સહન કરે છે. જેમકે – ધનથી (=ધન લોભથી) જેમની બુદ્ધિ વિવેક રહિત બની ગઈ છે તેવા મનુષ્યો દુ:ખથી ફરી શકાય તેવી અટવીમાં ભમે છે, ભયવાળા દેશાંતરમાં જાય છે, ગહન સમુદ્રમાં પ્રવેશ કરે છે, ઘણા ક્લેશવાળી ખેતીને કરે છે, ગજસમૂહની રચના કરી હોવાથી જેની પાસે દુ:ખથી જઈ શકાય તેવા કૃપણ સ્વામીની સેવા કરે છે, ધનવાનોની તરફ દોડે છે. આ બધી ધનલોભની રમત છે. (ધનલોભ આવો હોવાથી) જે પુરુષની અંત:કરણની વૃત્તિ સંતોષરૂપ સુધાસારના સમૂહથી સિંચાયેલી છે અને એથી તેવા પણ ધનમાં સર્વથા આસક્તિ રહિત બનીને દેવદ્રવ્યનો વધારો કરે છે, તે ખરેખર જૈન શાસનમાં એ કારણે મહાસત્ત્વશાળી કહેવાય છે. (૧૪૦-૧૪૧) जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदंसणगुणाणं । भक्तो जिणदव्वं, अनंतसंसारिओ होइ ॥ १४२॥ દેવદ્રવ્યનું ભક્ષણ-રક્ષણ અને વૃદ્ધિ કરવાના ફળને ક્રમરાઃ ત્રણ ગાથાઓથી કહે છે– જિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન–દર્શન ગુણોની વૃદ્ધિ કરનાર એવા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે તે અનંત સંસારી થાય. જો દેવદ્રવ્ય હોય તો દરરોજ જિનમંદિરમાં પૂજા અને સત્કાર થાય, તથા (જિનમંદિર વગેરે હોય તો) સાધુઓનું આગમન થાય, તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે થાય, આ રીતે જિનશાસનની ઉન્નતિ થાય, અને એ
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy