________________
અગિયારમું શ્રવણ દ્વાર
214
શ્રાદ્ધદિનકૃત્ય
चेइयदव्वं उ विभज्ज, करिज्ज कोई नरो सयट्ठाए । समणं वा सोवहियं, विक्किज्जा संजयट्ठाए ॥१२९॥ एयारिसंमि दव्वे, समणाणं किं न कप्पए घित्तुं । चेइयदव्वेण कयं, मुल्लेण व जं सुविहियाणं ॥ १३० ॥
દેવદ્રવ્ય વિનાશના દોષને અને પ્રસંગથી ગુરુદ્રવ્ય વિનાશના દોષને વ્યવહાર ભાષ્ય સૂત્રની ગાથાઓથી બતાવે છે–
પ્રશ્ન :- ચોરો ભેગા થઈને દેવદ્રવ્યને ચોરે, ચોરેલા દેવદ્રવ્યના વિભાગ કરીને કોઈ (ચોર) મનુષ્ય એ દેવદ્રવ્યમાંથી પોતાના માટે મોદક વગેરે આહાર બનાવે, હવે તે આહાર સાધુઓને આપે તો, તે આહાર સાધુને ગ્રહણ કરવું શું ન કલ્પે ? અથવા કોઈ મનુષ્ય સાધુ માટે (=સાધુને વસ્ત્રાદિ આપવા માટે) ઉપધિસહિત સાધુને વેચે, તે વેચાણથી આવેલા ધનથી ખરીદેલ પ્રાસુકવસ્ત્ર વગેરે સાધુઓને આપે તો, તે વસ્ત્ર વગેરે સાધુઓને ગ્રહણ કરવું શું ન પે ?
ઉત્તર ઃ- ન ૫ે. જે દેવદ્રવ્યથી અને સાધુના વેચાણના ધનથી જે પોતાના માટે કરેલું હોય, તે આપવામાં આવે તો કલ્પે નહિ. (૧૨૯–૧૩૦)
तेणपडिच्छा लोए, वि गरहिया उत्तरे किमंग पुणो । चेइयजइपडिणीया, जो गिण्हइ सो वि हु तहेव ॥ १३१ ॥
કેમ ન કલ્પે ? એમ પૂછવામાં આવે, જવાબ કહે છે—
ચોરે ચોરી કરીને લાવેલું ગ્રહણ કરવું એ લોકમાં પણ નિંદનીય ગણાય છે, તો પછી, લોકોત્તરમાર્ગમાં તે નિંદનીય ગણાય તેમાં તો પૂછવું જ શું ? લોકોત્તર માર્ગમાં તે વધારે નિંદનીય ગણાય.
તેથી દેવ અને મુનિના શત્રુના હાથમાંથી જે લે છે, તે પણ નિશ્ચે તેવો જ છે = દેવ-મુનિનો શત્રુ જ છે.
(૧૩૧)
चेइयदव्वं गिण्हित्तु, भुंजए जो उ देइ साहूणं ।
सो आणा अणवत्थं, पावइ लिंतो वि दिंतो वि ॥१३२॥
આ જ અર્થનું સમર્થન કરતા સૂત્રકાર કહે છે–
દેવદ્રવ્ય અને પૂર્વોક્ત પ્રકારનું ગુરુદ્રવ્ય જે સાધુ લઈને સ્વયં તેનો ઉપયોગ કરે છે, અને બીજા સાધુઓને આપે છે, તેને લેનાર સાધુ અને આપનાર સાધુ પણ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના દોષને પામે છે.
આજ્ઞાભંગ- પ્રવચનમાં જેનો નિષેધ કર્યો છે તે આચરે છે માટે આજ્ઞાભંગ દોષ લાગે. અનવસ્થા- તેને આચરતો જોઇને બીજાઓ પણ તેવી કુપ્રવૃત્તિ કરે, તેથી અનવસ્થા દોષ થાય. મિથ્યાત્વ- જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે તે પ્રમાણે ન કરવાથી મિથ્યાત્વ (=અસત્યપણું) થાય.