SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય સવાલ અનેક જવાબ એક - દષ્ટાંત ૧ એક ભીલ ત્રણ સ્ત્રીઓ સાથે ગામાંતર જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ ભીલને કહ્યું : ‘“કાંઇક ગાઓને, ઝટ માર્ગ કપાય.’’ બીજીએ કહ્યું : ‘‘થોડું પાણી લાવી આપોને, ગળું સુકાય છે.’’ ત્રીજી બોલી : ‘‘ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું શોધોને. મંગલાચરણ 4 આ ત્રણે નારીને ભીલે એક જ ઉત્તર આપતાં કહ્યું : ‘“સરો નત્થિ.’’ એટલે પહેલી સમજી કે સરો અર્થાત્ સ્વર નથી, શી રીતે ગાઉં ? બીજી સમજી કે, સરો એટલે સરોવર નથી, પાણી ક્યાંથી લાવું ? અને ત્રીજી સમજી કે સરો (શર) એટલે બાણ નથી, શી રીતે શિકાર કરું અને તને ખાવાનું આપું ? આમ સામાન્ય માણસે એક શબ્દમાં ત્રણે નારીઓને સમજાવી. પ્રભુજીની વાણી તો નિરુપમ અને અદ્ભુત છે. તો પછી એક જ શબ્દમાં અનેકને કેમ સમજાવી ન શકે ? એક જ શબ્દના અનેક અર્થો થતા હોય છે. સવાલ અનેક જવાબ એક - દષ્ટાંત ર સંગધર નામે એક ગામ હતું. ત્યાં બુઢણ નામે એક આહીર રહેતો. તે સુખી અને સમૃદ્ધ હતો. તેને સોળ પત્ની હતી. પ્રથમ પત્નીનું નામ પુષ્પવતી હતું. એક સમયની વાત છે. બુઢણ જંગલમાં ગાયો ચરાવી રહ્યો હતો. બપોર થતાં તે ભોજન કરવા માટે બેઠો. પુષ્પવતી પણ તેની સાથે ભોજન કરવા બેઠી. એ પ્રસંગે બીજી પત્નીઓ પણ ત્યાં આવી. એ દરેકે વારાફરતી પુષ્પવતીને પૂછ્યું. પહેલીએ પૂછ્યું : ‘‘આજે આટલી બધી ખીચડી કેમ રાંધી છે ?’’ બીજી બોલી : ‘‘આજે છાશ ખાટી કેમ છે ?’’ ત્રીજીએ પૂછ્યું : ‘‘પેલી દાઢી-મૂછવાળી સ્ત્રી ઘરે છે ?’’ ચોથી બોલી : ‘‘આજે તમને સારું છે ને ?’’ પાંચમીએ પૂછ્યું : ‘‘આજે કંકોડાનું શાક આખું કેમ રાંધ્યું છે ?’’ છઠ્ઠી બોલી : ‘‘આ કૂતરી કેમ ઘૂરકે છે ?’’ સાતમી બોલી: ‘‘પેલી ભેંસ ગાભણી થઈ ?’’ આઠમીએ પૂછ્યું: “આ આગળ દેખાતી સ્ત્રી થાકી ગઈ છે કે ?'' નવમી બોલી : ‘‘આજે સદાવ્રતમાં ભોજન આપે છે ?’’ દસમીએ પૂછ્યું : ‘‘આજે આ જળપ્રવાહમાં પાણી કેમ વધુ વહે છે ?’’ અગીયારમી બોલી : ‘“તમારો ચોટલો તમે વાળ્યો ?’’ બારમીએ પૂછ્યું : ‘‘કાનમાં કુંડળ પહેર્યાં છે કે નહિ ?’’ તેરમી બોલી : ‘‘આ જંગલમાં કેમ ભય નથી લાગતો ?’' ચૌદમીએ પૂછ્યું : ‘“આ ફળ લેશો ?’’ પંદરમી બોલી: ‘‘આ બકરીઓ ગણી છે કે નહિ ?'' આ દરેકે પુષ્પવતીને અલગ અલગ પ્રશ્ન પૂછ્યો હતો છતાંય તે દરેકને તેણે એક જ જવાબ આપ્યો કે ‘‘પાલી નથી.’’ આ જવાબથી દરેકને પોતાના પ્રશ્નનો સંતોષકારક જવાબ મળી રહ્યો. પહેલીને કહ્યું : ધાન્ય માપવાની પાલી હાથવગે ન મળતાં મારાથી ખીચડી વધારે રંધાઈ ગઈ. બીજીને કહ્યું : છાશ કરવાની આજે પાલી ન હતી (પાલી એટલે વારો) આથી ગઈકાલની છાશ હોવાથી તે ખાટી છે. ત્રીજીને કહ્યું : ‘‘આજે હજામતની પાલી નથી તેથી તે સ્ત્રી ઘેર જ છે. ચોથીને કહ્યું : એકાંતરો તાવ આવે છે. આથી તાવની આજે પાલી ન હોવાથી સારું છે. પાંચમીને કહ્યું : શાક સુધારવાની પાલી (છરી) નથી આથી આખા કંકોડાનું શાક કર્યું છે. છઠ્ઠીને કહ્યું : કૂતરીને કોઈએ પાલી (પાળી) નથી તેથી તે ઘૂરકે છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy