SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું શ્રવણ દ્વાર ( 186) શ્રાદ્ધદિનકૃત્ય તેણે વિનંતિ કરી કે-“હે ભગવન્! મોક્ષના કારણભૂત ધર્મતત્ત્વ મને કહો.” આ પ્રમાણે તેની જિજ્ઞાસા જાણીને પ્રભવસ્વામી બોલ્યા કે –“હે ભદ્ર! અહિંસા એ જ સર્વોત્તમ ધર્મ છે અને આગામી કાળે સુખકારી હોવાથી સદા ચિંતનીય છે. વળી જેમ પોતાના આત્માને સુખ પ્રિય છે તેમ ઈતર આત્માને પણ સુખ જ પ્રિય હોય છે. પ્રિય, પરિમિત, સત્ય તથા બીજાને બાધાનકરે તેવું વચન બોલવું. જેનાથી પરને બાધા થાય એવું સત્ય પણ નબોલવું. અદત્તવસ્તુ કદી લેવી નહિ, નિરંતર સંતોષધારી થવું, સંતોષી માણસ આલોકમાં પણ મોક્ષસુખનો ભાગીદાર થાય છે. મૈથુનનો સર્વથા ત્યાગ કરતાં સુજ્ઞજન અત્યંત તેજસ્વી અને બળવાન થાય છે. ખરેખર મૈથુન એ સંસારરૂપ વિષવૃક્ષની ઈચ્છા સમાન છે. અપુનર્ભવ (મોક્ષ)ને ઈચ્છતા સુજ્ઞજને સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને પોતાના શરીરમાં પણ નિ:સ્પૃહ થઈ આત્મસ્વરૂપમાં રમણતા કરવી યોગ્ય છે. આ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ પાંચ વ્રતોનું આરાધન કરી સંસારથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવો.” આ પ્રમાણે તત્ત્વ જાણીને શય્યભવ તત્કાળ સંસારથી ઉદ્વિગ્ન થઈ ગયો અને પ્રભવસ્વામીના ચરણોને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યો કે-“હે ભગવન્! કુગુરુના વચનથી મેં ચિરકાળ પર્યત અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ રાખી; કારણકે પિત્ત રોગથી ઉન્મત્ત થયેલો માણસ માટીના પિંડને પણ સુવર્ણ જ સમજે છે. માટે આજે તત્ત્વને સમજનાર એવા મને આપ દીક્ષા આપો, કારણ કે સંસારરૂપ કૂપમાં ડૂબતા પ્રાણીને તે હાથના આલંબન સમાન છે.” પછી પ્રભવસ્વામીએ સંસારરૂપ શત્રુથી ભયભીત થયેલા તે શય્યભવ મહાબ્રાહ્મણને પ્રવ્રજ્યા આપી. પછીતપસ્યા કરતા તે મહાશય પરિષહોથી લેશમાત્ર પણ ભય ન પામ્યા, પણ કર્મખપાવવાનો આ સારો અવસર છે એમ વિચારીને સંયમમાં વધારે ઉત્સાહી થયા. સૂર્યની જેમ તેજથી અતિ દેદીપ્યમાન થયેલા તે મહાત્મા એક ઉપવાસ, અને અઠમ વિગેરે દુષ્કર તપ આચરવા લાગ્યા. ગુરુચરણની સેવા કરતા તેમના પ્રસાદથી મહાપ્રાશ એવા તે અનુક્રમે ચૌદપૂર્વધારી થયા. પછી શ્રુતજ્ઞાનથી તેમને પોતાના રૂપાંતર તુલ્ય સમજી પોતાના પદે સ્થાપીને પ્રભવસ્વામી પરલોકસાધનામાં તત્પર થયા. હવે શય્યભવે જ્યારે દીક્ષા લીધી, ત્યારે તેની ભાર્યાને યૌવનવતી જોઈને બધા લોકો શોક કરતા આ પ્રમાણે કહેવા લાગ્યાકે–‘અહો! આશયંભવ ભટ્ટનિષ્ફર કરતાં પણ નિષ્ફર છે, કે જેણે પોતાની યૌવનવતી અને સુશીલ સ્ત્રીને પણ તજી દીધી. સ્ત્રીઓ પતિ વિના માત્ર પુત્રની આશાએ જ જીવી શકે છે, પણ એને તો પુત્ર પણ નથી, તો એ બિચારીનું શું થશે?”આમ દયાની લાગણીથી લોકો તેને પૂછવા લાગ્યા કે-“હે ભદ્ર! તારા ઉદરમાં શું કંઈ ગર્ભની સંભાવના છે?' એ પ્રમાણે જ્યારે તેને પૂછવામાં આવતું, ત્યારે તે પણ માયમ્' (કંઈક) એમ પ્રાકૃત ભાષામાં જવાબ આપતી; કારણકે તે વખતે ગર્ભને અલ્પકાળ થયો હતો, પછી ધીમે ધીમે આશાની જેમ તેનો ગર્ભવૃદ્ધિ પામવા લાગ્યો અને સંપૂર્ણ અવસરે તેના મનરૂપ સમુદ્રને પ્રસન્ન કરવામાં ચંદ્રસમાન એવા પુત્રનો જન્મ થયો. પૂર્વે બ્રાહ્મણીએ ‘મણય’ એવો જવાબ આપ્યો હતો, તેથી તે બાળક પણ મણક એવા નામથી પ્રસિદ્ધ થયો. પછી પોતે જ માતા અને પોતે જ ધાવમાતા એવી તે બ્રાહ્મણીથી પાલન કરાતો તે બાળક અનુક્રમે ચાલતા શીખ્યો અને આઠમું વર્ષ પસાર થઈ જતાં તે માતાને પૂછવા લાગ્યો કે-“હે માત ! તું વેષમાં તો અવિધવા (સૌભાગ્યવતી) લાગે છે; માટે મારા પિતા ક્યાં છે?' માતા બોલીકે-“હે વત્સાજે વખતે તું ગર્ભમાં હતો, ત્યારે તારા પિતાએ દીક્ષા લીધી છે, તેથી મેંતને ઉછેરીને મોટો કર્યો છે. હે ચિરંજીવ વત્સ! તેં તારા પિતાને પૂર્વે જોયા નથી, તેમ તારા પિતાએ તને પણ જોયો નથી. પહેલાં એકવાર તારા શય્યભવ પિતા યજ્ઞ કરતાં હતા. એવામાં કેટલાક ધૂર્ત સાધુઓએ છેતરીને તેમને દીક્ષા આપી દીધી.” આ પ્રમાણે સાંભળતાં તે બાળક શય્યભવ મહર્ષિના
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy