SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય (171) ગુરુવંદન અધિકાર જ નહિ, પણ સાંસારિક પ્રસંગોમાં પણ ધર્મની પ્રધાનતા રાખે. જ્યાં ધર્મપ્રેમ ઓછો હોય ત્યાં આમ તો રોજ ધર્મ થાય, પણ સાંસારિક તેવા પ્રસંગો આવતાં ધર્મગૌણ બની જાય, જેનામાં ધર્મપ્રેમ પ્રબળ ન હોય તે રોજ પ્રતિક્રમણ કરે, પણ લગ્ન જેવા પ્રસંગોમાંનકરે. રોજ પૂજા કરે, પણ બહારગામ જવાનું હોય તો ન કરે. રોજ રાત્રિભોજન ન કરે. પણ બિમારી આવે તો રાત્રિભોજનકરે. ઘરમાં અભક્ષ્યનું ભક્ષણ નકરે. પણ બહાર કરે. પણ જેનામાં ધર્મપ્રેમ પ્રબળ છે તે ગમે તેવા સંયોગોમાં પોતાની નિત્ય ધર્મક્રિયાને ન મૂકે, અને નિત્ય નિયમોનું પાલન કરે. આના જે કારણે કોઈ જીવને તેવું નિમિત્ત મળતાં વિશિષ્ટ લાભ થઈ જાય. આવિષે એક યુવાનનો પ્રસંગ છે. આ પ્રસંગ અકબર બાદશાહને પ્રતિબોધ કરનાર આચાર્યશ્રી હીરસૂરિ મહારાજના સમયમાં બન્યો છે. રાજસ્થાનના સિરોહી શહેરમાં વરસિંઘ નામના યુવાનનો લગ્ન મહોત્સવ ચાલી રહ્યો હતો. લગ્ન માટે ઘરના આંગણે વિશાળ મંડપ બાંધ્યો હતો. નારીઓ લગ્નનાં ગીતો ગાતી હતી. વાજિંત્રોના મધુર શૂરો કાનને આનંદ આપતા હતા. જમણવાર માટે વિવિધ મિષ્ટાન્નો તૈયાર થઈ રહ્યા હતા. આમંત્રિત સગા સંબંધીઓ આવી રહ્યા હતા. પણ વરસિંઘ અત્યંત ધર્મપ્રેમી હતો. આથી આવા સમયે પણ તે પોતાની નિત્ય ધર્મક્રિયામાં જરાય ખામી આવવા દેતો ન હતો. એક દિવસ તે સવારે ઉપાશ્રયમાં સામાયિક લઈને ધર્મક્રિયા કરી રહ્યો હતો. શિયાળાના દિવસો હોવાથી ઠંડીના કારણે તેણે કામળી ઓઢી હતી. મોટું બરાબર ન દેખાય તે રીતે કામળી ઓઢી હતી. આ સમયે કેટલીક બહેનો ગુરુને વંદન કરવા આવી. તે બહેનોમાં વરસિંઘની ભાવી પત્ની પણ હતી. બહેનોએ ઉપાશ્રયમાં બિરાજમાન સાધુઓને વંદન કર્યું. તેમાં વરસિંઘને પણ સાધુ મહારાજ સમજીને વંદન કર્યું. વરસિંઘ પોતાની ધર્મક્રિયામાં મસ્ત હોવાથી તેને આની ખબર ન પડી. પણ પાસે બેઠેલા ભાઈને આની ખબર પડી. આથી બહેનોના ગયા પછી તે ભાઈએ વરસિંઘને હસતાં હસતાં કહ્યું – વરસિંઘ! હવે તારાથી પરણાશે નહિ, હવે તારે પરણવું ન જોઈએ. કારણકે તારી ભાવી પત્ની તને સાધુસમજીને હમણાં જ વંદન કરી ગઈ. વરસિંઘે તુરત જ કહી દીધું - હું તમારા કથનને માન્ય રાખું છું. હવે મારી ભાવી પત્ની મને સાચી રીતે વંદન કરશે તે તમે જોજો. સામાયિક પારીને ઘરે આવીને વડીલોને પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવી. બધા આશ્ચર્યમુગ્ધ બની ગયા. બધાએ તેને દીક્ષા ન લેવા સમજાવ્યો. પણ તે પોતાના વિચારમાં મક્કમ રહ્યો. આથી વડીલોએ દીક્ષાની રજા આપી. હવે લગ્ન મહોત્સવ દીક્ષા મહોત્સવ બની ગયો. લગ્નમંડપ દીક્ષામંડપ બની ગયો. લગ્નદિવસ દીક્ષાદિવસ બની ગયો. લગ્નમુહર્ત દીક્ષામુહર્ત બની ગયું. દીક્ષા થતાં વિદ્યાવિજય’ એવું નામ રાખવામાં આવ્યું. સમય જતાં તે મહાત્મા પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને એકસો આઠ શિષ્યોના ગુરુ બન્યા. વંદનથી પચ્ચખાણ વિધિનું પાલન આપણો મૂળ વિષયગુરુવંદન છે. શ્રાવકે દરરોજ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદન કરવાથી પચ્ચખ્ખાણવિધિનું પણ પાલન થાય. નવકારશી વગેરે પચ્ચશ્માણ દેવ, ગુરુ અને આત્માએ ત્રણની સાક્ષીએ લેવાનો વિધિ છે. પહેલાં આત્મસાક્ષીએ પચ્ચખાણ લેવું જોઈએ, અર્થાત્ પહેલાં જાતે પચ્ચખાણ લેવું જોઈએ કે ધારવું જોઈએ. પછી જિનમંદિરમાં ભગવાનની સમક્ષ એ પચ્ચખાણ લેવું જોઈએ. પછી ગુરુ પાસે પચ્ચશ્માણ લેવું જોઈએ. આ રીતે ત્રણની સાક્ષીએ લીધેલું પચ્ચખાણ પૂર્ણ શુદ્ધ બને છે. આથી જ શ્રાવક માટે દવ-ગુરુને વંદન કર્યા વિના મોઢામાં પાણી પણ ન નખાય” એવો નિયમ છે. સ્ત્રીઓએ દૂરથી વંદન કરવું જોઈને સ્ત્રીઓએ ગુરુની બહુ નજીક આવીને વંદન ન કરવું જોઈએ. આથી જ શાસ્ત્રમાં સ્ત્રીને આશ્રયીને ગુરુનો
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy