SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન અધિકાર (148) શ્રાદ્ધદિનકૃત્ય હથેલીથી નીચે રજોહરણને અને ઉપર લલાટને સ્પર્શ કરવાનું કહ્યું છે તેને અંગે ચતુર્ભગી થાય છે. ૧રજોહરણ અને લલાટ બન્ને સ્થલે હથેલીઓનો સ્પર્શ કરે, ૨. રજોહરણને સ્પર્શે-લલાટને ન સ્પર્શે, ૩. લલાટને સ્પર્શ-રજોહરણને સ્પર્શે, અને૪. બન્નેને સ્પર્શે – એ ચારમાં પહેલો ભાંગો નિર્દોષ છે અને બાકીના ત્રણ ભાંગાથી આ દોષ લાગે છે. ૨૮. ન્યૂનદોષ- વન્દનસૂત્રના અક્ષરોનો પૂર્ણ ઉચ્ચારનકરવો, અથવા બે અવનત વગેરે પહેલાં કહેલાં પચીસ આવશ્યકો પૂર્ણન કરવાં-અધુરાં કરવાં તે. ૨૯. ઉત્તરચૂડાદોષ- વન્દન પૂર્ણર્યા પછી મોટા અવાજ પૂર્વક મન્થાઇ વંમ એમ ફરીથી શિખા ચઢાવવાની જેમ વધારે બોલવું તે. ૩૦. મૂકદોષ-મુંગાની જેમ વન્દનસૂત્રના અક્ષરો, આલાવા વગેરે મનમાં જ વિચારવા–પ્રગટ બોલવા નહિ (અથવા અવ્યક્ત–સમજાય નહિ તેમ ગણગણ બોલવા) તે. ૩૧. ઢઢરદોષ- સૂત્રનો ઉચ્ચાર મોટા અવાજથી કરવો, અર્થાત્ અસભ્ય લાગે તેમ ઘાટા પાડીને સૂવ બોલવું તે. ૩૨. ચૂડલિદોષ- ચૂડલિ એટલે સળગાવેલું ઉંબાડીયું. જેમ બાળક ઉંબાડીયાને છેડેથી પકડીને ભમાવે તેમ ઓઘાને છેડેથી પકડીને ભમાવતાં વન્દન કરવું તે, અથવા હાથ લાંબો કરીને હું વન્દન કરું છું'-એમ બોલતાં વન્દનકરવું કે બધા સાધુની સામે હાથ ભમાવીને સર્વનેવાંદું છું એમ બોલીને વન્દન કરવું તે. આ મુજબ ગુરુવન્દન કરતાં ઉક્ત બત્રીશ દોષોને ટાળીને વિધિપૂર્વક શુદ્ધ ગુરુવન્દન કરવું. કહ્યું છે કેकिइकम्मं पि कुणंतो, न होइ किइकम्मनिज्जराभागी। बत्तीसामन्नयरं, साहू ठाणं विराहतो ॥१॥ बत्तीसदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजइ गुरूणं । સો વિરૂ નિવ્વાળ, વોળ વિમાનવાાં તા રા (શ્રી માવનિર્યું. ૨૨૦૫-૨૨૧૭) ભાવાર્થ-“ગુરુવન્દન કરવા છતાં પણ જે સાધુ આ બત્રીશ દોષોમાંનો એક પણ દોષ લગાડે (સેવે) છે તે ગુરુવન્દનથી થતી કર્મનિર્જરા રૂપફળને પામતો નથી, તથા જે આબત્રીશ દોષરહિત શુદ્ધ અને વિધિપૂર્વક ગુરુને વંદન કરે છે તે અલ્પકાળમાં મોક્ષને પામે છે કે વૈમાનિક દેવ થાય છે.” ગુરુવંદનના આઠ કારણો એ બત્રીશ દોષો રૂપ ગુરુવંદનનું ચૌદમું દ્વાર કહ્યું હવે પંદરમા દ્વારમાં ગુરુવન્દન કયા કયા કારણે કરવું જોઈએ, તેનાં આઠ કારણો કહેવાય છે. पडिक्कमणे सज्झाए, काउस्सग्गावराहपाहुणए । ગાતોગળસંવરને, ૩ત્તમદ્ મ III (શ્રી માવ નિ TV શ૦૦) ભાવાર્થ– “સર્વે અનુષ્ઠાનો પ્રથમથી જ સાધુઓને ઉદ્દેશીને સૂત્રોમાં કહેલાં છે, તેમાંથી જેટલાં જે જે રીતિએ ઘટતાં હોય તેટલાં તે તે રીતિએ શ્રાવકને પણ કરવામાં સમજવાં. શાસ્ત્રની એ મર્યાદા હોવાથી અહીં વંદનના આઠ કારણો કહ્યાં છે તે મુખ્યતયા સાધુને ઉદ્દેશીને છે-એમ સમજવું. તેમાં ૧-પ્રતિક્રમણમાં સવારે તથા સાંજે ચાર ચાર વખત બબ્બે વંદન દેવાય છે તે બધાં ભેગાંગણીને અહીં બધાયનું એક જ પ્રતિક્રમણ’ કારણ ગણ્યું છે,
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy