SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય ગુરુવંદન અધિકાર ૧૪. ગૌરવદોષ- ‘હું ગુરુવન્દન કરવું’ વગેરે વિધિમાં કુશળ છું–એમ બીજાઓ પણ જાણે,’ માટે વિધિપૂર્વક આવર્ત વગેરે સાચવીને ‘પોતે વિધિવાળો છે એમ જણાવવા માટે' અભિમાનથી વન્દન કરે તે. 147 ૧૫. કારણદોષ- જ્ઞાનાદિ સિવાયની વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ ગુરુ પાસેથી મેળવવા માટે વન્દન કરવું. અગર ‘હું જ્ઞાન વગેરે ગુણોથી લોકોમાં પૂજાઉં ’ – એવા પૂજાવાના આશયથી જ્ઞાનાદિ ગુણો મેળવવા વન્દન કરવું, અથવા ‘વન્દનથી વશ થયેલા ગુરુ મારું કહ્યું કરે’ માટે વશ કરવા વન્દન કરું, એવાં દુષ્ટકારણોથી વન્દન કરવું તે. ૧૬. સ્ટેનદોષ- સ્ટેન એટલે ચોર; ‘કોઈ વન્દન કરતાં દેખશે તો મને હલકો માનશે—હું નાનો દેખાઈશ’– એવા ભયથી ચોરની જેમ બીજા સાધુઓની આડમાં છૂપાઈને કોઈ દેખે–કોઈ ન દેખે તેમ જલદી વન્દન કરવું તે. ૧૭. પ્રત્યેનીકદોષ- પહેલાં કહી ગયા તે પ્રમાણે જ્યારે ગુરુ વ્યગ્ર ચિત્તવાળા, અવળા બેઠેલા, પ્રમાદવશ કે આહાર–નિહાર કરતા હોય અથવા કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે વન્દન કરવાનો નિષેધ છે, છતાં વન્દન કરવું તે. ૧૮. રુષ્ટદોષ- ગુરુ રોષાયમાન હોય કે વન્દન કરનારને પોતાને કોઈ કારણે ક્રોધ થયો હોય, તે વખતે ક્રોધયુક્ત વન્દન કરવું તે. (અહીં ક્રોધની મુખ્યતા માનીને આ દોષ સત્તરમા દોષમાં આવી જવા છતાં જૂદો કહ્યો છે.) ૧૯. તર્જનાદોષ- ‘તમો વન્દન નહિ કરવાથી ગુસ્સો નથી કરતા અને કરવાથી પ્રસન્ન થતા નથી, અર્થાત્ તમો વન્દન કરનારાના કે નહિ કરનારાના ભેદને ઓળખતા જ નથી’– એમ બોલીને તર્જના કરવાપૂર્વક, અથવા ‘ઘણા લોકોની હાજરીમાં મને વન્દન કરાવો છો, પણ એકલા હશો ત્યારે ખબર પાડીશ–’ એવી બુદ્ધિથી કે તર્જની આંગળીથી કે મસ્તકથી અપમાન કરવાપૂર્વક વન્દન કરવું તે. ૨૦. શઠદોષ- માયાથી ગુરુને કે લોકોને ‘આ ભક્ત છે’– એમ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે વન્દન કરવું અથવા કપટથી માંદગી વગેરેનું બહાનું કાઢી જેમ-તેમ વન્દન કરવું તે. ૨૧. હીલિતદોષ- ‘અરે, ગુરુ ! હે વાચકજી ! તમોને વાંદવાથી શું ફળ મળવાનું છે ? વગેરે બોલીને અવજ્ઞાપૂર્વક વન્દન કરવું તે. ૨૨. વિપરિકુંચિતદોષ- અર્ધ વન્દન કરી વચ્ચે દેશથાદિ વિક્થાઓ કરવી તે. ૨૩. દષ્ટાદષ્ટદોષ- ઘણાઓની સાથે વન્દન કરતાં બીજાની આડથી જ્યારે ગુરુ દેખી ન શકે ત્યારે કે અંધારું હોય ત્યારે વન્દન નહિ કરવું–બેસી રહેવું અને ગુરુ દેખે એટલે વન્દન કરવા માંડવું તે. (સ્તનદોષમાં ‘લોકો દેખે– ન દેખે’ તેમ અને અહીં ‘ગુરુ દેખે-ન દેખે’ તેમ–એ ભેદ સમજવો.) ૨૪. શૃંગદોષ- પહેલાં જણાવ્યું તેમ વન્દનમાં ‘અજ્ઞો જાય’ વગેરે બોલીને આવર્તો કરતાં બે હથેલી જે લલાટના મધ્ય ભાગે લગાડવી જોઈએ તે લગાડે નહિ કે લલાટની બાજુમાં જમણી–ડાબી તરફ લગાડે તે. ૨૫. કરદોષ- કર એટલે રાજાદિના ટેક્ષ–દાણની માફક ‘અરિહંત ભગવાને કહેલો આ વન્દન રૂપી કર પણ અવશ્ય ચૂકાવવો જોઈએ’ –એમ માનીને વન્દન કરવું તે. ૨૬. મુક્તદોષ- ‘દીક્ષા લેવાથી રાજા વગેરેના લૌકિ કરોમાંથી તો અમે છૂટયા, પણ આ વન્દન રૂપી કરમાંથી છૂટાય તેમ નથી, અર્થાત્ ક્યારે છૂટીએ ? એમ માની વન્દન કરવું તે. ૨૭. આશ્લિષ્ટાનાશ્લિષ્ટદોષ- પહેલાં ‘અહો જાય' વગેરે બોલીને બાર આવર્ત કરવાનાં કહ્યાં છે, તેમાં બે
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy