________________
ગુરુવંદન અધિકાર
( 144 )
શ્રાદ્ધદિનકૃત્યા
એ દ્રવ્ય-ભાવવન્દનમાં પાંચ ઉદાહરણ રૂપ ગુરુવંદનનું નવમું દ્વાર કહ્યું. હવે ‘ગુરુના એક અવગ્રહ રૂપ દશમું દ્વાર કહે છે.
ગુરુ મહારાજના આસનથી આજુબાજુ સાડા ત્રણ હાથ સુધીની જગ્યાને ‘ગુરુનો અવગ્રહ કહેવાય છે, જેનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ આગળ વદનસૂત્રના અર્થોમાં કહેવાશે.
હવે ગુરુવન્દનમાં પાંચ નામોનું વર્ણન કરે છે. ઉપર ઉદાહરણોની સાથે વન્દનનાં પાંચ નામો અર્થ સાથે કહી ગયા તે અર્થથી એક જ (ગુરુવન્દન રૂપે) છે, છતાં પર્યાયથી જુદાં જુદાં જાણવાં. કહ્યું છે કે –
वंदण-चिइ-किइकम्मं, पूआकम्मं च विणयकम्मं च । वंदणगस्स एए, नामाई हवंति पंचेव ॥१॥ (श्री प्रव०सा. गा० ११७) ભાવાર્થ– “વન્દન, ચિતિકર્મ-કૃતિકર્મ-પૂજાર્મ અને વિનયકર્મ,-એ ગુરુવન્દનનાં પાંચ પર્યાય નામો
છે.”
એ પાંચનામનું અગીઆરમું દ્વાર જાણવું. હવે કેવા પ્રસંગે ગુરુને વન્દન નકરવું, તે પાંચ નિષેધસ્થાનો રૂપ લોકોને તે વૃક્ષની પૂજા કરતા જોયા, તેથી તેમણે વિચાર્યું કે – અહીં બીજા ઉત્તમ વૃક્ષો હોવા છતાં આ કંટાળ વૃક્ષને લોકો પૂજે છે, તેમાં તેની ચારેય બાજુ પીઠ બાંધેલી છે તે જ કારણ છે. તેનો નિર્ણય કરવા માટે લોકોને પૂછવાથી પણ તે જ જવાબ મળ્યો. આથી પોતે વિચાર્યું કે – જ્ઞાનાદિ ગુણોથી ભરેલા અન્ય ઉત્તમ સાધુઓ છે તેઓ ઉત્તમ વૃક્ષો જેવા છે અને હું તો નિર્ગુણ ખીજડા જેવો છું, છતાં મને સર્વે મુનિઓ પૂજે છે તેનું કારણ મને ગુરુ મહારાજે આ રજોહરણ આદિ વેષને અંગે આચાર્ય પદ અર્પણ કર્યું છે તે છે, માટે મારે તે છોડવું જોઇએ નહિ. એવો વિચાર કરીને – તેઓ તરત પાછા આવીને ગચ્છને સંભાળવા લાગ્યા. પોતે ગીતાર્થો પાસે પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થયા. એ સુલ્તકાચાર્યને પહેલાં રહરણાદિનો સંચય હતો તે દ્રવ્યથી (ચિતિ) સંચય જાણવો અને પ્રાયશ્ચિત્ત લીધા પછીનો ભાવથી (ચિતિ) સંચય જાણવો. એ 'ચિતિ’
એટલે ઉપકરણોના સંચય રૂપ ચિતિવન્દનના દ્રવ્ય અને ભાવ પ્રકારોમાં સુલતાચાર્યનું દષ્ટાંત સમજવું. તાત્પર્યક- સાધુની જેમ સાધુનો વેષ પણ પૂજનિક છે. સુલ્લકાચાર્યે પહેલાં તેનું મહત્ત્વ નહિ સમજતાં બહુમાન વિના દ્રવ્યથીતે ધારણ કર્યો હતો, માટે તેઓનું તે દ્રવ્યચિતિવદન’ સમજવું અને પાછળથી તેનું બહુમાન સમજીને તે ભાવપૂર્વક ધારણ કર્યો માટે તે ‘ભાવચિતિવદન’ સમજવું.
૩. કૃષ્ણ અને વીરક- શ્રી કૃષ્ણ વાસુદેવનો પરમ ભક્ત અને જમાઇ વીરક' નામે એક શાળવી હતો. તે એકદા શ્રી કૃષ્ણજીની સાથે શ્રી નેમિનાથ ભગવાનને વન્દન કરવા ગયો. ત્યાં શ્રી કૃષ્ણજીએ સર્વે સાધુઓને દ્વાદશાવર્ત (વાંટણાંથી) વન્દન કર્યું. તેમની સાથે બીજા રાજાઓ વગેરે હતા, તે થોડાકને વન્દન કરતાં જ થાકવાથી બેસી ગયા, પણ આ વીરક શાળવીએ તો કૃષ્ણજીની સાથે ભાવ વિના પણ સર્વેને વન્દન કર્યું. છેલ્લે થાકેલા કૃષ્ણજીએ કહ્યું કે – 'ત્રણસો સાઇઠ સંગ્રામમાં પણ મને આટલો શ્રમ લાગ્યો નહતો. ત્યારે પ્રભુએ કહ્યું કે – 'કૃષ્ણ! તેંવન્દન કરવાથી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત ક્યું તીર્થંકરનામકર્મ ઉપાર્જનક્યું અને સાતમી નારકીનું આયુષ્ય તોડીને ત્રીજી નારકીનું આયુષ્ય કર્યું.' આવન્દનમાં શ્રીકૃષ્ણજીની વન્દના તે ભાવ-આવત’ વન્દન અને કૃષ્ણજીની પ્રસન્નતા માટે વીરાશાળવીએ કરેલી વન્દના તે દ્રવ્ય–આવત’ વન્દના જાણવું. અર્થાત્ ભાવકૃતિકર્મમાં કૃષ્ણજીનું અને દ્રવ્યકૃતિકર્મમાં વીરા શાળવીનું દષ્ટાંત જાણવું.
૪, બે રાજસેવકો- નજીકના કોઇ ગામમાં રહેતા રાજાના સેવકોને પોતાની જમીનની સીમાને અંગે પરસ્પરવિવાદ થવાથી તેનો ન્યાય મેળવવા માટે તેઓ રાજદરબારમાં જવા તૈયાર થયા. ગામમાંથી નીકળતાં તેઓને એક સાધુ સામા મળ્યા. એકે વિચાર્યું કે – આ મુનિના દર્શનથી મારું કામ સિદ્ધ થશે, તેથી તેણે પ્રદક્ષિણાપૂર્વક ભાવથી સાધુનેવન્દના કરી, જ્યારે બીજાએ માત્ર પહેલાના અનુકરણ માટે વન્દના કરી. દરબારમાં ભાવથી વન્દના કરનારના પક્ષમાં ન્યાય મળ્યો અને બીજાનો પરાભવ થયો. અહીં પહેલા સેવકનો સાધવિનય તે ભાવવિનયકર્મ” રૂપ વન્દના અને બીજાનો વિનય તે દ્રવ્યવિનયકર્મ રૂપ વન્દના જાણવી.
૫. શાખ અને પાલક દ્વારિકામાં શ્રીકૃષ્ણજીને શામ્બ અને પાલક વગેરે પુત્રો હતા. એકદા જ્યારે શ્રી નેમિનાથ પ્રભુ ઉદ્યાનમાં પધાર્યા ત્યારે કૃષ્ણજીએ તેમને કહ્યું કે – ‘જે સવારે પ્રભુને પહેલાં વંદન કરશે તેને મારો ઘોડો આપીશ.’ તે પછી શામ્બકુમારે સવારમાં શયામાંથી ઉઠીને ત્યાં જ રહ્યા રહ્યા વન્દના કરી અને પાલકે વહેલા ઉઠીને અશ્વના લોભથી ઘોડા ઉપર બેસીને ભગવાનની પાસે જઈ વન્દના કરી. પાલક અભવ્ય હતો અને તેની વન્દના ઘોડાના લોભથી ભાવ વિનાની હતી. સવારે કૃષ્ણજીએ ભગવાનને પૂછતાં, ભગવાને કહ્યું કે – પાલકે અહીં આવી દ્રવ્ય વન્દના કરી છે અને શાસ્તુકુમારે ત્યાં રહ્યા રહ્યા ભાવવન્દના કરી છે. આથી કૃષ્ણજીએ શાસ્તુકુમારને અચરત્ન આપ્યું. અહીં શામ્બકુમારનો ભાવનમસ્કાર અને પાલકનો દ્રવ્યનમસ્કાર જાણવો.