SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન અધિકાર (136) શ્રાદ્ધદિનકૃત્ય इच्छा य अणुन्नवणा, अव्वाबाहं च जत्त जवणा य । નવરાટવીમા વિમ, વંવાલાયસ્ત છઠ્ઠા II II (શ્રી પ્રવસી - 38) ભાવાર્થ – “ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધા, સંયમયાત્રા, સમાધિ તથા અપરાધની ક્ષમા માગવી–એ ઇને અંગે તે તે પાઠથી શિષ્ય પ્રશ્ન કરે, તે શિષ્યનાં છ સ્થાનો રૂપ ગુરુવંદનનું ચોથું દ્વાર સમજવું.” એ છ પ્રશ્નોના ગુરુ છ ઉત્તરો આપે, તે છ ગુરુવચનો આ પ્રમાણે છેछंदेणऽणुजाणामि, तहत्ति तुब्भंपि वट्टए एवं । મદમવિવામિ તુમ, માતાવા વંતરિદાસ II II (શ્રી પ્રવસી - ૨૦૨) ભાવાર્થ-“૧-જેવી ઈચ્છા, ૨-અનુજ્ઞા આપું છું, ૩-તેમ જ છે, ૪-તને પણ વર્તે છે? ૫-એ જ પ્રમાણે છે અને હું પણ તમોને ખમાવું ,-એમગુરુ છ પ્રકારે ઉત્તરો આપે, એ ગુરુવંદનનું પાંચમું દ્વાર સમજવું” શિષ્ય-ગુરુના આ પ્રશ્નો અને ઉત્તરોનું વિશેષ સ્વરૂપચાલુઅધિકારમાં જ આગળવન્દનસૂત્રની વ્યાખ્યામાં તે તે સ્થાને કહેવાશે. હવે ગુરુવન્દન કરવાથી થતા છ ગુણો કહે છેविणयोवयार माणस्स-भंजणा पूअणा गुरुजणस्स । તિસ્થયાળ ય માણI, સુમધમ્માના ગરિમા II II (શ્રી પ્રવસી. – ૨૦૦). ભાવાર્થ-૧-વિનયોપચાર, ૨-માનનો ભંગ, ૩-ગુરુની પૂજા, ૪-જિનાજ્ઞાનું પાલન, ૫-મૃતધર્મની આરાધના અને ૬-અંતે મોક્ષ, –એ છ ગુણો ગુરુવન્દનથી થાય છે.” તેમાં-પહેલો વિનયોપચાર એટલે વિનયએ જ ઉપચાર તેરૂપ ભક્તિવિશેષ અથગુરુવંદનથી વિનય રૂપ ભક્તિ થાય છે, બીજો પોતાનું અભિમાન નાશ પામે છે. ત્રીજો અભિમાન રહિત આત્માએ વિનીતભાવે વજન કરવાથી ‘ગુરુજનોની સુંદર પૂજા (સેવા) થાય છે, ચોથો ‘વિનય ધર્મનું મૂળ છે માટે મોક્ષાર્થીએ વિનય કરવો’ એવી જિનેશ્વરની આજ્ઞા છે–તે શ્રી જિન-આજ્ઞાનું પાલન થાય છે, પાંચમો જ્ઞાનીને વન્દન કરવાથી જ્ઞાનની પૂજા થાય છે અને એ જ શ્રુતજ્ઞાનની આરાધનારૂપલાભ થાય છે તથા છટ્ટો અનુક્રમે કેવલજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરી થોડા કાળમાં જ સર્વ ક્રિયાના નાશરૂપ‘અક્રિયા એટલે મોક્ષ થાય છે. એ ગુરુવન્દનથી થતાછ ગુણોરૂપગુરુવંદનનું છ દ્વાર કહ્યું. હવે સાતમા દ્વારમાં પાંચ વન્દનીયનું સ્વરૂપ કહે છે – आयरिअ उवज्झाए, पवित्ति थेरे तहेव रायणिए । પણ વિશH, યવં નિઝરાણ III” (શ્રી પ્રવસ-૨૦૨) ભાવાર્થ – “આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક –એ પાંચને કર્મની નિર્જરા કરવા માટે વન્દન કરવું.” તેમાં આચાર્ય વિગેરેનું સ્વરૂપ ટૂંકાણમાં આ પ્રમાણે કહ્યું છે– पंचविहं आयारं, आयरमाणा तहा पभासंता । आयारं दंसंता, आयरिआ तेण वुच्चंति ॥१॥
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy