________________
1 112 )
નવમું વંદન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય ભકિતથી આપણે મુક્તિ પામી શકીએ છીએ તેમના પ્રત્યે આદર, બહુમાન, વિવેક અત્યંત આવશ્યક છે. ૩૦. પ્રભુજી અને આપણી વચ્ચેના, આશાતનાટાળવા માટેના ઉચિત અંતરને અવગ્રહ કહે છે. અંગપૂજા સિવાય
શક્ય હોયતો પરમાત્માથી જઘન્યથી (ઓછામાં ઓછું) ૯ હાથ દૂર રહેવું. ૩૧. ચૈત્યવંદન-સ્તવનાદિ બોલતી વખતે બીજાને અંતરાય ન થાય તેની કાળજી રાખવી જોઇએ. જોરજોરથી
સ્તવનાદિ અન્યને તકલીફ થાય તે રીતે નબોલવું ધીમે અને મધુર સ્વરે પરમાત્મામાં લીન બનીને ભાવપૂર્વક
બોલવું. ૩૨. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા સાથે એની રક્ષા કરવી અને જયણા પાળવાની આપણી ફરજ છે. એ ફરજ ચૂકીએ
તો દેવદ્રવ્યના રક્ષણની ઉપેક્ષાનો અને અજયણાનો દોષ લાગે. ૩૩. ઘટ ધીમેથી બીજાને ખલેલ ન પહોંચે તે રીતે વગાડવો જોઇએ. ૩૪. હવણ (નમણ) પવિત્ર હોવાથી શરીરના નાભિથી ઉપરના ભાગે લગાડવું જોઈએ. ૩૫. ફૂલોમાં ત્રસ જીવો રહેલા હોય છે. આંગી ઉપરથી ઉતારેલાં ફૂલોને ન્હવણ જળમાં તથા નદી, તળાવ, સમુદ્ર
વગેરેમાં પધરાવાય નહીં, નહીંતર ત્રસ જીવોની વિરાધના થાય. માટે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો. ૩૬. પ્રભુભક્તિના પ્રયોજન સિવાય દેરાસરમાં વધુ સમય રહેવાય નહીં. ૩૭. દેરાસરમાં આપણા શરીરનો કોઇપણ જાતનો મેલ પડવા દેવાય નહીં. વાછૂટ પણ કરાય નહીં. ૩૮. દેરાસરમાં દેવદ્રવ્ય સિવાયનો બીજો કોઇ ભંડાર રખાય નહીં. ૩૯. પ્રક્ષાલપૂજા વગેરે પૂજા કરતાં પૂજાના દુહા બોલવા નહિ, પણ મનમાં ચિંતવવા. ૪૦. પૂજા કરતાં પોતાનાં વસ્ત્રો પ્રતિમાજીને ન લાગે તેની કાળજી રાખવી. ૪૧. પ્રભુજીના અંગ ઉપર રહેલા વાસક્ષેપકે કેશરને લઈને પોતાના મસ્તકેન નંખાય, ન લગાડાય. ૪૨. પૂજા સિવાય પ્રભુજીને સ્પર્શવું. ૪૩. અષ્ટમંગલની પૂજા ન કરવી. ૪૪. લંછન, હથેલી, શ્રીવત્સફણા વગેરે સ્થાને પૂજા ન કરવી. ૪૫. પુરુષોએ પ્રભુજીની જમણી બાજુ અને સ્ત્રીઓએ પ્રભુજીની ડાબી બાજુ રહીને પૂજા કરવી. ૪૬. મંદિરમાંથી નીકળતાં પહેલાં અક્ષત, નૈવેદ્ય, ફલ અને પાટલાને ઉચિત સ્થાને મૂકવાનો ઉપયોગ રાખવો.
તેમાં પણ કીડીઓ ન થાય એ માટે સાકર વગેરેને જલદી ઉચિત સ્થાને મૂક્વાનો ખાસ ઉપયોગ રાખવો. ૪૭. દેરાસરની જઘન્યથી દશ (૧૦) અને ઉત્કૃષ્ટથી ચોરાશી (૮૪) આશાતના ટાળવી જોઈએ.
આશાતના કોઈ ન કરશો જિનમંદિરની જઘન્ય દશ આશાતનાઓ -
तंबोल पाण भोयण, वाणह मेहुन्न सुअण निट्ठवणं ।
मुत्तुच्चारं जुअं, वजे जिणनाह जगईए ॥ ૧. તંબોલ ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું૪. પગરખાં પહેરવાં, ૫. ત્રીસેવન કરવું, ૬. ધૂછ્યું,