SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય (91) આઠમું સત્કાર દ્વાર પણ શકેન્દ્ર તેનો પરાભવ કર્યો. આથી ચમરેન્દ્ર શકેન્દ્રથી બચવા શ્રી વીરસ્વામીનું શરણ સ્વીકાર્યું. આથી શહેન્દ્ર તેને છોડી દીધો. શ્રી વીર સ્વામીનું શરણ સ્વીકાર કરવાના કારણે બચી જવાથી તે સખ્યત્વ પામ્યો. પછી તેણે સુસુષ્માપુરમાં રહેલા શ્રી વીરસ્વામીની સમક્ષ સામાનિક વગેરે દેવોની સાથે નાટક-નૃત્ય કર્યું. પ્રભાવતી રાણીની કથા ચંપાનગરીમાં સ્ત્રીલંપટ એવો એક કુમારનંદી નામનો સોની રહેતો હતો. તે પાંચસો સૌનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે તે કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એક વખતે પંચશેલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રાસા નામની બે વ્યંતરદેવીઓએ પોતાનો પતિ વિદ્યુમ્ભાળી ચવ્યો, ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને વ્યામોહ પમાડ્યો. કુમારનંદી ભોગની પ્રાર્થના કરવા લાગ્યો, ત્યારે “પંચશીલ દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને દેવીઓ ચાલી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડાવ્યો કે, “જે પુરુષ અને પંચશૈલદીપે લઇ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું.” પડહ સાંભળી એક વૃદ્ધખલાસી તે કોટિ દ્રવ્ય લઈ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર ગયો, અને પછી કહેવા લાગ્યો કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તળેટીએ થયેલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશૈલદ્વીપથી આ વડ પર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારડ પક્ષીની સાથે તું પણ પંચૌલ ક્રિીપે પહોંચી જઈશ. આ વહાણ તો મોટા ભમરમાં સપડાઈ જશે.” આ પછી નિયમિકના કહેવા પ્રમાણે કુમારનંદી પંચૌલ કિપે ગયો. ત્યારે હાસા-મહાસાએ તેને કહ્યું કે, તારાથી આ શરીરવડે અમારી સાથે ભોગ કરાય નહીં. માટે અગ્નિપ્રવેશ વગેરે કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તસંપુટમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો, તો • પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, અને મરણ પામી પંચૌલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને તે દીક્ષા લઇ કાળ કરી બારમા અચુત દેવલોકે દેવતા થયો. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા–પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો, એટલામાં પણ તેને ગળે આવીને વળગ્યો. કોઇ પણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો, ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું “ઈન્દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું: “હવે મારે શું કરવું?” દેવતાએ કહ્યું: “હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ. એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી બંતરે કાયોત્સર્ગ કરી રહેલા શ્રી મહાવીરસ્વામીને જોઇ, માહિમવંત પર્વતથી આવેલા ગોશીર્ષ ચંદનવડે તેવી જ પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિષ્ઠા કરી સવગે આભૂષણો પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાબડામાં રાખી.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy