SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું સત્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય .. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, ‘“તું આ પ્રતિમાનો ડાબડો સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચૌટામાં ‘‘દેવાધિદેવની પ્રતિમા લો’’ એવી ઉદ્ઘોષણા કર.'’ ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પોતપોતાના દેવનું સ્મરણ કરી તે ડાભડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા પણ ડાબડો ઉઘડયો નહીં. તેથી સર્વે લોકો ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયો. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કૌતુક જોવાને માટે તેડાવી. 92 પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, ‘“આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કોઇ નથી. હમણાં કૌતુક જુવો.’’ એમ કહી રાણીએ ચક્ષકર્દમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુષ્પની એક અંજલી મૂકીને કહ્યું કે, દેવાધિદેવ મને દર્શન આપો,’’ એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળકલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડો પોતાની મેળે ઉઘડી ગયો ! નહિ સુકાયેલાં ફૂલોની માળાવાળી પ્રતિમા અંદરથી બહાર દેખાઇ, અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીનો સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પોતાના અંત:પુરમાં લઇ ગઈ, અને પોતે નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખતે રાણીના આગ્રહથી રાજા વીણા વગાડતો હતો, અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું. તેથી રાજા ગભરાઈ ગયો, અને વીણા વગાડવાની કંબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ, નૃત્યમાં રસભંગ થવાથી રાણી કોપાયમાન થઈ, ત્યારે રાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તો સફેદ જ દેખાયું, તે દુર્નિમિત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયું, તેથી હવે પોતાનું આયુષ્ય થોડું રહ્યું છે. એવો રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી પહેલા પ્રાણાતિપાતવિરમણવ્રતનો ભંગ થયો, તેથી વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા માટે રાજા સમીપ ગઇ.રાજાએ ‘“દેવતાના ભવમાં તું મને સમ્યક્ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે’’ એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને માટે દેવદત્તા નામની કુખ્યાને રાખીને પોતે ઘણા ઉત્સવસહિત દીક્ષા લીધી, અને અંતે અનશનવડે કાળ કરી સૌધર્મ દેવલોકે દેવતા થઈ. પછી દેવરૂપે રહેલા પ્રભાવતીના જીવે ઘણો બોધ કર્યો, તો પણ ઉદાયન રાજા તાપસની ભક્તિ ન મૂકે. દષ્ટિરાગ તોડવો એ કેટલો મુશ્કેલ છે ! હશે, પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃતફળ આપ્યું. તેનો રસ ચાખતાં જ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પોતે વિષુર્વેલા આશ્રમમાં લઇ ગયો. ત્યાં વેષધારી તાપસોએ ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠો. તે જૈનસાધુઓના ઉપાશ્રયે આવ્યો. સાધુઓએ અભયદાન આપ્યું. તેથી રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો. પછી દેવતા પોતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધર્મને વિષે દઢ કરી, ‘‘આપદા આવે ત્યારે મને યાદ કરજે’’ એમ કહી અદશ્ય થયો. નારદે જે રીતે નૃત્યવિધિ કરી હતી તે રીતે નૃત્યવિધિ અન્ય ગ્રંથમાંથી જાણી લેવી. (૭૦) ૦ યક્ષકર્દમ એટલે કેશર, અગર, કસ્તૂરી, કપૂર અને ચંદન એ સમભાગે મિશ્ર કરેલું ચૂર્ણ.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy