SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય (87) આઠમું સત્કાર દ્વારા ૧૦. પ્રણિધાનત્રિક જાવંતિ ચેઈઆઈ, જાવંત કવિ સાહુ અને જયવીયરાય એ ત્રણ સૂત્રો પ્રણિધાન સૂત્રો છે. અથવા મન, વચન અને કાયાની એકગ્રતા એ ત્રણ પ્રણિધાન છે. (૫૧) मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ । इरियाए उवउत्तो, वक्खेमाणं विवजए ॥५२॥ - પ્રદક્ષિણા અને નિશીહિની વિચારણા કરતા ગ્રંથકાર પાંચ ગાથાઓને કહે છે – મનથીગુમ, વચનથી ગુમ, કાયાથી ગુમ, જિતેન્દ્રિય અને ઈસમિતિમાં ઉપયોગવાળો બને, ગીત સાંભળવું વગેરે પ્રકારની વ્યગ્રતાનો ત્યાગ કરે. અહીં જણાવેલા વિશેષણોમાં જિતેન્દ્રિય વિશેષણ હેતુ છે અને બીજાં વિશેષણો કાર્યરૂપ છે, અર્થાત્ જે જિતેન્દ્રિય બને તે મન-વચન અને કાયાથી ગુમ બને, ઈસમિતિમાં ઉપયોગવાળો બને, તથા વ્યગ્રતાનો ત્યાગ કરે. (૫૨) : मुत्तूण जं किंचिवि देवकज्जं, नो अन्नमत्थं तु विचिंतइज्जा । इत्थीकहं भत्तकहं विवजे, देसस्स रन्नो न कहं कहिज्जा ॥५३॥ દેવનાં કાર્યોને છોડીને બીજાં કાર્યોનો વિચાર ન કરે, સ્ત્રીકથા, ભક્તકથા, દેશક્યા અને રાજસ્થા એ ચાર વિકથાનો ત્યાગ કરે. (૧૩) ... मंमाणुवेहिं न वइज वक्त्रं, न जम्मकम्माणुगयं विरुद्धं । नालीयपेसुन्नसुकक्कसं वा, थोवं हिअंधम्मपरं लविज्जा ॥५४॥ કહ્યું છે કે – પરના પરસ્ત્રીગમન આદિ દોષોનું પ્રકાશન કરવું વગેરે એમને ભેદી નાખે તેવું વચન ન બોલવું. તારો પિતા ઉપપતિ હોવાથી તારો જન્મ દૂષિત છે, તું પરનો નોકર છે, તું ચોર છે, ઇત્યાદિન બોલે. નિર્ધનને ધનવાન કહેવો ઈત્યાદિ સ્વસંબંધી કે પરસંબંધી અસત્ય ન બોલે. ખોટા દોષોનો આરોપ મૂકવો. અરે! દુરાત્મા! ઇત્યાદિ અતિશય કર્કશ વચનો ન બોલે. થોડું (=જરૂર પૂરતું જ) બોલે. મધુર વચન હોવાના કારણે સાંભળનારને આહ્વાદ ઉત્પન્ન કરે તેવું હિતકર વચન બોલે. પાપથી રોકે તેવું વચન બોલે. (૫૪) जो होइ निसिद्धप्पा, निसीहिया तस्स भावओ होइ । अनिसिद्धस्स निसीहिय, केवलमित्तं भवइ सद्दो ॥५५॥ જેણે આત્માને મન-વચન-કાયાવડે અસદુ વ્યાપારોથી રોક્યો છે તેની નિશીહિ પરમાર્થથી થાય છે. આત્માને અસદ્ વ્યાપારોથી નહિ રોકનારની નિશીહિ કેવળ શબ્દમાત્ર થાય છે. (૫૫) મિહોહ૩ સવ્વાસ, નો વનિ TIPI तस्स निसीहिया होइ, इइ केवलिभासियं ॥५६॥ પરસ્ત્રીના પતિની સંમતિથી પરસ્ત્રી સાથે વ્યભિચાર કરનાર ઉપપતિ છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy