SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું સત્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય પ્રમાણે બે હાથ જોડીને સહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા બંને હાથની કોણીઓ પેટ ઉપર રાખવી એ યોગમુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો સિવાય બધાં સૂત્રો આ મુદ્રાએ બોલવાના છે. ૨. જિનમુદ્રા - ઊભા રહેતી વખતે બે પગ વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં ચાર આંગળથી કંઇક ઓછું અંતર રહે એ પ્રમાણે પગ રાખવા એ જિનમુદ્રા છે. ઊભા રહીને સૂત્રો બોલતી એ વખતે આ મુદ્રા રાખવાની છે. ૩. મુક્તાણુક્તિ મુદ્રા :- આંગળીઓ પરસ્પરની સામે આવે અને મધ્યભાગમાં પરસ્પર જોડેલી મોતીછીપની જેમ પોલા રહે એ પ્રમાણે બે હાથ જોડીને કપાળને અડેલા રાખવા એ મુક્તાશક્તિ મુદ્રા છે. ત્રણ પ્રણિધાન સૂત્રો બોલતાં આ મુદ્રા રાખવાની છે. ઊભા રહીને સૂત્રો બોલતી વખતની મુદ્રા 86 ચૈત્યવંદનના પ્રારંભથી ‘સ્તવન’ સુધીની ‘યોગમુદ્રા’ કાઉસ્સગ્ગ કેમ કરવો તેની મુદ્દા જિનમુદ્રા (ઉભા કાઉસ્સગની મુદ્રા). · ઊભા કાઉસ્સગ્ગ કરનારે બે પગના આગળના અને પાછળના ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપત્તિ અને ચરવલો કયા હાથમાં રાખવા તે, હાથ કેમ રાખવા તે, ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આ ચિત્રથી સમજાશે. ઊભા રહીને સૂત્રો બોલતી વખતે હાથની યોગમુદ્રા અને પગની જિનમુદ્રા કેવી રીતે રાખવી તે આ ચિત્રથી સમજાશે. જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિ સાહૂ તથા જયવીયરાયથી આભવમખંડા સુધીની ‘મુક્તાશક્તિ મુદ્રા’ વારિઈથી જૈન જયતિ શાસનમ્ સુધીની ‘યોગમુદ્રા’ અર્ધાજયવીયરાય બોલ્યા પછીની હાથની મુદ્રા
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy