________________
વિરામ તવ તત્ર વિં, ગતિમરિન ! મરિનર્ષિત ! |
न रतिखेदमपास्तुमलं स्फुरद्घनरसाऽनरसादर ! दीर्घिका ।।५२ ।। નિર્ભય શિરોમણિ, ગાંભીર્યાદિ ગુણોથી યુક્ત અને મનુષ્યોના મનને સદેવ આનંદિત કરનારા હે મહારાજા, એ વનભૂમિમાં રહેલી વિકસિત કમળોવાળી અને જલતરંગ વડે હિલોળા લેતી વાવડીઓ રતિક્રિડાથી ઉત્પન્ન થયેલા આપના શ્રમને દૂર કરવા માટે શું સમર્થ નથી?
षड्तुभूरुहसंपदमाश्रिते, समहिता महितां च वियोगिनाम् । फलपलाशसुमाञ्चिनि काभिहृहितविपल्लवपल्लवराजिनीम् ।।५३।। विधृतवागुरिवागुरिकावलीविगतविप्रियविप्रियभूरुहे । परभृताः परिमोदयति स्फुटं, स्वरवरा रवरागविवद्धिकाः ।।५४ ।। विरहिणां ददति प्रतिवासरं, कुसुममार्गणमार्गणपीडनम् । मुदमपीहतदन्यविलासिनां, गलितविप्रियया प्रियया समम् ।।५५।। पटकुटीः परिताड्य निवत्स्यते, नगरतोऽगरतोरुविहङ्गमे । .
बहिरितो विसरैस्तव योषितां, रुचिरकानन ! काननसत्तमे ||५६ ।। चतुर्भिः कलापकम् પરમ સૌભાગ્યશાળી અને પ્રસન્ન મુદ્રાને ધારણ કરનારા એવા હે રાજન, આ નગરની બહાર પક્ષીઓના કલરવથી સુશોભિત વૃક્ષોના સમૂહ છે જેમાં એવી વનભૂમિમાં શિબિરો, છાવણીઓ (વસ્ત્રોના તંબુઓ) નંખાવો, જેમાં આપની સ્ત્રીઓનો સમૂહ નિવાસ કરવા ઇચ્છે છે. વનભૂમિનું વર્ણન કરે છે ? - ઋતુઓનાં વૃક્ષોની સંપત્તિથી યુક્ત, વિકસ્વર પલાશનાં પુષ્પોથી સુશોભિત વૃક્ષોની શોભા કામી પુરુષોના ચિત્તને આનંદકારી ને હિતકારી છે જ્યારે વિયોગીજનો માટે અહિતકારી છે, વળી આ વનમાં શિકારી માણસોની અવરજવર નથી, એટલે પકડવા માટેની જાળોરૂપી ઉપદ્રવથી રહિત હોવાના કારણે વૃક્ષો પર પક્ષીઓનો વાસ ઘણો છે તેથી પક્ષીઓને પ્રિય વૃક્ષો પર રહેલી કોયલોના મધુર પંચમ સ્વર રાગને ઉત્તેજિત કરનાર હોવાથી વિયોગીઓને કામદેવની પીડાથી હંમેશાં વ્યથિત કરે છે અને પ્રિય અવિરહી યુગલોને આનંદ આપે છે. આવા પ્રકારની વનભૂમિમાં ક્રીડા કરવા માટે આપનો રાણીવાસ અત્યંત ઉત્સુક છે.
इति तदुक्तिविधावुररीकृते, महिभृताऽहिभृतावनिबाहुना । मुदमवाप्य स कञ्चुकिनायको, विशरणं शरणं निजमाययौ ।।५७ ।। જેમની ભુજાએ શેષનાગની પેઠે પૃથ્વીને ધારણ કરી છે એવા મહારાજા ભરતે અંત:પુરના શ્રેષ્ઠ રક્ષક કંચુકીની વાતને સ્વીકારી ત્યારે પ્રસન્ન થયેલો કંચુકી અક્ષય સ્થાનરૂપ પોતાના નિવાસસ્થાનમાં આવ્યો.
इति नृपोऽथ सुषेणमुपादिशत्, बलविरोचन ! रोचनमस्ति चेत् ।
कलयितुं बहलीशितुराहवं, तव तदाव तदात्वममर्त्यकान् ।।५८ ।। ત્યાર બાદ ભરત ચક્રવર્તીએ સેનાપતિ સુષણને કહ્યું, ચતુરંગી સેનામાં સૂર્યસમાન સુષેણ, બાહુબલિ સાથે યુદ્ધ કરવું હિતકારી છે, તો તેના યુદ્ધભૂહને જાણવા માટે તમે તત્કાળ દેવોને ખુશ કરો.
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૭૪