________________
अथवार्षभितेजसां भरे, बलवत्ता किमु चित्रकारिणी ।
जलधेर्लहरीचयोच्चताविषये कोपि न विस्मयो महान् ।।४८ ।। વળી ઋષભદેવના કુળમાં ઉત્પન્ન થયેલી તેજસ્વી વ્યક્તિઓમાં બળવાનપણું હોય એમાં શું મોટું આશ્ચર્ય છે! સમુદ્રના તરંગો ઊંચા ઊછળે એમાં કંઈ વિસ્મય પામવા જેવું નથી.
विनिवेश्य विभुर्निजे पदे, बलिनं त्वां परिभाव्य नाभिसः ।
व्रतमाददिवांस्ततोभवानिह सौभ्रात्रमलूलुपन्न हि ||४९।। નાભિરાજાના પુત્ર ઋષભસ્વામી આપને બળવાન જાણીને પોતાના પદ (સ્થાન) પર સ્થાપિત કરીને દિક્ષિત થયા છે, તેથી આપે બંધુઓના દેશ પર પ્રભુત્વ સ્થાપન કર્યું તેમાં કંઈ પણ બંધુપણાનો લોપ થતો નથી.
प्रणयात् त्वमजूहवस्तरां', निजबन्धुं न स आगतः स्वयम् ।
न च चारपुरोभिमानवाननुनिन्येऽनुनयो हि नेदृशाम् ||५०।। આપે પ્રેમથી પોતાના ભાઈને બોલાવ્યા છતાં તે ન આવ્યા. એ કેટલા અહંકારી છે કે જેમણે દૂતની આગળ પણ મોટાભાઈ તરીકેનો વિનય પણ ન દર્શાવ્યો ? એવા પ્રકારના અહંકારી વ્યક્તિઓ પ્રત્યે આપણે શા માટે નરમાશ રાખવી જોઈએ ?
प्रणयस्त्वयि नाभिभूपसूजननाकाशदिनेश ! यादृशः । न हि तादृश एव बान्धवे, धृतये हि प्रणयो द्विपक्षतः ।।१।। ઋષભદેવના વંશરૂપી આકાશમાં સૂર્યમાન એવા હે સ્વામિનુ! આપનામાં ભાઈ પ્રત્યેનો પ્રેમ છે તેવો પ્રેમ બાહુબલિમાં નથી. પ્રેમ તો ઉભયપક્ષી હોવો જોઈએ. ઉભયપક્ષી પ્રેમથી જ સુખ પ્રાપ્ત થાય છે.
प्रणयामृतवीचिसञ्चयं, स्मयरेणुहृदयस्थलीभवा ।
किल कोपसमीरणोत्थिता, कुरुते म्लानिमपङ्किलं क्षणात् ||५२ ।। હૃદયરૂપી થાળીમાં રહેલી અહંકારરૂપી રજકણો ક્રોધરૂપી પવનથી ઊડેલા પ્રેમરૂપી અમૃતના તરંગોને ક્ષણમાત્રમાં મલિન કરી દે છે.
वसुधेयमपीहते पति, न हि बन्धुप्रणयादिविह्वलम् । प्रणयीह मदीहकः कथं, त्वितरत्रेति तदीयतर्कणात् |५३।। આ પૃથ્વી પણ ભ્રાતૃસ્નેહથી વિહ્વળ બનેલી વ્યક્તિને પોતાના સ્વામી તરીકે સ્વીકારવા ઇચ્છતી નથી. એ પણ વિચારે છે કે જે રાજા બંધુ આદિ સ્વજનોના પ્રેમમાં આસક્ત છે તે મારો પ્રેમી કેવી રીતે બની શકે ?
१. अजूहवस्तराम्-आकारयामासिथ । ૨. ધૃત-ગુણાય | 3. નાભિનં-માનિન્યાય ! ૪. વાસ્ક |
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૦૦