________________
તૃતીય સમૂ
પૂર્વપરિચય :
દૂતની વાણી સાંભળીને બાહુબલિએ અત્યંત કોપાયમાન થઈ દૂતને કહ્યું : “હાથી, ઘોડા, ૨થ કે પાયદળ કોઈનું રક્ષણ કરતાં નથી. એ તો મૂર્ખ મનુષ્યોનો એક આડંબર છે. મારા જેવા શૂરવીરો માટે તો પોતાનું બાહુબળ જ ધરાને ધ્રુજાવવા માટે બસ છે. તારા સ્વામી ભરતની વિજયયાત્રાની પોકળ વાતોનો બકવાસ બંધ કર ! ચાલ્યો જા અહીંથી.' આ પ્રમાણે બાહુબલિનાં તિરસ્કૃત વચનો સાંભળીને દૂત ભયભીત બનીને ધ્રૂજી ગયો. એનું ઉત્તરીય વસ્ત્ર અને પાઘડી નીચે પડી ગયાં. જીવ લઈને એ ત્યાંથી નાઠો. માર્ગમાં બાહુબલિના સુભટોનો વીરતાપૂર્વકનો વાર્તાલાપ સાંભળતો જલદીથી પહોંચી ગયો પોતાના સ્વામી ચક્રવર્તી ભરતના રાજ્યના સીમાડામાં, ત્યારે નગરવાસીઓ તેની વાત સાંભળવા માટે આતુર હતા. મહારાજા ભરત પણ સભામંડપમાં સિંહાસન ઉપર શોભાયમાન થયા. દૂતે પ્રણામ કરીને મહારાજાને બાહુબલિ સંબંધી બધી વાત કરી અને કહ્યું : ‘હે સ્વામિન્ ! આપના નાના ભાઈ બાહુબલિ આપની આજ્ઞા સ્વીકારવા માટે જરાય તૈયાર નથી. મને રાજસભામાંથી કાઢી મૂક્યો.’મહારાજા ભરતે ધૈર્યપૂર્વક દૂતની વાત સાંભળી તેને ઉપહાર આપીને વિદાય કર્યો. આ પ્રમાણે ત્રીજા સર્ગમાં ગ્રંથકાર વિસ્તારપૂર્વક બતાવે છે.
दीप्रदन्तद्युतिज्योत्स्नादीप्तोष्ठाधरपल्लवम् ।
दधानः स्मितमुद्योतमिव पीयूषदीधितिः १ ।।१।।
દૂતની વાણી સાંભળીને ઉજ્જલ દંતપંક્તિની દેદીપ્યમાન કાંતિથી પ્રકાશિત થયો છે અધરપલ્લવ (નીચેનો હોઠ) જેનો આવા બાહુબલિજીના મુખ પર કંઈક સ્મિત ફરક્યું, તે જાણે મુખ ઉપર ચંદ્રનો પ્રકાશ રેલાયો ના હોય !
क्षिपन् गुञ्जारुणे नेत्रे, विद्रुमे इव वारिधिः ।
कोपीवीचिचयोद्रेकात्, स्वदोर्दण्डतटोपरि ।।२।।
બાહુબલિએ લાલ ચણોઠી જેવી બે આંખોનું તેજ પોતાના ભુજાદંડ પર ફેંક્યું, તે જાણે તોફાને ચઢેલા સમુદ્રના તરંગોએ સમુદ્રના તટ પર બે પરવાળાં ફેંક્યાં ના હોય !
अमिमान्तभिवान्तस्तु, बहिर्यातुमिवोद्यतम् ।
धरन् शौर्यककुद्मन्तं, त्रुट्यदङ्गद ेबन्धनः ।।३।।
શૌર્યરૂપી વૃષભને ધારણ કરનારા બાહુબલિના અંતઃકરણમાં તે શૌર્ય સમાતું ન હતું. તેથી તે બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. તેમના પ્રબળ પરાક્રમથી ભુજાઓ ઉપર ધારણ કરેલા બાજુબંધ (કડાં) પણ તૂટું તૂટું થતાં હતાં !
૧. પીયૂષલીપિતિઃ - ચંદ્ર
૨. પર્વ - બાજુબંધ (પૂરમંર્ં લાડુભૂષા - અમિ૦ રૂ।રૂર૬) I
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૩૫