________________
किमत्र चित्रं क्षितिवल्लभाना, जये सुराणामयमप्यजय्यः |
अस्त्येव देवासुरवृन्दवन्द्यः, सतां प्रभावो हि वचोतिरिक्तः ||४६।। મહારાજા ભરતે પૃથ્વી પરના રાજાઓને જીતી લીધા એમાં કંઈ આશ્ચર્ય નથી. પરંતુ એ તો દેવો માટે પણ અજેય છે. એટલું જ નહીં પણ દેવ અને દાનવોના સમૂહને પણ તેઓ નમસ્કરણીય છે. ખરેખર મહાન પુરુષોનો પ્રભાવ વચનાતીત હોય છે.
योऽखण्डषट्खण्डधराधराणां, गौरांशुगौरातपवारणानि ।
हर्तुं यशांसीव नृपः प्रवृत्तः, संवर्तपाथोधिरिवातिरौद्रः ।।४७ ।। પ્રલયકાળના સમુદ્રની જેમ અતિરૌદ્ર સ્વરૂપને ધારણ કરનાર મહારાજા ભરત ભારતવર્ષના છએ ખંડના રાજાઓના ઉજ્જવલ છત્રોને નમાવવા માટે તૈયાર થયા છે.
विद्याधरैराठ्यप्रलङ्घनीयं, गुणैरिवेज्यं सलिलैरिवाब्धिम् ।
गतस्य वैतादयगिरिं नृपस्य, तेजोतिदुःसह्यमभूदिवांशोः ।।४८|| વિનયાદિ ગુણોથી યુક્ત પૂજનીય વ્યક્તિ અને જલથી પરિપૂર્ણ સમુદ્ર જેમ અલંઘનીય છે તેમ વિદ્યાધરોથી સંપન્ન વૈતાઢ્ય પર્વત અલંઘનીય છે, પરંતુ ચક્રવર્તી મહારાજા ભરત જ્યારે વૈતાઢચ પર્વત પર ગયા ત્યારે તેમનો પ્રતાપ સૂર્યની જેમ વિદ્યાધર માટે દુસહ થઈ પડ્યો.
सेनानिवेशा नृपतेरिहास्य, पञ्चाशदासन्नधिकोत्सवाढ्याः । .
तुरङ्गमातङ्गपुरीषसर्गः, कूटानि तन्वन्त इवातनूनि ।।४९ ।। વૈતાઢ્ય પર્વત પચાસ યોજનાના વિસ્તારવાળો હોવાથી ભરત મહારાજાના સૈન્યની છાવણીઓ પણ પચાસ ભાગમાં વહેંચાઈ ગઈ હતી, નિરંતર વધતા ઉત્સાહથી પરિપૂર્ણ એવી છાવણીઓમાં રહેલા હાથી ઘોડાની લાદો (વિષ્ટા)થી જાણે વૈતાઢ્ય પર્વતનાં મોટાં મોટાં શિખરો બની ગયાં હતાં.
तातप्रियापत्यतयाप्रतीतौ, यौ पन्नगेन्द्राननलब्धविद्यौ । मौनं श्रिते स्वामिनि भारताईगिरीन्द्रसंप्राप्तमहर्द्धिराज्यौ ।।५०।। एतस्य सेनाधिपतिं सुषेणं, मार्गे न्यरुद्धामविलङ्घनीयौ ।
रयं तटिन्या इव सानुमन्तौ, प्रसृत्वरं तौ कटकाभिरामौर ||५१।। પૂજ્ય પિતાજી ઋષભદેવના પ્રિય પૌત્રો તરીકે પ્રસિદ્ધિને પામેલા કચ્છ-મહાકચ્છના પુત્રો નમિ અને વિનમિ, જ્યારે ઋષભદેવ પ્રવજિત થઈને મૌનપણે વિચરી રહ્યા હતા, ત્યારે દાદા પાસેથી રાજ્યની માગણી કરવા આવેલા, તે યુગાદિ દેવની સેવામાં નિરંતર તત્પર એવા નમિ-વિનમિને જોઈને પ્રસન્ન થયેલા ધરણેન્દ્ર અડતાલીશ (૪૮) હજાર વિદ્યાઓ સહિત વૈતાઢ્ય પર્વતના દક્ષિણ શ્રેણિ અને ઉત્તર શ્રેણિ એમ બે ભાગ કરીને બન્ને ભાઈઓને વૈતાઢ્ય પર્વતના રાજ્ય ઉપર પ્રતિષ્ઠિત કરેલા. વિદ્યાઓથી અધિષ્ઠિત એવા મહાન સામ્રાજ્યના સ્વામી નમિ-વિનમિએ આગળ વધતી ભરત ચક્રવર્તીની ૧. દુષ્ય-પૂ I २. नमिविनमिपक्षे-कटकं-सैन्यं, तेन अभिरामौ-मनोहरौ । पर्वतपक्षे-कटका - अद्रिनितंबा, तेन अभिरामौ-मनोहरौ ।
શ્રી ભરતબાહુબલિ મહાક્ષત્રમ્ ૦ ૨૬