________________
મહારાજના ઇંગિત આકારને સમજનાર અને પોતાના આચારમાં ચુસ્ત હોય તેમ વૃષભોથી જોતરાયેલા રથોની શ્રેણી સારથિથી ખેંચાતી ક્રમબદ્ધ પૃથ્વી પર ચાલતી હતી.
रथैरथाङ्गध्वनिबन्धबन्धुरै - श्चलदभिरावासवरैरिवोरुभिः ।
स कौतुकाकूतविलोलमानसः, प्रहृष्टदृष्टिर्नगरीमवाप सः ||५१।। ' વળી ક્રમસર ચાલતા વિશાળ રથોની ઘૂઘરીઓના મંજુલ સ્વરથી શોભતા રથો તે જાણે હરતાં ફરતાં શ્રેષ્ઠ આવાસો (ઘર) ના હોય ! તેવા પ્રકારના રથોને જોવાથી મનમાં અનેક પ્રકારના અભિપ્રાયો બાંધતો કુતૂહલપ્રિય દૂત હર્ષથી વિકસિત નેત્રોવાળો થયો અને તક્ષશિલા નગરીમાં પહોંચ્યો.
चरः पुरस पूपरिखां पयोभृतां, विलोक्य पाथोधिरयं किमागतः | निषेवितुं बाहुबलिं बलात् स्वयं, निजां श्रियं रक्षितुमित्यचिन्तयत् ।।५२।। દૂતે નગરીમાં જતાં આગળ પાણીથી ભરેલી ખાઈ જોઈને વિચાર્યું કે સાક્ષાત્ સમુદ્ર બાહુબલિની સેવા માટે સ્વયં ઉપસ્થિત થયો લાગે છે, અથવા સૈન્યથી પોતાની લક્ષ્મીની રક્ષા કરવા માટે સમુદ્ર આવ્યો લાગે છે.
चरसरत्नस्फटिकाश्मभित्तिकं, विलोक्य वप्रं त्विममूहमातनोत् । श्रियं पुरा वीक्षितुमात्मनः क्षिता - वयं किमादर्शवरः प्रकल्पितः ।।५३।। મણિરત્નોથી યુક્ત સ્ફટિકના પથ્થરોથી બનાવેલ ગઢ શોભે છે એ જોઈને દૂતે વિચાર્યું આ નગરીએ પોતાની શોભા જોવા માટે પૃથ્વી પર દર્પણોની સુંદર રચના કરી ના હોય !
अथो पुरीद्वारमवाप्य संकुलं, स्थद्विपाश्चैः स कथंचिदासदत् । । प्रवेशमावेश इवान्तराशयं, ततक्षमं योगभृतां स विस्मयः ||५४।। નગરીનો દરવાજો વિશાળ હોવા છતાં, રથો, હાથીઓ અને અશ્વોની અવરજવરથી સંકીર્ણ થયેલા દરવાજામાં દૂતે જેમ ક્ષમાશીલ યોગીઓના હૃદયમાં ક્રોધનો પ્રવેશ દુષ્કર હોય છે તેમ મહામુશ્કેલીથી નગરીના દરવાજામાં પ્રવેશ કર્યો.
पुरोन्तरं प्राप्य तटं पयोनिधे - रिवोरुमुक्ताफलरत्नराजितम् ।
चरो दृशं दातुमभूमन्न तु क्षमो, गजाश्वसंघट्टभयात् सवेपथुः ।।५५।। મુક્તાફળો (મોતીઓ) ને રત્નોથી સુશોભિત એવો નગરનો મધ્યભાગ સુંદર હતો. તે સમુદ્રના તટની જેમ અત્યંત વિશાળ હોવા છતાં હાથીઓ અને ઘોડાઓની અથડામણના ભયથી કંપિત થયેલો દૂત જોવા માટે પણ અસમર્થ બન્યો.
इहापणश्रेणिभिरदभुतश्रिया, मनोरमाभिः कृतलोचनोत्सवः । चतुष्करमागाद् बहुवस्तुसंचय - प्रपातदुःप्रापधरातलं त्वसौ ।।५६ ।।
૧. સર્વપશુ–સવમ્યઃ | ૨. ચતુ-ચૌટાબજાર - (વનુષ્ય તુ
થાને રતુ-ગામ૪/૫૨)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૧૨