________________
इत्युक्ता मुदिताश्चक्रिसूनवोऽन्येऽपि दोर्भृतः ।
कथञ्चन त्रियामां तामतीत्येयू रणक्षितिम् ।। १०१ । ।
એ સાંભળીને ચક્રવર્તીના બીજા પુત્રો તેમજ વીર સુભટો પ્રસન્ન થયા અને રાત્રિ જેમ તેમ પૂરી કરીને સવારે બધા રણભૂમિમાં આવી ગયા.
सन्नद्धाः शस्त्रसंपूर्णा, भटा बाहुबलेरपि ।
अवतेरु रणक्षोणी, चन्द्रकन्यामिव द्विपाः ||१०२ ||
બાહુબલિના પણ વીર સુભટો શસ્ત્રોથી સંપૂર્ણપણે સજ્જ થઈ, જેમ હાથી નર્મદા નદીમાં ઊતરે તેમ, રણભૂમિમાં ઊતરી આવ્યા.
सैन्ये सूर्ययशाः सूर्यो, व्यराजत रथस्थितः ।
તમાંશીવાવૃિન્હાનિ, નાશયનું નિખતેનસા ||૧૦રૂ||
૨થ પર આરૂઢ થયેલા સૂર્યયશા સૂર્યની જેમ રણભૂમિમાં શોભતા હતા. સૂર્ય પોતાના પ્રચંડ તેજથી અંધકારનો નાશ કરે તેમ સૂર્યયશા શત્રુસમૂહનો નાશ કરી રહ્યા હતા.
भ्रातरः कोटिशस्तस्य, शार्दूलाद्याः पुरोऽभवन् ।
क्षत्रियक्षेत्रसंप्राप्तजन्मशौर्याङ्कुरा इव ।। १०४ ।।
ક્ષત્રિયના શરી૨માં જન્મથી જ જેમ શૌર્યના અંકુરો પ્રગટે તેમ રણભૂમિમાં શાર્દૂલ આદિ કરોડો ભાઈઓ સૂર્યયશાની આગળ આવી ગયા.
विद्याधरधरेन्द्रौ ताववग्राहाविवोद्धतौ ।
चक्रभृद्ध्वजिनीवृष्टिध्वंसाय पुनरागतौ ।।१०५ ।।
વિદ્યાધરોના અધિપતિ વીર પરાક્રમી મિતકેતુ અને સુગતિ તે બન્ને વંટોળિયાની જેમ ચક્રવર્તીની સેનારૂપી વૃષ્ટિનો ધ્વંસ કરવા માટે ફરીથી રણભૂમિમાં આવી ગયા.
हस्तार्पितधनुर्बाणो, मितकेतुर्नभश्चरः ।
आरौत्सीत् सूर्ययशसं, मनोभूरिव शंवरम् ||१०६ ।।
જેમ કામદેવ પોતાના શત્રુ શંવરને રોકે તેમ ધનુષ્યબાણને ધારણ કરનારા મિતકેતુ વિદ્યાધરે સૂર્યયશાને રોકી રાખ્યા.
विद्याभृत् सुगतिस्तद्वच्छार्दूलमरुधत् ततः ।
आसीद् युद्धं तयोर्घोरं विस्मायितसुरासुरम् ||१०७ ।।
"
વિદ્યાધર સુગતિએ પણ શાર્દૂલને તેવી જ રીતે રોકી રાખ્યો એ બન્ને વચ્ચેના યુદ્ધથી દેવ અને દાનવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
૧. વાળન્યા-નર્મદાનદી
૨. શંવરઃ-કામદેવનો શત્રુ (અરી શંવરપૂર્વી - અમિ॰ ૨૦૧૪૨)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૨૧