________________
कीर्त्तिनिर्जरवहा' तव राजन्!, विष्टपत्रितयपावनदक्षा ।
राजहंसरचिताधिकहर्षा, वाहिनीरमणतीरगमित्री ।। ४४ ।।
હે રાજન, ત્રણે લોકને પવિત્ર કરવામાં દક્ષ અને શ્રેષ્ઠ રાજાઓરૂપી રાજહંસોથી શોભતી એવી આપની કીર્તિરૂપી ગંગા નદી સમુદ્રને મળવા માટે જઈ રહી છે.
त्वत्प्रतापदहने त्वदरीणां भस्मसादिह यशांसि भवन्ति ।
स्वेच्छयाऽति यशोनवयोगी, भस्मना वपुरनेन विलिप्य ।। ४५ ।।
હે દેવ ! આપના પ્રતાપરૂપી અગ્નિમાં આપના શત્રુઓનો યશ ભસ્મીભૂત થઈ ગયો છે. તે ભસ્મને આપના યશરૂપી યુવાનયોગી શરીર પર લગાડીને સ્વેચ્છાએ ત્રણે જગતમાં ફરી રહ્યો છે.
व्यानशे तव यशश्चतुराशा, वाहिनीशितुरिवाम्बु विवृद्धमू ।
तत्र सेतवति कोपि न राजा, मार्गणा रस्त्वनिमिषन्तिनितान्तम् ।।४६।।
હે સ્વામિન્, આપનો યશ સમુદ્રમાં આવેલી ભરતીની જેમ ચારે દિશામાં ઊછળી રહ્યો છે. તેના પર બંધ (પુલ) બાંધવા માટે આપનો કોઈપણ શત્રુ રાજા સમર્થ નથી. અને તે યશરૂપી સમુદ્રમાં નિરંતર યાચકોરૂપી અસંખ્ય માછલીઓ તરી રહી છે.
देव ! चन्द्रति' यशो भवदीयं सांप्रतं क्षितिभुजामितरेषाम् ।
तारकन्ति च यशांसि कृतित्वं तत्तवैव न हि यत्र कलङ्कः ।।४७ ।।
હે નાથ, આપનો ઉજ્જ્વળ યશ ચન્દ્રની જેમ નિર્મળ કાંતિવાળો છે, જ્યારે બીજા રાજાઓનો યશ તારાઓની જેમ ટીમ-ટીમ તેજવાળો છે. આપના યશરૂપી ચંદ્રમાં કોઈપણ પ્રકારનું કલંક નથી એ જ આપની પવિત્રતાનું સૂચન કરે છે.
त्वामपास्य सकलार्थदहस्तं योत्र विह्वलतया श्रयतेऽन्यम् ।
दुर्मतिः स हि सुधाब्धिमपास्ता, शुष्यदम्बुसरसि स्थितिमान् यः । ।४८ ।।
હે દેવ, સકલ વસ્તુને આપનારા આપના પવિત્ર હાથને છોડીને વિહ્વળ બનેલો જે કોઈ દુર્મતિ બીજાનો આશ્રય લે છે તેણે ખરેખર ક્ષીરસમુદ્રને છોડીને સૂકા તળાવનો આશ્રય લીધા બરાબર છે. को गुणस्तव स येन निबद्धा, राजराज ! चपलापि जयश्रीः । नान्यमेव भवतश्च वृणीतेऽतस्त्वदीयसुभगत्वमिहेड्यम् ।।४९ ।।
હે સ્વામિન્, આપમાં એવો કયો આકર્ષિત ગુણ જેનાથી બંધાયેલી ચંચળ એવી વિજયલક્ષ્મી આપને છોડીને બીજા કોઈને વરતી નથી ! આ વિષયમાં હું માનું છું કે આપની ૫૨મ સૌભાગ્ય જ ભાગ ભજવી રહ્યું છે.
૧. નિર્ણવજ્ઞા-ગંગા
૨. સેતવતિ-પાનિવનાપતિ !
રૂ. માર્શન-યાચક (માર્જોએ યાવનઃ - અમિ૦ રૂ।પુર)
૪. અનિમિત્તિ-મીનવલાપતિ ।
૬. ચન્દ્રતિ-ચન્દ્રવલાપતિ ।
૬. તાત્તિ-તારાવવાપત્તિ । ૭. ફચમ્-સ્તોતવ્યમ્ ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૮૮