SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક - આચારસંહિતા સત્યનું દર્શન થઈ શકે નહીં. અહથી જેનું પાત્ર ખાલી થઈ ગયું હોય તેના પાત્રમાં ગુરુ જ્ઞાનનું સિંચન કરી શકે અને તો જ તે ટકે. વિનયનો વાસ્તવિક અર્થ છે અંદરથી ખાલી થઈ જવું. અહંથી જે મુક્ત થઈ શકે તે જ ગુરુનાં ચરણોમાં મૂકી શકે. તીર્થકરોએ પ્રરૂપેલ મોક્ષમાર્ગનું જ્ઞાન આપનાર ગુરુની સમક્ષ જે ખૂકી શકતો નથી તે સાધનામાં ક્યારેય આગળ વધી શકતો નથી. તેણે મેળવેલ જ્ઞાન પણ વિફલ નીવડે છે. | વિનયપ્રાપ્તિ માટે ચાર બાબતો મહત્ત્વની છે. એક તો ગુરુને પૂર્ણ સન્માનથી બરોબર સાંભળવા. ત્યાર પછી ગુરુએ કહેલી વાત ઉપર વિચાર કરવો. વિચાર કર્યા પછી ગુરુની વાતનો સ્વીકાર કરવો અને પછી ગુરુની આજ્ઞાનું પાલન કરવું. આ બધી બાબતો મનમાં કયારે કરી શકે? જે પોતાના મનને આગ્રહથી મુક્ત રાખે છે તે જ આ રીતે વિનયનું સંપાદન કરી શકે. આમ જોઈએ તો આ બધી બાબતો એકબીજા સાથે સંલગ્ન છે. જે ગુરુની વાત ધ્યાનથી સાંભળી શકતો નથી તે તેનો સ્વીકાર કેવી રીતે કરી શકવાનો? વાત નાની લાગે છે પણ ખૂબ મહત્ત્વની છે. લોકો ગુરુને તો શું પણ પરસ્પરનેય સાચા અર્થમાં ભાગ્યે જ સાંભળે છે. કહેનારનો એક શબ્દ કાને પડ્યો નથી ત્યાં તો પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. શ્રવણ કરવું એ મહત્ત્વનું છે એટલું જ નહીં પણ તે ખૂબ ઉપકારક છે. સાંભળવાની ક્ષમતા બહુ ઓછા માણસો પાસે હોય છે. શ્રાવક’ શબ્દનો એક અર્થ એ પણ છે કે જે સારી રીતે સાંભળી શકે છે. સાંભળ્યા પછી વિચારની વાત આવે અને વિચાર પછી સ્વીકારવાની વાત આવે. જો ગુરુની વાત સ્વીકારવામાં ન
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy