SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા વંદન : સામાયિક સધાયા પછી સ્વાભાવિક છે કે સામાયિક ધર્મની પ્રાપ્તિ કરાવનાર તીર્થકરોની સ્તુતિ થાય. તીર્થકરોએ પ્રરૂપેલા ધર્મની સાથે જોડનાર તો ગુરુ ભગવંતો છે. તેથી ચતુર્વિશતિ સ્તવ પછી ગુરુની વંદના થાય. આગળના આવશ્યક પ્રતિક્રમણમાં ગુરુની સમક્ષ આલોચના લેવાની હોય છે. કરેલાં દુષ્કૃત્યોનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસેથી લેવાનું હોય છે. જે ગુરુને વંદન ન કરે તે આલોચનાના અધિકારી કેવી રીતે થઈ શકે? જે ભાવપૂર્ણ આલોચન કરવા ઇચ્છે તેનું મસ્તક તો આપોઆપ ગુરુના ચરણમાં મૂક્યા વિના રહે નહીં. આમ આવશ્યક’ના કમમાં ગુરુવંદન યથાયોગ્ય સ્થાને ગોઠવાયેલું છે. ગુરુવંદન સાથે વિનય ગુણનું અનુસંધાન થયેલું છે. વિનય વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. આરાધના માર્ગમાં વિનય - ગુરુ પ્રત્યેનો વિનય પ્રથમ પગથિયું છે. વિનય એ કંઈ વ્યવહાર નથી. આપણે તો વિનયને વાણીના વ્યાપક કે બહુ થાય તો થોડાક બાહ્ય વંદનથી વધારે સમજ્યા જ નથી. વિનય અંદરથી ખાલી થયા વિના આવે નહીં અને અંદરથી ખાલી થયા વિના ગુરુની શિક્ષા અધ્યાત્મનું જ્ઞાન અંદર ઊતરે કેવી રીતે? વિનય એ આંતરિક બાબત છે. વિનયપૂર્વકનો વ્યવહાર કોઈના પ્રતિ હોય પણ વિનય કોઈના પ્રત્યે ન હોય. વિનયની નિષ્પત્તિ તો આંતરિક નિષ્પત્તિ છે. વિવેક તો વિનયની અંતર્ગત છે. અંતરમાં અહં હોય ત્યાં સુધી વિનયનું નિર્માણ ન થઈ શકે. આપણે તો અહંથી છલોછલ ભરાયેલા છીએ. આપણો સમગ્ર વ્યવહાર “અહંની પ્રક્રિયા કે પ્રતિક્રિયા સિવાય બીજું કંઈ જ નથી; અને અહંનો પડદો ઉઠાવ્યા વિના
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy