SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જેન આચાર મીમાંસા ભાષાવર્ગણાના પરમાણુઓ ગ્રહણ કરીએ છીએ. અને તેનો ઉપયોગ કરી છોડી દઈએ છીએ. એ જ રીતે મન પણ સંકલ્પવિકલ્પ માટે જરૂરી મનોવર્ગણાના પરમાણુઓ કાયાથી જ ગ્રહણ કરે છે અને તેનો ઉપયોગ કર્યા પછી તેનું વિસર્જન કરી નાખે છે. તેથી સામાયિક સાધવા માટે સૌ પહેલાં શરીરને સાધવાનું છે. શરીરને સ્થિર રાખો, હલન-ચલન અલ્પતમ રાખો, શ્વાસ પણ મંદ કરી નાખો. એક જ સ્થાન ઉપર એક જ આસનમાં રહો. જૈન ધર્મમાં જે સાધુચર્યા બતાવી છે તેમાં ત્રણ ગુપ્તિ (મન, વચન અને કાયાની) અને પાંચ સમિતિને અષ્ટ પ્રવચનમાતા કહી છે. સામાયિકમાં શ્રાવક પણ બે ઘડી માટે સાધુચર્ચામાં આવી જાય છે અને તેણે પણ સામાયિક સાધવા માટે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું પાલન કરવું રહ્યું. એ પાલન પૂર્ણ રીતે ન થાય તો છેવટે વધારેમાં વધારે થાય એટલું તો લક્ષ્ય રાખવું રહ્યું. કાયા-શરીર સ્થિર થતાં સામાયિકનું પ્રથમ પગલું ભરાય છે. પછી વાણીનું મૌન સાધવાનું અને મનના વિકલ્પોને ઓછા કરતાં કરતાં છેવટે વિકલ્પરહિત થઈ જવાનું. - જૈન સાધુઓને મુનિ કહેવામાં આવે છે. મુનિ શબ્દનું પ્રયોજન ખૂબ જોઈ વિચારીને કરવામાં આવ્યું છે. જેની આરાધના મૌનની છે - તે મુનિ. મૌન એટલે ફકત વાણીનું મૌન નહીં. બધી જ ઇન્દ્રિયોના વિષયો તરફનું મૌન. વિષયો તરફનું મૌન કષાયોની હાજરીમાં સધાય નહીં. ક્રોધ, માન, માયા, લોભ જ્યાં સુધી અંદર જાગતા પડ્યા હોય ત્યાં સુધી મન કેવી રીતે વિકલ્પરહિત થાય? મન વિકલ્પરહિત ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં મૌન થાય જ
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy