SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ છ આવશ્યક - આચારસંહિતા છે – સાધ્ય નથી. શરૂઆતમાં કોઈ ભલે મંત્રનો ઉપયોગ કરે કે ધર્મશાસ્ત્રોના ગ્રંથોનો અભ્યાસ સામાયિકમાં કરે. અંતિમ લક્ષ્ય નજરમાં રાખીને કોઈ પણ શુભ આલંબન લેવાનો નિષેધ છે જ નહીં. આટલે ઊંચે નહીં પહોંચાય એમ કરીને કોઈ ચડે જ નહીં. તેના કરતાં કોઈ આલંબનને ટેકે ચડવાની જે શરૂઆત કરે છે તે કોઈ દિવસ વિના આલંબને પણ આગળ ચડવાનો. ઘણી વાર તો સિદ્ધિ થતાં આલંબનો આપોઆપ પણ છૂટી જાય છે. એક વાર આગળ વધવા માંડ્યું કે તુરત જ વિશ્વાસ વધશે. સંકલ્પ થતાં શક્તિનો સંચાર થવા લાગશે અને મહાવરો વધતાં પગ નહીં ડગમગે. પછી આ ભવે નહીં તો છેવટે નિકટના ભાવોમાં પણ આખરી મંજિલ ઉપર પહોંચી જવાશે. અનંત ભવોના ભ્રમણમાં બે-ચાર કે આઠ ભવોનો હવે શો હિસાબ? પણ પૂછવાથી માર્ગ ન કપાય, ચાલતા રહેવાથી જ માર્ગ કપાય અને મંજિલ નજીક આવતી જાય તે ક્યારેય ન ભૂલવું જોઈએ. સામાયિકની સાધના માટે ત્રણ ચીજો મહત્વની છે. પ્રથમ મનને વિકલ્પોથી ખાલી કરી નાખવાનું બીજી વાત છે મૌન સાધવાની અને ત્રીજી વાત છે શરીરની અલ્પતમ ઉપયોગ કરવાની અને તેને સ્થિર રાખવાની. ટૂંકમાં, મન-વચન અને કાયાના યોગોને અંદરની તરફ સંહરવાની વાત છે. આ યોગોની અલ્પતા એટલે સિકુડાવાની - સંકોચાવાની પ્રક્રિયા. આપણી સઘળી પ્રવૃત્તિઓની અંતર્ગત ત્રણ વાતો રહેલી છે. કંઈ લેવાનું પછી તેનું કોઈ સ્વરૂપે પરિણમન કરવાનું અને પછી તેનું વિસર્જન કરવાનું. આમ તો કાયાનો યોગ જ મૂળભૂત યોગ છે. કાયા દ્વારા આપણે વચનને યોગ્ય
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy