SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ છ આવશ્યક આચારસંહિતા ૫૫ નહીં. વાણીરહિતતા - કંઈ ન બોલવું - એ તો બાહ્ય મૌન છે. અત્યંતર મૌન વિના સાચા અર્થમાં મૌનની નિષ્પત્તિ જ શક્ય નથી. આમ સામાયિક સાધવા માટે શરીર સ્થિર-શિથિલ, વાણીનું મૌન – વચનરહિતતા અને વિકલ્પ વગરનું મન; - આ ત્રણેય બાબતો ખૂબ મહત્ત્વની છે. જેમ જેમ મહાવરો વધતો જશે તેમ તેમ શાંતિ - પરમશાંતિ ઘટિત થતી જશે અને આનંદનું અવતરણ થશે. આવું સામાયિક સાધવા માટે શરૂમાં કોઈ પણ શુભનું આલંબન લેવું પડે, તો તેમ કરતાં અચકાવું નહીં અને સામાયિક ઓછું સધાય તો નિરાશ ન થવું. સામાયિકની સાધનામાં આગળ ઉપર સપાટ ભૂમિ પણ આવે છે જ્યાં સાધકને આલંબનની જરૂર નથી રહેતી અને આલંબન આપોઆપ છૂટી જાય છે. આલંબનની પૂર્વશરત એટલી છે કે તે નિરવઘ એટલે હિંસા વિનાનું અને શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ અવસ્થાની વાત, દેવ - સેવા, મંત્ર - જાપ, પ્રતિક્રમણ ઇત્યાદિ ક્રિયાઓથી દૂર રહેવાની વાત ખૂબ રોચક લાગે છે અને લોકોમાં જલદીથી સ્વીકાર્ય બની જાય છે કારણ કે તેમાં કંઈ કરવાનું નથી હોતું. પણ તેનું મોટું ભયસ્થાન એ છે કે તે સાધકને ભ્રમમાં નાખી શકે છે. આ માર્ગ ઉપર સૌએ પોતપોતાના ભોમિયા થવાનું છે. અન્યથી છેતરાયેલાનો તો ક્યારેક પણ ઉધ્ધાર થવાની શક્યતા ખરી, પણ પોતાની જાતથી છેતરાયેલો ક્યાં જઈને અટકે તે કહેવાય નહીં. - આમ સામાયિકની સાધના પૂર્ગની પ્રાપ્તિની સાધના છે. એ કષાયમુક્તિની સાધના છે. સામાયિક પરમ શાંતિમાં. આત્માની અનંત સંપદામાં સ્થિર થવાની સાધના છે. એક
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy