SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૩૩ થી ૧૪૧......... અધ્યાત્મમત પરીક્ષા • • • • • • • • • , , , , , , , , , ,૬૬૬ ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે પ્રતિજ્ઞાતના ભંગથી પ્રતિજ્ઞાતના ભંગનો વ્યવહાર થઈ શકે, અને પ્રતિજ્ઞાના ભંગથી પ્રતિજ્ઞાના ભંગનો વ્યવહાર થઈ શકે, તેથી શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞાને માનશો તો કેવલજ્ઞાનથી તેના ભંગનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય - “પ્રતિસાયા:' શબ્દોચ્ચારરૂપ પ્રતિજ્ઞાનું અથવા તો શબ્દના વિકલ્પરૂપ પ્રતિજ્ઞાનું = શબ્દને અવલંબીને જાવજીવ સુધી આ જ રીતે જીવીશ એવી વિકલ્પરૂપ પ્રતિજ્ઞાનો, ત્યારે જ ભંગ થાય છે. ભાવાર્થ - શબ્દોચ્ચારરૂપ પ્રતિજ્ઞાનો પ્રતિજ્ઞા ગ્રહણના ઉત્તરકાળમાં જ ભંગ થાય છે, કેમ કે ઉચ્ચરિત શબ્દ બીજી ક્ષણમાં નાશ પામે છે, અને તે શબ્દને અવલંબીને થનારો શ્રુતનો વિકલ્પ પણ ત્યાર પછી થનાર અન્ય અન્ય જ્ઞાનના ઉપયોગ દ્વારા નાશ પામે છે. તેથી પ્રતિજ્ઞાના ભંગથી પ્રતિજ્ઞાભંગનો વ્યવહાર નથી, પરંતુ પ્રતિજ્ઞાતના ભંગથી પ્રતિજ્ઞાભંગનો વ્યવહાર છે. ટીકાર્ય - તિહિં જો પ્રતિજ્ઞાતના ભંગથી જ પ્રતિજ્ઞાના ભંગનો વ્યવહાર હોય તો, પ્રતિજ્ઞાનું કોઈ પ્રયોજન નથી. (પરંતુ) પ્રતિજ્ઞાત જ અર્થાત્ પ્રતિજ્ઞાત એવી આચરણા જ વિજય પામો, અર્થાત્ પ્રતિજ્ઞાત એવી આચરણામાં જયત્ન કરવો જોઇએ, પણ પ્રતિજ્ઞામાં યત્ન કરવાનું કાંઇ પ્રયોજન નથી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે તો, તેના - નિવારણરૂપે સંપ્રદાયપક્ષી કહે છે કે, એ પ્રમાણે ન કહેવું. કેમ કે પ્રધાન એવા સંયમમાં પ્રતિજ્ઞાનું પણ અંગપણું છે. ભાવાર્થ સંયમ બે પ્રકારનું છે. એક પ્રકારનું મરુદેવાદિને પકાયના પાલન માટેના કોઇયત્ન વગર સર્વપરપદાર્થોથી પોતાનો આત્મા પૃથફ છે આવા પ્રકારના તત્ત્વના પર્યાલોચનથી આત્માના જ સમતાના ભાવોમાં યત્નરૂપ સંયમ પ્રાપ્ત થયેલ છે, જે પ્રધાનસંયમ નથી. કેમ કે ભગવદુપદિષ્ટ ષકાયના પાલનથી નિષ્પન્ન થયેલ જે સંયમ છે તે જ મુખ્યરૂપે યત્નનો વિષય બધા માટે થઈ શકે છે. પરંતુ ક્વચિત્ ષકાયના બોધ વગરના પણ પરમ સમતામાં યત્નવાળાં થાય છે ત્યારે, સમતાના પરિણામરૂપ સંયમ પ્રાપ્ત થાય છે. તેમાં પ્રતિજ્ઞા અંગરૂપ નથી, પરંતુ ષકાયના પાલનને અનુકૂળ યત્નરૂપ પ્રધાનસંયમમાં પ્રતિજ્ઞાનું પણ અંગાણું છે. અર્થાત્ પ્રધાનસંયમનું પાલન જે સમતાના પરિણામ દ્વારા નિર્જરાને પેદા કરે છે, તેની પ્રાપ્તિમાં સહાયક અંગરૂપ પ્રતિજ્ઞા છે. માટે પ્રતિજ્ઞાપૂર્વકના પ્રતિજ્ઞાતના સેવનથી જે ફળ નિષ્પન્ન થાય છે તે ફળની પ્રાપ્તિ પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા વગર પ્રતિજ્ઞાતનું સેવન કરે તો પણ તેનાથી થાય નહિ. ટીકાઈ- મત મુવ' આથી કરીને જ = પ્રધાનસંયમને પોતાની કાર્યની નિષ્પત્તિમાં પ્રતિજ્ઞાનું અંગપણું હોવાને કારણે જ, તેના ફળ વડે જ = પ્રતિજ્ઞાના ફળ વડે જ, આની = સંયમની, ફળવત્તા છે. ભાવાર્થ પ્રતિજ્ઞા કરનારનો આશય પ્રતિજ્ઞાનાપાલન દ્વારા નિર્જરારૂપ ફળની અપેક્ષા રાખે છે. નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય તો જ સંયમની ફળવત્તા છે, કેમ કે પ્રતિજ્ઞાથી નિષ્પાદ્ય જે ફળ છે તે પ્રાપ્ત ન થાય તો સંયમનું કોઈ
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy