SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અધ્યાત્મમતપરીક્ષા ગાથા : ૧૩૩ થી ૧૪૧ સ્વીકારે અને ઉપસર્જનરૂપે તેના વડે ક્રિયાનો પણ સ્વીકાર થવો જોઇએ. તેથી જેમ વ્યવહારનય ભાવધર્મને ગૌણરૂપે સ્વીકારે છે, અને ક્રિયાને મુખ્યરૂપે સ્વીકારે છે, તેથી તે પંચસાક્ષિક છે; તે જ રીતે ભાવધર્મને સ્વીકારનાર નિશ્ચયનયે પણ ગૌણરૂપે ક્રિયાનો સ્વીકાર કરીને ભાવધર્મને પણ પંચસાક્ષિક માનવો જોઇએ, આત્મમાત્રસાક્ષિક નહિ. તેથી કહે છે – ટીકાર્ય :- ન હિ નિશ્ચયો - નિશ્ચય વ્યવહારને અનુસરતો નથી, પરંતુ વ્યવહાર જ વ્યવહાર અને નિશ્ચયને અનુસરે છે એ પ્રકારે વસ્તુસ્થિતિ છે ભાવાર્થ :- નિશ્ચયનય ફક્ત ભાવને જ ધર્મરૂપે માને છે, ક્રિયાને ઉપસર્જન = ગૌણરૂપે, પણ ધર્મ તરીકે નિશ્ચયનય સ્વીકારતો નથી. તેથી જ તેને અભિમત એવો ભાવધર્મ આત્મમાત્રસાક્ષિક છે. વળી પ્રતિજ્ઞારૂપ વ્યવહાર, ક્રિયારૂપ વ્યવહારને અનુસરે છે અને ભાવરૂપ નિશ્ચયને અનુસરે છે. તેથી વ્યવહારનય ભાવપૂર્વકની ક્રિયાને ધર્મરૂપ કહે છે. તેથી જ વ્યવહારને અભિમત એવો ધર્મ આત્મસાક્ષિક અને પરસાક્ષિક છે, જ્યારે નિશ્ચયને અભિમત ધર્મ ફક્ત આત્મમાત્રસાક્ષિક છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. ઉત્થાન :- પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ ‘યાવîીવમેવ’ એ પ્રમાણે સાવધારણ પ્રતિજ્ઞાની સંગતિ માટે પ્રતિજ્ઞાને શ્રુતસંકલ્પરૂપે સ્વીકારી, અને આવશ્યકનિયુક્તિના વચનથી શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞા ભાવપૂર્વક ક્રિયાવિષયક છે એમ સ્થાપન કર્યું. અને તેનાથી સિદ્ધમાં ભાવપૂર્વકની ક્રિયારૂપ ચારિત્ર નથી, તેથી સાવધા૨ણ પ્રતિજ્ઞા હોવા છતાં સિદ્ધમાં આત્મપરિણામરૂપ ચારિત્ર સ્વીકારીએ તો પણ પ્રતિજ્ઞાભંગનો પ્રસંગ નથી તેમ કહ્યું. તેની સામે સિદ્ધાંતપક્ષી ‘અથ’થી કહે છે – ટીકા :- અથ પ્રતિજ્ઞાયા: શ્રુતસદુત્ત્વપત્યે જેવલજ્ઞાનાત્ હુતો ન તત્ત્વઙ્ગ:? કૃતિ ચૈત્? ન, प्रतिज्ञातभङ्गाऽभङ्गाभ्यामेव तद्भङ्गाऽभङ्गव्यवहारात्, प्रतिज्ञायाः शब्दोच्चाररूपायास्तद्विकल्परूपाया वा तदानीमेव भङ्गात्। 'किं तर्हि प्रतिज्ञया ? प्रतिज्ञातमेव विजयतामिति चेत् ? न, प्रधाने संयमे प्रतिज्ञाया अप्यङ्गत्वात्। अत एव तत्फलेनैवास्य फलवत्तेति, न च व्यङ्गं कर्म फलवदिति तस्यास्तत्रोपयोग इति । वस्तुतः प्रतिज्ञातभङ्गे शिष्टाचारविरोधेन शङ्काजनकतयैव वेषादिवत् प्रतिज्ञाप्युपयोगिनी, प्रतिज्ञातेऽप्रमादेन प्रवृत्तिजनकोत्साहानुगुणतया चेति । દૂર અહીં ગાથા – ૧૩૬ની ટીકા પૂર્ણ થાય છે. ટીકાર્ય :- ‘અથ’ પ્રતિજ્ઞાનું શ્રુતસંકલ્પપણું માનવામાં કેવલજ્ઞાનથી તેનો=પ્રતિજ્ઞાનો, કેમ ભંગ નહિ થાય? અર્થાત્ થશે. તેના નિવારણરૂપે સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે (શ્રુતસંકલ્પરૂપ પ્રતિજ્ઞાના ભંગથી પ્રતિજ્ઞાભંગનો વ્યવહાર નથી, પરંતુ) પ્રતિજ્ઞા દ્વારા પ્રતિજ્ઞાત એવું જે કૃત્ય છે, તેના ભંગ કે અભંગ દ્વારા જ પ્રતિજ્ઞાના ભંગ અને અભંગનો વ્યવહાર છે. તેથી કેવલીને પણ તે વખતે શ્રુતસંકલ્પ નહિ હોવા છતાં પ્રતિજ્ઞાત એવી સમ્યક્ આચરણા ત્યાં હોય જ છે, માટે પ્રતિજ્ઞાનો ભંગ નથી.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy