SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬. . • • • . અધ્યાત્મમત પરીક્ષા ....... ગાથા ૧૩૩ થી ૧૪ ટીકા - ગણ ક્રિયાપ વારિત્રી જ રેમવાદનુયત્વે તથા મનુષ્યશારીરત્રસંવિસંમવવી, आत्मपरिणामरूपत्वे तु तस्य तथात्वप्रसङ्गः, ज्ञानादिवदात्ममात्रापेक्षिणस्तस्य देवभवानुगामित्वसंभवात् इति चेत्? न, देवभवोत्पत्तिसमयोदितचारित्रमोहनीयकर्मणाऽऽत्मपरिणामरूपस्यापि चारित्रस्य विनाशात्, तेषां भवस्वाभाव्येनैवाविरतत्वाद्, अन्यथा परेषामपि न प्रतीकारः,शरीरिणां स्वकारणाधीनक्रियासंभवात्। एतेन'चारित्रं मोक्षभवाननुयायि, देवभवाननुयायित्वात्' इत्याद्यनुमानपरम्परापिपरास्ता,अप्रयोजकत्वात्, प्रतिबन्धकसत्त्वाऽसत्त्वाभ्यां परभवाननुयायित्वाऽनुयायित्वसंभवात्। દઉ ગાથા -૧૩૪ની ટીકા અહીં પૂર્ણ થાય છે. ટીકાર્ય - અણ ગણથી સિદ્ધાંતપક્ષી આ પ્રમાણે કહે કે, ચારિત્રનું ક્રિયારૂપપણું હોતે છતે દેવભવાદિઅનુયાયીપણું નથી; કેમ કે તેનું = ક્રિયારૂપ ચારિત્રનું, મનુષ્ય શરીરમાત્ર સંભવિ સંભવપણું છે. વળી તેનું = ચારિત્રનું, આત્મપરિણામરૂપપણું હોતે છતે તથાપણાનો પ્રસંગ છે = ઐહભવિક અને પરભવિક કહેવાનો પ્રસંગ છે. કેમ કે જ્ઞાનાદિની જેમ આત્મમાત્રની અપેક્ષાવાળા એવા તેનું = આત્મપરિણામરૂપ ચારિત્રનું, દેવભવ અનુગામીપણાનો સંભવ છે. ભાવાર્થ - સિદ્ધાંતપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, ક્રિયારૂપ એવા ચારિત્રનો માત્ર મનુષ્ય શરીરમાં જ હોવાનો સંભવ હોવાથી, દેવગત્યાદિમાં ક્રિયારૂપ ચારિત્ર સાથે જતું ન હોવાને કારણે ક્રિયારૂપ ચારિત્રને ઐહભવિક કહી શકાય; પરંતુ ચારિત્રને આત્મપરિણામરૂપ માનો તો એ માત્ર આત્માની જ અપેક્ષાવાળું હોવાથી, જ્ઞાનાદિની જેમ દેવગત્યાદિમાં પણ સાથે જઈ શકે તેમ માનવું પડે. તેથી ઐહભવિક જ શી રીતે કહેવાય? અર્થાત્ મવરિત્તે પરમવશ્વરિત્તે કહી નહિ શકાય, પણ મવરિ પરમવીર કહેવું પડશે. તેથી ચારિત્રને ક્રિયારૂપ જ માનવું યુક્ત છે. ટીકાર્ય - રેલવ'- તેનો ઉત્તર આપતાં સંપ્રદાયપક્ષી કહે છે કે એમ ન કહેવું, કેમ કે દેવભવમાં ઉત્પત્તિના પ્રથમ સમયે ઉદયમાં આવતા ચારિત્રમોહનીયકર્મથી આત્મપરિણામરૂપ પણ ચારિત્રનો વિનાશ થાય છે. ઉત્થાન :-અહીં શંકા થાય કે આત્મપરિણામરૂપ ચારિત્ર માનીએ તો કોઈક જીવને તેવો આત્મપરિણામ દેવભવમાં પણ થાય છે તેમ માની શકાશે, તેથી દેવભવમાં પણ ચારિત્રની સત્તા માનવી પડે. તેના નિરાકરણરૂપે બીજો હેતુ કહે ટીકાર્ચ -તેષ -તેઓને દેવોને, ભવસ્વભાવથી જ અવિરતિપણું છે, તેથી ચારિત્રનો પરિણામ કોઈ દેવોને થઈ શકતો નથી. ગચણા - અન્યથા = ભવસ્વભાવથી જ અવિરતિપણું હોવાને કારણે તેમને ચારિત્ર નથી એમ ન માનો, અને ચારિત્રક્રિયારૂપ છે અને દેવોને ક્રિયા નથી માટે ચારિત્ર નથી એમ માનો તો, પરને = સિદ્ધાંતપક્ષીને, પણ પ્રતિકાર
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy