SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ..... • • • • • • •. . . . . .૬૪૩ કેવલજ્ઞાનની પૂર્વમાં અને કેવલજ્ઞાનકાળમાં પણ યોગ હોવા છતાં આંતરક્રિયારૂપ યોગ તેમને ન હતો. કેમ કે યોગ’ શબ્દથી અહીં તેનું જ ગ્રહણ કરવું છે કે કોઈ પણ બાહ્યચેષ્ટા વિષયક મન-વચન-કાયાનો યત્ન તે યોગ. જો યોગ શબ્દથી અંતરંગભાવમાં કરાતો યત્ન પણ ગ્રહણ કરવામાં આવે તો ઉપયોગરૂપ બીજો વિકલ્પ તેમાં જ વિશ્રાંત થઇ જવાથી બે વિકલ્પોનું ઉત્થાન થઈ શકે નહિ. ટીકાર્ય - “દ્વિતીયે વળી બીજા વિકલ્પમાં=આંતરક્રિયા ઉપયોગરૂપ છે એ વિકલ્પમાં, અમારું સમીહિત=ઈચ્છિત, સિદ્ધ થાય છે, કેમ કે શુદ્ધોપયોગલક્ષણ ચારિત્રનું આગળ વ્યવસ્થાપન કરવાના છીએ. એ પ્રમાણે દિશાસૂચન છે. અહીં ગાથા ૧૩૩થી ૧૩૭ સુધીની અવતરણિકા કહી તેમાં “અથ ક્રિયારૂપમેવ વારિવં ન તુ ” જ્ઞાનાવિષ્ઠાશ્વતાત્મપરિપામરૂપ એનો ઉત્તર મૂળગાથા - ૧૩૩ માં આપ્યો, તે ગાથા - ૧૩૩ની ટીકા અહીં પૂર્ણ થાય છે. પૂર્વે અવતરણિકામાં મતd..મોક્ષાતિપિચારિત્રરંપવામાવાન્ સુધીનું કથન કર્યું, અને તે કથનનો ઉત્તર ગાથા ૧૩૪માં આપ્યો, તે સંબંધી ટીકામાં દર્શાવતાં કહે છે - ટીકા - “વત્યુનત્તમૈદવિલોપરેશાવરસિદ્ધિાતો વારિત્રજ્વમિતિ તસ્વિામિપ્રવિકૃમિ, उक्तोपपत्तिबलेन चारित्रस्यात्मगुणत्वे सिद्धे क्रियारूपतद्विशेष एवैहभविकत्वोपदेशविश्रामात्, भवपदस्य (च) संसारवाचकत्वेन मोक्षगतौ तत्सत्त्वेऽप्यैहभविकत्वाऽविरोधात्। अथ गतिमार्गणायां सिद्धगतेरिव भवाधिकारेऽपि भवनमात्रार्थपुरस्कारेण मोक्षस्यापि ग्रहणं सांप्रदायिकमिति चेत्? तथापि 'इह भवे हितमैहभविकं' इत्यर्थाश्रयणे न कोऽपि दोषः, मोक्षगतौ चारित्रसत्त्वेऽपि तस्य मोक्षानुपकारित्वात्। नन्वेवं ज्ञानदर्शने अपि पारभविके न स्यातामिति चेत्? न, परभवपदार्थे देवगत्यादौ तयोरूपकारित्वात्। કે “ભવચિપછી ‘કાર હોવાની સંભાવના છે, અર્થાત્ મવપતી સંસરવીવેવેલન્વેન એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. ટીકાઈ-વહુનમ્' શાસ્ત્રમાં ઐહભવિકત્વનો ઉપદેશ હોવાથી જ સિદ્ધિગતિમાં ચારિત્રનું સત્ત્વ નથી, એ પ્રમાણે જે વળી અવતરણિકામાં કહ્યું તે પણ સિદ્ધાંતકારનું સ્વ અભિપ્રાય વિભ્રંભિત છે. કેમ કે ઉક્ત ઉપપત્તિના બળથી = ગાથા ૧૩૩માં કહ્યું કે જો ચારિત્રને ક્રિયારૂપ માનશો તો સમ્યક્તને પણ ક્રિયારૂપ માનવું પડશે, અને સમ્યક્તનો પણ મોક્ષમાં અભાવ માનવો પડશે. તેના નિવારણરૂપે પૂર્વપક્ષીએ સમ્યગ્દર્શનને આત્મપરિણામરૂપ સ્થાપન કર્યું, એ પ્રમાણે ઉક્ત ઉપપત્તિના = યુક્તિના, બળથી, ચારિત્રનું આત્મગુણપણું સિદ્ધ થયે છતે ક્રિયારૂપ એવા તદ્ધિશેષમાં જ=ચારિત્રવિશેષમાં જ, ઐહભવિકત્વના ઉપદેશનો વિશ્રામ છે.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy