________________
• • • •૬૪૧
ગાથા : ૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા હર માધ્યશ્ચમાપિ અહીં ‘પથી એ કહેવું છે કે જીવનિકાયના પાલનથી ચારિત્ર થાય છે, પણ કોઈકને પજીવનિકાયના પાલનના પ્રયત્ન વિના પણ માધ્યચ્છમાત્રથી પણ ચારિત્ર થાય છે.
ભાવાર્થ- અથ' અહીં વિશેષ એ છે કે ચારિત્રનો વિષય જીવનિકાય છે એમ કહ્યું, પરંતુ કેવલજ્ઞાનનો વિષય પણ જગતના તમામ પદાર્થો છે તેમ જીવનિકાય પણ કેવલજ્ઞાનનો વિષય છે, તેથી સિદ્ધના કેવલજ્ઞાનના વિષયરૂપે સર્વ પદાર્થો અંતર્ગત જીવનિકાય પણ હોય જ છે. પરંતુ વર વારિત્રે એ પ્રમાણેની વ્યુત્પત્તિને આશ્રયીને છજીવનિકાયના વિષયમાં તેના પરિપાલનને અનુકૂળ જે ચરણક્રિયા છે તે ચારિત્ર છે, જ્યારે સમ્યક્તનો વિષય જીવાજીવાદિ પદાર્થોની સમ્યગું રુચિ સ્વરૂપ છે, અર્થાત્ આ જીવાદિ પદાર્થો આમ જ છે એવા નિર્ણય સ્વરૂપ છે; માટે તે જ્ઞાનવિશેષરૂપ છે, પણ ક્રિયારૂપ નથી. માટે સિદ્ધમાં સમ્યક્ત છે જયારે ચારિત્ર નથી એમ સિદ્ધાંતપક્ષીનો આશય છે. તેના નિરાકરણરૂપે સિદ્ધમાં ચારિત્રને માનનાર સંપ્રદાયપક્ષી કહે છે કે, તત્ત્વથી=પરમાર્થથી–નિશ્ચયનયની દષ્ટિથી, ચારિત્રનું શુદ્ધાત્મવિષયકપણું છે, અર્થાત્ શુદ્ધાત્મામાં જીવનું જે ચરણ= અવસ્થાન, તે જ ચારિત્ર છે.
ટીકાર્ય - “તરપિ' - તે પણ મરુદેવાદિને પકાયના પાલન વગર પણ માધ્યશ્યપરિણતિથી નિર્જરાને અનુકૂળ ચારિત્ર પરિણતિ પ્રગટ થઈ તે પણ, ક્રિયાના ફળરૂપ હોવાથી ક્રિયારૂપ જ છે, આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે તો, સંપ્રદાયપક્ષી તેનો ઉત્તર આપતાં કહે છે કે, એ પ્રમાણે=ચારિત્ર ક્રિયાના ફલરૂપ છે, એથી કરીને ક્રિયા જ છે એ પ્રમાણે, સિદ્ધનું ચારિત્ર પણ ક્રિયાના ફળરૂપ છે, એથી કરીને તેને ક્લિારૂપ જ કહો ને, એમાં અમને શું નુકસાન છે?
ઉત્થાન -પૂર્વમાં સંપ્રદાયપક્ષીએ કહ્યું કે સિદ્ધનું ચારિત્ર પણ ક્રિયાના ફળરૂપ છે એથી કરીને ક્રિયારૂપ જ છે એમ કહેવામાં અમને કોઈ નુકસાન નથી, એ વાતને પુષ્ટ કરતાં કહે છે -
ટીકાર્ય - “યુ આ = સિદ્ધમાં ક્રિયાનું ફળ છે જેથી કરીને ક્રિયારૂપ ચારિત્ર છે આ, યુક્ત છે. કેમ કે ભવસ્થ કેવલીઓને પણ ક્રિયાફળના સદ્ભાવમાત્રથી જ સંયમનો ઉપદેશ છેતપ-નિયમ-સંયમાદરૂપ ક્રિયા ભવસ્થ કેવલીને હોતી નથી, પરંતુ તેનાથી નિષ્ણાઘ એવો જે સામ્યપરિણામ છે તે ભવસ્થકેવલીઓને હોય છે. આમ છતાં તેઓને તપ-નિયમાદિની યતનારૂપ ક્રિયા છે, એ પ્રકારનું કથન છે. અને તે આ પ્રમાણે = “જિતે સંતે હે પ્રભુ! તમારી સંયમયાત્રા શું છે? હે સોમિલ!તપ-નિયમ-સંયમ-સ્વાધ્યાય-ધ્યાન-આવશ્યકાદિયોગોમાં યતના એ મારી સંયમયાત્રા છે. આ પ્રકારના ભગવતીસૂત્રના કથનમાં યદ્યપિ ભગવાનને આમાં તપ વગેરેમાં, ત્યારે =કેવલી અવસ્થામાં, વિશેષથી કોઇપણ સંભવતું નથી, તો પણ તેના–તપ આદિના, ફલના સભાવથી–હોવાથી, તે–તપ, વગેરે છે, એ પ્રમાણે કહેલું છે એમ જાણવું. આ પ્રમાણે ભગવતીસૂત્રની ટીકામાં વ્યાખ્યાન હોવાથી (તપાદિમાં યતના એ સંયમયાત્રા છે એમ ભગવાન ઉત્તર આપે છે).
“અ” અહીં “ગથ'થી પૂર્વપક્ષી (સિદ્ધાંતપક્ષી) આ પ્રમાણે કહે કે, બાહ્યક્રિયાથી અભિવ્યંગ્ય આંતરક્રિયા ચારિત્ર છે, અને તે = બાહ્યક્રિયાથી અભિવ્યંગ્ય આંતરક્રિયા, ભવસ્થકેવલીઓને અને મરુદેવા આદિને સંભવે છે.