SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • , , , , , , ,૬૬૯ ગાથા : ૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમતપરીક્ષા સ્વરૂપ એ છે કે સર્વજ્ઞોએ જે પ્રમાણે કહ્યું છે તે વસ્તુ તેમ જ છે, એવા પ્રકારની મતિજ્ઞાનની રુચિરૂપ જે નિર્ણય તે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન છે. અને આવું ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' એ જ જો સમ્યક્ત હોય તો સિદ્ધમાં સમ્યક્ત નથી, એમ કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી જ કહ્યું છે કે “તત્ત્વાર્થશ્રદ્ધાન' એ સમ્યક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ એ સમ્યગ્દર્શન નથી તો પછી તત્ત્વાર્થનું સૂત્ર તેને સમ્યગ્દર્શનરૂપ કેમ કહે છે? તેનું સમાધાન એ છે કે જ્યારે જીવન દર્શનમોહનીયના ક્ષયાદિથી જન્ય ભાવવિશેષરૂપ સમ્યગ્દર્શન હોય છે, ત્યારે જો મતિજ્ઞાનનો ક્ષયોપશમ હોય અને પર્યાપ્તાદિ અવસ્થા હોય તો અવશ્ય સમ્યગ્દર્શનથી જન્ય ‘તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ કાર્ય પેદા થાય છે. જેમ વહ્નિ અને આર્દ્રધનનો સંયોગ હોય તો ધૂમરૂપ કાર્ય પેદા થાય છે. સમ્યગ્દર્શનના કાર્યરૂપ તત્ત્વાર્થશ્રદ્ધાનમાં સમ્યગ્દર્શનનો અભેદ ઉપચાર કરીને, “તત્ત્વાર્થશ્રદ્ધાનીને સમ્યગ્દર્શનરૂપે કહેલ છે. આથી જ સિદ્ધમાં ‘તત્ત્વાર્થશ્રદ્ધાન'ન હોવા છતાં દર્શનમોહનીયના ક્ષયજન્ય ભાવવિશેષરૂપ સમ્યગ્દર્શન છે, અને અપર્યાપ્તાવસ્થામાં તેવો ભાવવિશેષ હોવા છતાં અને મતિજ્ઞાન પણ હોવા છતાં તત્ત્વાર્થશ્રદ્ધાન નથી, આવું શ્રી પંચાશકશાસ્ત્રની ટીકામાં કહ્યું છે. તેથી દર્શનમોહના ક્ષયથી થયેલ સમ્યત્વ સિદ્ધોને હોવામાં કોઇ બાધક નથી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષીના કથન સામે સિદ્ધમાં ચારિત્ર માનનાર પક્ષ ફક્ત તથિી કહે છેટીકાર્થ- “તો પછી ચારિત્ર પણ પ્રેક્ષાદિ વ્યાપારથી અભિવ્યંગ્ય ચારિત્રમોહના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી ઉપનીત પરિણામવિશેષ જ છે. એથી કરીને સિદ્ધમાં ક્ષાયિકચારિત્રશું તમારા વચનમાત્રથી = તમારા બોલવામાત્રથી નિવારણીય છે? અર્થાત્ નિવારણીય નથી. ‘ગતાવ આથી કરીને જ= ચારિત્રપ્રેક્ષાદિ વ્યાપારથી અભિવ્યંગ્ય ચારિત્રમોહના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી ઉપનીત પરિણામવિશેષ જ છે એથી કરીને જ, મરુદેવાદિને બાહ્યાચાર વિના પણ નિર્વાણહેતુભૂત ચારિત્રની સત્તા સંભવિત છે. ક્યાંક લિંગ વિના પણ લિંગી હોઈ શકે છે, કેમ કે ધૂમ વિના પણ અયોગોલકમાં–તપેલા લોખંડના ગોળામાં, વતિનો અનુભવ થાય છે, અને પ્રશમસંવેગાદિક વિના કૃષ્ણ-શ્રેણિકાદિને પણ ક્ષાયિકસમ્યક્તનો અભ્યપગમ છે, એ જ રીતે સિદ્ધોને બાહ્યાચારાત્મક લિંગ વિના પણ ક્ષાયિકચારિત્ર રૂપ લિંગી હોવામાં કોઈ વાંધો નથી. .. ભાવાર્થ:- વહ્યિદાવિનાપિ- અહીં વિશેષ એ છે કે “બાહ્યાચાર'શબ્દથી સાધુવેશનું ગ્રહણ, સૂત્રનું ઉચ્ચરણ કે પંચમહાવ્રતને અનુકૂળ યતનાના પાલનરૂપ ચેષ્ટા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ કોઈ વ્યક્તિએ સંયમ ગ્રહણ કરેલ ન હોય અને તેના કારણે વ્રતના પ્રહણરૂપ સૂત્રનું ઉચ્ચરણ ન હોય તો પણ, ભગવદ્ ઉક્ત સંયમ પ્રત્યેના રાગને કારણે ભગવાનથી નિર્દિષ્ટછજીવનિકાયના પાલનવિષયક વિચાર કરતાં તથાવિધ રુચિ ઉલ્લસિત થવાથી છજીવનિકાયના પાલનનો પરિણામ થાય, તો તે પણ બાહ્યાચારરૂપ જ છે. કેમ કે બાહ્યાચરણા વિષયક તે પરિણામ છે, પરંતુ મરુદેવાદિને તેવો કોઇ પરિણામ ન હતો, પણ ભગવાનને ઋદ્ધિથી યુક્ત જોતાં તેમના પ્રત્યેનો સ્નેહછે તે અતાત્ત્વિક છે એવી વિચારણા કરવાથી સર્વ પદાર્થ પ્રત્યેનો પ્રતિબંધ જે અતત્ત્વભૂત છે માટે સર્વથા પ્રતિબંધરહિત જ અવસ્થા કરવા જેવી છે એવી બુદ્ધિથી ઉત્થિત થયેલો સૂક્ષ્મ ઊહ જ ચારિત્રના પરિણામને પેદા કરે છે, કે જે સર્વ પદાર્થો પ્રત્યે સમતાસ્વરૂપ છે. તેથી જબાહ્યાચરણા વિષયક કોઈ માનસિક પરિણામ પણ તેમને ન હતો. માટે આચાર વિના જ
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy