SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬. અધ્યાત્મમતપરીક્ષા ગાથા : ૧૩૩ થી ૧૪૧ ગાથાર્થ ઃ- તે કારણથી=પૂર્વ ગાથા - ૧૪૦માં કહ્યું કે ક્ષાયિક પણ ચારિત્રનો યોગનિરોધથી વિલય થાય છે એમ કહો તો ચારિત્રમોહનો વિરહ વિફલ પ્રાપ્ત થાય તે કારણથી, કાર્ય-કારણના વિભાગથી જ્ઞાનથી દર્શન જુદું છે, તેમ શુદ્ધોપયોગરૂપ ચારિત્ર જ્ઞાનથી જુદું છે; એથી કરીને સિદ્ધમાં ચારિત્ર સ્વતંત્ર કેમ નહિ? અર્થાત્ સિદ્ધમાં ચારિત્ર જ્ઞાનથી સ્વતંત્ર કેમ નહિ? (અર્થાત્ સિદ્ધમાં ચારિત્ર સ્વતંત્ર છે, આ પ્રમાણે સંપ્રદાયપક્ષીનો આશય છે.) ટીકા :- ‘આસામયં તાત્પર્યાર્થ:-યત્તાવવુń યિારૂપ ચારિત્ર ન તુ શાશ્વતાત્મપરિણામ કૃતિ, તત્ર વિ क्रियाया आन्तरपरिणामरूपत्वेऽपि योगसापेक्षतया न शाश्वतत्वमित्यभिमतम्, कृत्तीर्था ( ? क्रिया)भिव्यक्त-स्वरूपस्य तस्य बाह्यत्वादेव न तथात्वमिति वा? आद्ये "णय खइयं वि... " इत्यादिना समाधानं वक्ष्यते, अन्त्ये तु भावशून्यक्रियायाश्चारित्रत्वानभ्युपगमेन कथं क्रियारूपत्वमेव तस्य ? अथ "क्रियाजनकीभूतो भावो ज्ञानमेव, तज्जन्यक्रियैव चारित्रं" इत्यस्माकमभ्युपगमः इति चेत् ? हन्त तर्हि निःशङ्कितादिबाह्याचार एवास्तु सम्यक्त्वं, तदनुगुणो भावस्तु ज्ञानमेवेति सम्यक्त्वमपि नातिरिच्येत । तथा च सिद्धानां चारित्रमिव सम्यक्त्वमपि न स्यादिति दुरुद्धरोऽपसिद्धान्तदोषः । ટીકાર્થ :- ‘આસામયં’ આ ગાથાઓનો આ તાત્પર્યાર્થ છે - જે તમે કહ્યું કે ચારિત્ર ક્રિયારૂપ છે, નહિ કે શાશ્વત આત્મપરિણામરૂપ, ત્યાં (૧) શું ક્રિયાનું આન્તરપરિણામરૂપપણું હોવા છતાં પણ યોગસાપેક્ષપણું હોવાને કારણે શાશ્વતપણું નથી, એ પ્રમાણે તમને અભિમત છે? કે (૨) ક્રિયાથી અભિવ્યક્ત સ્વરૂપવાળા તેનું=ચારિત્રનું, બાહ્યપણું હોવાથી જ તથાપણું—શાશ્વતપણું નથી, એ પ્રમાણે તમને અભિમત છે? ‘આઘે’ પ્રથમ વિકલ્પમાં ‘જ્ ય સ્વયં વિ......’ ગાથા ૧૪૦માં કહેલ કથન દ્વારા સમાધાન કહેવાશે. ‘અન્ત્ય’ વળી બીજા વિકલ્પમાં ભાવશૂન્યક્રિયાનો ચારિત્રપણારૂપે અસ્વીકાર હોવાથી કેર્વી રીતે તેનું=ચારિત્રનું, ક્રિયારૂપપણું જ છે? અર્થાત્ ક્રિયારૂપપણું નથી. ભાવાર્થ :- ગાથા - ૧૩૩માં ‘થ’થી જે અવતરણિકા કરી ત્યાં કહ્યું કે ક્રિયારૂપ જ ચારિત્ર છે, પરંતુ જ્ઞાનની જેમ શાશ્વત આત્મપરિણામરૂપ નથી, એ પ્રકારે સિદ્ધમાં ચારિત્ર નહિ માનનારનું તાત્પર્ય છે. તેનું સમાધાન ગાથા૧૩૩માં આપતાં તેમાં બે વિકલ્પો કરે છે. તેનો ભાવ એ છે કે યદ્યપિ ક્રિયા એ પણ જીવના પરિણામરૂપ જ છે, આમ છતાં સંસારની ક્રિયા ઔયિકભાવની હોવાથી તેને આંત૨પરિણામરૂપ કહી શકાય નહિ, પરંતુ ચારિત્રની ક્રિયા ઔદયિકભાવની નથી છતાં મન, વચન અને કાયાના યોગની અપેક્ષા રાખે છે, તેથી સિદ્ધમાં ચારિત્રની ક્રિયા નહિ હોવાને કારણે તે શાશ્વત નથી. માટે પ્રથમ વિકલ્પમાં કહ્યું કે ક્રિયાનું આંતરપરિણામપણું હોવા છતાં પણ યોગસાપેક્ષપણાને કારણે શાશ્વતપણું નથી, એ તમને અભિમત છે? અને તેનો ઉત્તર ગાથા – ૧૪૦માં સ્વયં ગ્રંથકાર આપવાના છે. અને બીજો વિકલ્પ પાડ્યો તેનો ભાવ એ છે કે ક્રિયાથી અભિવ્યક્ત છે સ્વરૂપ જેનું એવા ચારિત્રનું બાહ્યપણું હોવાથી જ શાશ્વતપણું નથી એમ કહ્યું. તેનાથી એ પ્રાપ્ત થાય કે મન, વચન અને કાયાની સમિતિ-ગુપ્તિરૂપ જે યતના છે તેનાથી જ અભિવ્યક્ત થનારું ચારિત્રનું સ્વરૂપ છે, તેથી તે આત્માના પરિણામરૂપ નથી, તેથી જ તેને બાહ્યરૂપ કહેલ છે. કેમ કે જો તે આત્માના પરિણામરૂપ હોય તો મન-વચન અને કાયાના યોગોથી તેનું સ્વરૂપ પ્રગટ
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy