________________
ગાથા -૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા ......
. . . . . . . . . .૬૩૩
અવતરણિકામાં કહેલ ‘ગત વ... ચારિત્રરંમવામાવા
સુધીના કથનનું નિરાકરણ કરતાં કહે છે -
ગાથા
जं पुण तं इहभवियं तं किरियारूवमेव णेअव्वं।
___ अहवा भवो ण मोक्खो णो तम्मि भवे हिअमहवा॥१३४॥ (यत्पुनस्तदैहभविकं तत्क्रियारूपमेव ज्ञातव्यम् । अथवा भवो न मोक्षो न तस्मिन् भवे हितमथवा ॥१३४॥)
ગાથાર્થ :- અવતરણિકામાં જે વળી કહ્યું હતું તે = ચારિત્ર, ઈહભવિક છે, તે =ચારિત્ર, ક્રિયારૂપ જ જાણવું અથવા ભવ મોક્ષ નથી. (કહેવાનો ભાવ એ છે કે અહભવિકમાં ભવ શબ્દ છે, ભવ મોક્ષ નથી તેથી ભવમાં થનારતે ભવિક એવા ચારિત્રનું ગ્રહણ કરવાનું છે, એ બતાવવા ભવ મોક્ષ નથી એમ કહ્યું છે) અથવા તે ભવમાં =મોક્ષરૂપ ભવમાં, હિત નથી. (ભવ શબ્દથી મોક્ષને પણ ગ્રહણ કરી લેવામાં આવે તો દોષ પ્રાપ્ત થાય, તેથી કહે છે કે આ જ ભવમાં જે હિતરૂપ હોય તે ઇહભવિક, તેથી મોક્ષમાં ચારિત્ર હોવા છતાં મોક્ષરૂપ ભવમાં હિતરૂપ નથી, તેથી ઇહભવિક કહેલ
અવતરણિકામાં રાઝિરત્વાન્ કહ્યું તેનું નિરાકરણ કરતાં કહે છે -
ગાથા - . ण य मोक्खसुहे लद्धे तयणुट्ठाणस्स हंदि वेफल्लं ।
तक्कारणस्स इहरा नाणस्स वि होइ वेफल्लं ॥१३५॥ (न च मोक्षसुखे लब्धे तदनुष्ठानस्य भवति वैफल्यम् । तत्कारणस्येतरथा ज्ञानस्यापि भवति वैफल्यम् ॥१३५।।)
ગાથાર્થ - (ચારિત્રનું ફળ) મોક્ષ સુખ પ્રાપ્ત થયે છતે તદનુષ્ઠાનનું = ચારિત્રઅનુષ્ઠાનનું વિપુલપણું થશે એમ ન કહેવું. ઇતરથા = મોક્ષ સુખ પ્રાપ્ત થયે છતે ચારિત્રવિફલછે એમ કહેશો તો, તેના–ચારિત્રના, કારણ કેવલજ્ઞાનનું પણ વિફલપણું પ્રાપ્ત થશે.
અવતરણિકામાં “યાવજ્જવમ્.હત્ કહ્યું, તેનું નિરાકરણ કરતાં કહે છે -
ગાથા -
___णेव पइण्णाभंगो अहिआवहिपूरणंमि चरणस्स ।
सा वा किरियारूवे सुअकरणे जं करेमित्ति ॥१३६॥ (नैव प्रतिज्ञाभङ्गोऽधिकावधिपूरणे चरणस्य । सा वा क्रियारूपे श्रुतकरणे यत्करोमीति ॥१३६॥)
ગાથાર્થ-ચારિત્રના અધિક અવધિપૂરણમાં પ્રતિજ્ઞાનો ભંગ નથી જ, અથવા તો જે કારણથી કરોમિ' એ પ્રકારની તે= પ્રતિજ્ઞા, ક્રિયારૂપ ચારિત્રમાં અને શ્રુતકરણરૂપ જ્ઞાનમાં છે.