________________
૬૩૨
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા : ૧૩૩ થી ૧૪૧
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે પ્રતિજ્ઞા સમાપ્ત થયા પછી પણ ફરી પ્રતિજ્ઞાનું પાલન થઇ રહ્યું છે. તેથી કહે છે
અવતરણિકાર્થ ચાલુ ઃ- ‘તવન્યસ્ય’ તદન્યનું=મનુષ્યભવમાં જે ચારિત્રની પ્રતિજ્ઞા કરેલી છે તેનાથી અન્ય પ્રતિજ્ઞાનું, મોક્ષમાં ગયા પછી ગ્રહણ નથી. માટે મોક્ષમાં ચારિત્રનો સંભવ નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે ચારિત્રની પ્રતિજ્ઞા નહીં હોવા છતાં આત્મપરિણામરૂપે ચારિત્ર ત્યાં હોય, તેમ માનવામાં શું વાંધો છે? તેથી કહે છે
અવતરણિકાર્ય ચાલુ :- અનુષ્ઠાન ચારિત્રનું અનુષ્ઠાનરૂપપણું છે, તેથી મોક્ષગતિમાં ચારિત્રનો સંભવ નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે ચારિત્રનું અનુષ્ઠાનરૂપપણું હોવાને કારણે મોક્ષમાં ચારિત્રનો સંભવ કેમ નથી? તેથી કહે છે –
-
અવતરણિકાર્થ ચાલુ ઃ- ‘શરીરશમાવે’ શરીરના અભાવમાં તેનો = અનુષ્ઠાનરૂપ ચારિત્રનો, અયોગ છે. માટે મોક્ષગતિમાં ચારિત્રનો સંભવ નથી, અને ચારિત્રી તે જ ચારિત્ર વડે ફરી ચારિત્રી થતો નથી.
‘અત વ’ આથી કરીને જ = ચારિત્રવાળો તે જ ચારિત્રથી ફરી ચારિત્રી થતો નથી આથી કરીને જ, કહેવાય છે કે "सिद्धे णोचरित्ती णो अचरित्ती णो चरित्ताचरित्तीति वा " = ‘સિદ્ધ ચારિત્રી નથી કે અચારિત્રી નથી કે ચારિત્રાચારિત્રી નથી.'
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે સિદ્ધ ચારિત્રી નથી એમ કેમ કહ્યું? તેથી કહે છે -
અવતરણિકાર્ય ચાલુ ઃમોક્ષમાં ચારિત્ર માનનાર પક્ષ સિદ્ધાંતકારને કહે છે‘અત્રો—તે’થી પૂર્વમાં સિદ્ધાંતપક્ષે જે પ્રશ્નો કર્યા એમાં કહેવાય છે –
‘વિતે’વિરતિનો અભાવ હોવાથી ચારિત્રી નથી. આ પ્રમાણે સિદ્ધાંતાવલંબી કહે તો
અવતરણિકામાં ‘અથ વિા ... પરિખામપં'થી જે કહ્યું કે ક્રિયારૂપ જ ચારિત્ર છે, જ્ઞાનાદિની જેમ આત્મપરિણામરૂપ નહિ; તેનું નિરાકરણ ગાથા ૧૩૩માં કરતાં કહે છે –
ગાથા:
जइ किरियारूवं चिय चारित्तं णेव आयपरिणामो । तो किरियारूवं चिय सम्मत्तं णायपरिणामो ॥ १३३ ॥
(यदि क्रियारूपमेव चारित्रं नैवात्मपरिणामः । तत्क्रियारूपमेव सम्यक्त्वं नात्मपरिणामः ॥१३३॥ )
ગાથાર્થ :- જો ચારિત્રક્રિયારૂપ જ હોય, (મોહક્ષયાદિજન્ય) આત્મપરિણામરૂપ ન હોય, તો સમ્યક્ત્વ પણ ક્રિયારૂપ જ છે એમ કહેવું પડશે, આત્મપરિણામરૂપ નહિ.