SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૩૩ થી ૧૪૧ . ........ અધ્યાત્મમતપરીયા. ....................૬૩૧ તથાદિ-તે આ પ્રમાણે- ચારિત્ર ઇહભવિક જ છે, કેમ કે અહીંયાં=આ ભવમાં ચારિત્રવાન થઇને તે જ ચારિત્રથી ફરી ચારિત્રી થવાતું નથી, અર્થાત મનુષ્યભવમાં ગ્રહણ કરેલ ચારિત્રને સાથે લઈ જઈને તે જીવ ફરી ચારિત્રી થતો નથી, કેમ કે તેનું=ચારિત્રનું, ચાવજીવિત અવધિકપણું છે. વિશ થી ઉક્ત કથનને જ પુષ્ટ કરતાં કહે છેશિશુ અને વળી સર્વવિરત, દેશવિરત એવા ચારિત્રીનો સંસારમાં દેવભવમાં જ ઉત્પાદ હોવાને કારણે ચારિત્રવાળો તે જ ચારિત્ર વડે ફરી ચારિત્રી થતો નથી. ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે દેવભવમાં ઉત્પાદ હોય તો પણ ચારિત્ર સાથે ઉત્પન્ન થવામાં શું વાંધો આવે? તેથી કહે અવતરણિકાર્ય ચાલુઃ- “તત્ર ' અને ત્યાં દેવભવમાં વિરતિનો અત્યંત અભાવ છે. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે ચારિત્રવાળો જીવ જેમ દેવગતિમાં ઉત્પન્ન થાય છે તેમ મોક્ષગતિમાં પણ જાય છે. માટે તે જ ચારિત્ર વડે ફરી ચારિત્રી થાય છે એમ કહેવામાં કોઈ વાંધો નથી. તેથી કહે છે અવતરણિકાર્ય ચાલુ - મોક્ષ'તાપિમોક્ષગતિમાં પણ ચારિત્રના સંભવનો અભાવ છે. તેથી તે જ ચારિત્રવડે ફરી ચારિત્રી થતો નથી.) ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે મોક્ષગતિમાં ચારિત્ર માનવામાં શું વાંધો છે? તેથી કહે છે અવતરણિકાર્ય ચાલુ - ચારિત્ર' ચારિત્ર કર્માણ માટે કર્મક્ષય માટે, આચરાય છે; અને મોક્ષમાં તેનું = ચારિત્રનું, અકિંચિત્કરપણું છે. (માટે મોક્ષમાં ચારિત્રનો સંભવ નથી.). ભાવાર્થ - ચારિત્રના સેવનનું પ્રયોજન કર્મક્ષપણ છે, અને મોક્ષમાં કર્મનો અભાવ હોવાથી કર્મક્ષપણ માટે ચારિત્રની જરૂર રહેતી નથી. માટે મોક્ષમાં ચારિત્ર અકિંચિત્કર છે. ઉત્થાન અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં કર્મનો અભાવ છે તેથી કર્મક્ષપણ માટે ચારિત્રનું કોઈ પ્રયોજન નથી, તો પણ ચારિત્રના આવારક કર્મનો ક્ષય થવાથી નિષ્પન્ન થયેલ આત્મગુણરૂપ ચારિત્ર મોક્ષમાં છે; અને ત્યાં કર્મ હોય તો ચારિત્ર તેનો નાશ કરે, પરંતુ કર્મ નહીં હોવાના કારણે કર્મના નાશરૂપ કાર્ય ન કરવા છતાં, સ્વસ્વરૂપરૂપે ચારિત્ર અસ્તિત્વ ધરાવે છે તેમ માનવામાં કોઈ વાંધો નથી. તેથી કહે છે અવતરણિકાર્ય ચાલુ - “વાવMીવમ્ “યાવજ્જવમ્ એ પ્રકારની પ્રતિજ્ઞાની સમાપ્તિ હોવાથી બીજા ભવમાં સાથે ચારિત્ર આવતું નથી, માટે મોક્ષમાં ચારિત્ર નથી.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy