SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમતપરીક્ષા ૬૨૮... ગાથા - ૧૩૧ ટીકાર્ય :- ‘ન ચ' - ‘નો અચારિત્રી' એ પ્રમાણે કહેવાથી જ ચરિતાર્થપણું નથી, કેમ કે ચારિત્રની આકાંક્ષાની અપરિપૂર્તિ હોવાથી અર્થાંતરનો પ્રસંગ છે. ભાવાર્થ :- ફક્ત ‘ખોઅચરિત્તી' એટલું જો કહ્યું હોત તો, ચારિત્ર એ ગુણ છે માટે સિદ્ધમાં ચારિત્રગુણ છે કે નહિ એવી આકાંક્ષાની અપરિપૂર્તિ હોવાથી, કોઇને એમ પણ થાય કે સિદ્ધને ‘ખોઞત્તિી’ કહ્યા છે પણ ‘જો પરિત્તી’ કહ્યા નથી, માટે ત્યાં ચારિત્રગુણ હોવો જોઇએ; એવા અર્થાંતરની પ્રાપ્તિનો પ્રસંગ થાય. તેથી ફક્ત‘જો અત્તી' ન કહેતાં ‘ખો રત્તી' એમ પણ કહેલ છે. ટીકાર્ય :- ‘કૃટ્યું ’ - અને આ પ્રમાણે = જેમ ફક્ત ‘ળો અન્નત્તિી’ કહ્યું હોત અને ‘ો પરિત્તી' ન કહ્યું હોત તો અર્થાંતરનો પ્રસંગ આવે છે એ પ્રમાણે, ‘નો ત્રાન્નિી' એ પ્રયોગ છે એમાં‘નો’પદને છોડીને‘નગ’પદનો=‘' પદનો પ્રશ્લેષ કરે છતે પણ વિરુદ્ધ ઉપસ્થિત્યાદિક જ દૂષકતાનું બીજ જાણવું, અર્થાત્ દોષવત્ત્વનું બીજ જાણવું: - ભાવાર્થ :- ‘નો ચરિત્તી નો અવૃત્તિી' પદમાં જે ‘નો પત્તી' પદ છે, તેમાં ‘નો' પદને છોડીને ‘અ'કારનો પ્રશ્ર્લેષ કરવામાં આવે અને એમ કહેવામાં આવે કે સિદ્ધ‘અચારિત્રી' છે, અને‘નો અચારિત્રી’છે તો ‘અચારિત્રી’ પદ અવિરતિપરિણામનો વાચક હોવાને કારણે શાબ્ધબોધ કરનારને તે વચનપ્રયોગ દ્વારા સિદ્ધમાં અવિરતિનો અભાવ અને અવિરતિનો સદ્ભાવ છે એ પ્રકારે વિરુદ્ધ ઉપસ્થિત્યાદિક થવાની સંભાવના રહે છે, તે જ તેવા પ્રકારના પ્રયોગમાં દૂષકતાનું બીજ જાણવું. દૂર ‘વિરુદ્ધોપસ્થિત્યાદિ – અહીં ‘આવિ’પદથી ભ્રમનું ગ્રહણ કરવું, અર્થાત્ કોઇકને એવો ભ્રમ થાય કે સિદ્ધોને ‘અચારિત્રી’ કહ્યા છે માટે ત્યાં અવિરતિનો પરિણામ છે, અને ‘નો અારિત્રી’ કહ્યા છે માટે કોઇક અપેક્ષાએ અવિરતિનો પરિણામ નથી. તેથી તેવો પ્રયોગ ન કરતાં ‘નો ચારિત્રી’ એવો જ પ્રયોગ કરાયેલ છે. અહીં ‘રૂપતાવીન’ એમ કહ્યું ત્યાં ‘દૂષક’ શબ્દ ‘દોષવાન’નો વાચક છે, તેથી તે પ્રયોગ દોષવાન છે. માટે તેમાં દોષવત્ત્વરૂપ દૂષકતા છે અને તેનું બીજ ‘વિરુદ્ધોપસ્થિત્યાવિષ્ઠ છે. ન ‘સ્થં’ કહ્યું તેનો ભાવ એ છે કે જેમ ‘નો ચારિત્રી' એવો પ્રયોગ ન કરવાને કારણે અર્થાંતરની પ્રાપ્તિ એ દૂષકતાબીજ છે, એ જ રીતે‘નો ચારિત્રી’ના સ્થાને‘અવાશ્ત્રિી' એ પ્રયોગ કરવામાં આવે તો વિરુદ્ધોપસ્થિત્યાદિક દૂષકતાનું બીજ છે. ટીકાર્ય :- અત વ - આથી કરીને જ =‘નો ચારિત્તી' પદમાં ‘નો’ પદને છોડીને ‘નબ' પદનો પ્રશ્ર્લેષ કરે છતે વિરુદ્ધોપસ્થિત્યાદિક જ દૂષકતાનું બીજ છે આથી કરીને જ, ગુણાભાવસ્થળમાં જ વિરુદ્ધોપસ્થિતિના નિરાસ માટે તથાપ્રયોગ = ‘નો ચારિત્રી નો અચારિત્રી' આવો પ્રયોગ, થાય છે, પરંતુ અન્યત્ર નહિ. એ પ્રમાણે જાણવું.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy