SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા- ૧૩૦ અધ્યાત્મમતપરીક્ષા ૬૨૧ ચારિત્ર વૈદ્યપિ સંપૂર્ણ ૧૪મા ગુણસ્થાનકમાં હોવા છતાં પણ અહીં શૈલેશી અવસ્થાના ચરમસમયભાવી સર્વસંવરૂપ ચરણધર્મને ગ્રહણ કરેલ છે. અહીં કોઇને શંકા થાય કે ચારિત્ર તો ચારિત્રાવરણકર્મના ક્ષયથી પેદા થાય છે, જ્યારે સ્થિરતા તો નામકર્મના ક્ષયને કારણે શ૨ી૨નો અભાવ થવાથી યોગનો અભાવ થાય છે તેનાથી પેદા થાય છે, માટે નામકર્મના ક્ષયથી જ સ્થિરતા પેદા થાય છે તેમ કહેવું ઉચિત છે. તેના ખુલાસારૂપે કહે છે કે ચારિત્રપણું ચારિત્રાવરણકર્મક્ષયજન્ય હોવા છતાં પણ પ્રકૃષ્ટચારિત્રપણાની સ્થિરતા યોગનિરોધજન્ય છે. તેથી યોગનિરોધને કારણે પ્રકૃષ્ટચારિત્રરૂપ સ્થિરતા ૧૪મા ગુણસ્થાનકમાં પ્રાદુર્ભાવ પામે છે. પરંતુ ૧૪મા ગુણસ્થાનકે હજુ નામકર્મનો ઉદય હોય છે છતાં ૧૪મા ગુણસ્થાનકના ચરમસમયે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાને કારણે નામકર્મના ઉદય અને સત્તાનો એક સાથે અભાવ થાય છે, તેથી નામકર્મના ક્ષયથી જન્ય સ્થિરતા ૧૪મા ગુણસ્થાનકના ચરમસમયે પ્રાદુર્ભાવ પામે છે; કે જે કાર્મણશરીરના વિલયથી ઉપનીત પ્રદેશચંચળતાના વિલયરૂપ છે. તેથી જ શૈલેશીઅવસ્થા ચરમસમયભાવી સર્વસંવરરૂપ ચરણધર્મને જ અહીં ગ્રહણ કરેલ છે. અને તે રીતે ચારિત્ર અને સ્થિરતા એક જ થઇ જવાથી ‘ગુણો આઠ છે' એવી પરિગણનાનો જ ભંગ થઇ જવાનો પ્રસંગ આવશે. ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે ચારિત્ર અને સ્થિરતાનું ઐક્ય હોવાને કારણે યથોક્ત પરિગણનાના ભંગનો પ્રસંગ થશે, ત્યાં પૂર્વપક્ષી કહે કે, નામકર્મના ક્ષયથી જીવ અશરીરી બને છે, તેથી કાર્પણશરીરના વિલયથી ઉપનીત પ્રદેશચંચળતાના વિલયરૂપ સ્થિરતા પેદા થાય છે. તેથી તે સ્થિરતાને નામકર્મક્ષયજન્ય કહેવી જોઇએ. પરિગણનાના ભંગના પ્રસંગના ભયથી વસ્તુસ્થિતિનો અપલાપ કરવો ઉચિત ન ગણાય. તેથી ગ્રંથકાર કહે છે टीst :- अपि च यत्सामान्यावच्छेदेन यत्कर्मक्षयजन्यत्वं तत्सामान्याक्रान्तस्य तज्जन्यगुणत्वव्यवहारः, अन्यथा मोहक्षयस्य सुखविशेषहेतुत्वेन सुखस्य मोहक्षयजन्यगुणत्वेन व्यवहारप्रसङ्गात्। एवं च चारित्रमात्रे नामकर्मक्षयस्याऽहेतुत्वान्न तस्य तज्जन्यगुणत्वम् । एतेन - "मोहक्षयजन्यः सम्यक्त्वमेव गुणश्चारित्रं तु नामकर्मक्षयजन्यमेव स्थिरतापदप्रतिपाद्यं" - इति कल्पनापि परास्ता । ટીકાર્થ :- ‘અપિ =’ અને વળી જે સામાન્યધર્માવચ્છેદેન=સુખત્વરૂપ સામાન્યધર્માવચ્છેદેન, સુખનું, યત્કર્મક્ષયજન્યપણું=વેદનીયકર્મક્ષયજન્યપણું છે, તત્સામાન્યઆક્રાંતનું=સુખત્વરૂપ સામાન્યઆક્રાંતનું, તજન્યગુણત્વનો—વેદનીયકર્મક્ષયજન્યગુણત્વનો, વ્યવહાર છે. અન્યથા=એવું ન માનો અને એમ માનો કે સામાન્યધર્માવદેન વેદનીયકર્મક્ષયજન્ય હોવા છતાં પણ તત્સામાન્યઆક્રાંતનો=સુખત્વસામાન્યઆક્રાંતનો અન્યકર્મક્ષયજન્ય ગુણત્વનો વ્યવહાર છે એમ માનો તો, મોહક્ષયનું સુખવિશેષમાં હેતુપણું હોવાથી સુખનો મોહક્ષયજન્યગુણપણાથી વ્યવહારનો પ્રસંગ આવશે. અને એ પ્રમાણે ચારિત્રમાત્રમાં નામકર્મક્ષયનું અહેતુપણું હોવાને કારણે તેનું=ચારિત્રનું, તજ્જન્યગુણપણું=નામકર્મક્ષયજન્યગુણપણું, નથી.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy