________________
૬૨૦ 2. અધ્યાત્મમત પરીક્ષા. • • • • • • • • • • • • • “::::
ગાથા - ૧૩૦ ટીકાર્ય - અમૂર્ત અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અમૂર્ત અવગાહનાનું નામકર્મક્ષયજન્યપણું હોવા છતાં પણ અનંત અવગાહના– વડે કરીને અવગાહનાની ગોત્રકર્મક્ષયજન્યતા છે.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું“નગ્ન કેમ કે અનંત અવગાહનાત્વનું અર્થસમાજસિદ્ધપણું છે.
દર અહીં અનંત અવગાહના– અનંત અવગાહના જેને છે તે અનંત અવગાહનાવાળી વ્યક્તિ લેવી, અને તષ્ઠિભાવ તે અનંત અવગાહનાત્વ=અનંત અવગાહના કહેવાય. અવગાહના શબ્દને “ત્વ પ્રત્યય ભાવમાં લાગેલ છે.
ભાવાર્થ નામકર્મના ક્ષયથી અમૂર્ત અવગાહના પ્રત્યેક સિદ્ધને પ્રાપ્ત થાય છે અને તે સિદ્ધ ભગવંતોને પોતપોતાના નામકર્મના ક્ષયથી અમૂર્ત અવગાહના પ્રાપ્ત થઈ, અને એક સ્થાનેથી મોક્ષમાં ગયા તેથી મુક્તઅવસ્થા પ્રાપ્ત થઇ. તે રૂપ કારણસમાજથી એક ઠેકાણે અનંતજીવોની અમૂર્ત અવગાહના પ્રાપ્ત થાય છે. માટે અવગાહના ગુણને ગોત્રકર્મક્ષયજન્ય કહી શકાય નહિ.
ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે નામકર્મનો ક્ષયથી જન્ય અવગાહના છે માટે ગોત્રકર્મક્ષયજન્ય કહી શકાય નહિ, અને તેને જ પુષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- “પિ = યેયં અને વળી જે આ નામકર્મક્ષયજન્ય સ્થિરતા પૂર્વપક્ષી કહે છે, તે જો કાર્મણશરીરના વિલયથી ઉપનીત પ્રદેશચાંચલ્યવિલયરૂપ હોય, તો તે ખરેખર શૈલેશી અવસ્થાના ચરમસમયેભાવી સર્વસંવરરૂપ ચારિત્રધર્મ જ છે. કેમ કે ચારિત્રપણાથી ચારિત્રાવણકર્મક્ષયજન્યપણું હોવા છતાં પણ પ્રકૃચારિત્રપણાથી યોગનિરોધજન્યપણું છે, એ પ્રમાણે આગળ સ્પષ્ટ કરીશું. અને તે રીતેઃનામકર્મના ક્ષયથી ચારિત્રરૂપ સ્થિરતા પેદા થાય છે તેમ માનો તો તે રીતે, ચારિત્ર અને સ્થિરતાનું ઐક્યપણું હોવાથી યથોક્તપરિગણનાના ભંગનો પ્રસંગ છે.
ભાવાર્થ - કાર્મણશરીરના કારણે આત્મપ્રદેશમાં ચંચળતા પેદા થાય છે, અને કાર્યણશરીરના વિલયને કારણે આત્મપ્રદેશમાં ચંચળતાનો વિલય થાય છે, અને તે રૂપ જ નામકર્મના ક્ષયજન્ય સ્થિરતા પૂર્વપક્ષીને અભિમત હોય, તો તે શૈલેશી અવસ્થાના ચરમસમયભાવી સર્વસંવરરૂપ ચારિત્રધર્મ જ થશે.
અહીં સમગ્ર ૧૪મા ગુણસ્થાનકવર્તી સર્વસંવરરૂપ સ્થિરતા ગ્રહણ ન કરતાં શૈલેશી અવસ્થાના ચરમસમયભાવી સર્વસંવરરૂપ સ્થિરતાને એટલા માટે ગ્રહણ કરેલ છે કે, ચૌદમા ગુણસ્થાનકમાં પણ કાર્યણશરીર વિદ્યમાન છે. તેથી ત્યાં યોગનિરોધજન્ય પ્રદેશની ચંચળતાનો વિલય હોવા છતાં પણ, કાર્મણશરીરના વિલયથી ઉપનીત સ્થિરતા નથી. કાર્મણશરીરનો વિલય યદ્યપિ વ્યવહારનયથી સિદ્ધાવસ્થામાં છે, તો પણ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ નિશ્ચયનયથી એક હોવાથી, શૈલેશીઅવસ્થાના ચરમસમયમાં અવશિષ્ટ કર્મો ઉદયમાં આવે છે અને તે જ વખતે નાશ પામે છે, તેથી જ તે ચરમસમયમાં જ કાર્મણશરીરનો વિલય પણ હોય છે; માટે સર્વસંવરરૂપ