________________
ગાથા - ૧૨૮-૧૨૯
અધ્યાત્મમતપરીક્ષા
*
અહીં ‘તદ્ગુણત્વ’માં ‘તદ્ગુણ’નો બહુવ્રીહિ સમાસ છે, અર્થાત્ અવગાહના ગુણ છે જેને તેવું આકાશ પ્રાપ્ત થશે–તગુણવાળું આકાશ બનશે. અને ‘તદ્ગુણત્વ' આકાશમાં રહેશે, એ રૂપે જ આકાશનું વ્યવસ્થિતપણું છે. તેથી આકાશનો જ અવગાહના ગુણ છે.
૬૧૭
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે અવગાહના સામાન્યથી આકાશનો જ ગુણ હોવા છતાં અનંતા સિદ્ધોની એક સ્થાને અવગાહના હોવી એ આત્માનો જ ગુણ છે. તેથી કહે છે
ટીકાર્ય :- ‘ન ચ’ - તેનું=આકાશનું, સામાન્યથી અવગાહનાગુણવાળાપણું હોવા છતાં પણ અનંતોની એકત્ર અવગાહના એ આત્માનો જ ગુણ છે એમ ન કહેવું, કેમ કે અનંતોનું પણ અમૂર્રપણું હોવાથી (પ્રતિઘાતનો અભાવ છે) પ્રતિઘાતનો અભાવ હોવાને કારણે તેના વડે જ=આકાશ વડે જ, એકત્ર=એકસ્થાનમાં, અવગાહના દાન થાય છે. (માટે અનંતોની એકત્ર અવગાહના પણ આત્માનો ગુણ થઇ શકે નહિ.)
ભાવાર્થ :- અનંતજીવો એક ઠેકાણે રહેલા છે તેનું કારણ તે અનંતાજીવોનું પણ અમૂર્રાપણું છે, અર્થાત્ એક જીવનું તો અમૂર્ત્તપણુંછે પણ અનંતા જીવોનું પણ અમૂર્તપણું છે, તેથી પરસ્પર પ્રતિઘાત થતો નથી. અને તે પ્રતિઘાતના અભાવને કારણે આકાશ વડે તે જીવોને એકત્ર અવગાહના આપી શકાય છે. માટે અવગાહના આપનાર આકાશ છે માટે અવગાહના એ આકાશનો જ ગુણ છે, આત્માનો ગુણ નથી એમ પૂર્વપક્ષીને કહેવું છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય :- ‘મૈવ’ – એ પ્રમાણે ન કહેવું, કેમ કે પ્રતિઘાતનું નામકર્મઉપનીત શરીરથી જનિતપણું હોવાથી તદભાવ પ્રયુક્ત= નામકર્મના અભાવથી પ્રયુક્ત, એવા પ્રતિઘાતના અભાવને કારણે જ તદવગાહનાનો=અનંતજીવોની એકત્ર અવગાહનાનો સંભવ છે, અને તેનું=અનંતજીવોની એકત્ર અવગાહનાનું, આત્મગુણપણું છે.
ભાવાર્થ :- નામકર્મને કારણે જીવને શરીર પ્રાપ્ત થાય છે. તેથી જ એક ઠેકાણે અનેક જીવો રહી શકતા નથી, કેમ કે શરીરથી પ્રતિઘાત થાય છે. જ્યારે નામકર્મ નાશ પામે છે ત્યારે પ્રતિઘાતનો પણ અભાવ થાય છે અને પ્રતિઘાતના અભાવને કારણે જ અનંતજીવો એક ઠેકાણે રહી શકે છે. તેથી અનંતજીવોની એક ઠેકાણે અવગાહનાની પ્રાપ્તિ થવી એ નામકર્મના ક્ષયથી પ્રયુક્ત આત્મગુણરૂપ છે.
અહીં વિશેષ એ છે કે અવગાહના આપવાનું કામ આકાશ કરે છે, પણ અવગાહનાની પ્રાપ્તિ જીવને થાય છે. તેથી અવગાહનાની પ્રાપ્તિરૂપ ગુણ જીવને નામકર્મના ક્ષયથી થાય છે.
ટીકાર્ય :- ‘તથાપિ’ અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે તો પણ=પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે અવગાહનાની પ્રાપ્તિ એ આત્માના ગુણરૂપ છે તો પણ, તેનું=અનંતઅવગાહનાનું, નામકર્મની સાથે પ્રતિબદ્ધપણું હો, પણ ગોત્રકર્મ સાથે પ્રતિબદ્ધપણું નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું.