________________
ગાથા - ૧૨૬
૬૧૩ ..... અધ્યાત્મમત પરીક્ષા ..... સ્વાભાવિકી ક્રિયા નથી, કેમ કે આ ત્રણે યોગને પ્રવર્તાવવામાં નામકર્મની અપેક્ષા છે. પુદ્ગલની અંદર થતી પ્રવૃત્તિ નામકર્મની અપેક્ષાએ થાય છે.
આને યુજનકરણ કહેવાનું તાત્પર્ય એ છે કે મન-વચન-કાયાના પ્રવર્તનરૂપે જે વ્યાપાર છે તે જીવને પૌદ્ગલિક પ્રવૃત્તિઓમાં જોડનાર છે, તેથી તેને યુજનકરણ કહેલ છે. આ યુજનકરણ ૧૩માં ગુણસ્થાનક સુધી સર્વ જીવોને હોય છે.
ઉત્થાન - અહીં શંકા થાય કે ગુણકરણમાં પણ શરીરાદિની અપેક્ષા હોવાથી તેને સ્વાભાવિકી ક્રિયા કેવી રીતે કહી શકાય? તેથી કહે છે
ટીકાર્ય - ર = પુરોપિ' ગુણકરણમાં પણ શરીરાદિની અપેક્ષા છે એમ ન કહેવું, કેમ કે સિદ્ધોમાં તેના=શરીરાદિનો, અભાવ છે.
ભાવાર્થ - અહીં શંકાકારનો આશય એ છે કે ગુણને પ્રાદુર્ભાવ કરવા માટે જીવ જે યત્ન કરે છે ત્યારે પણ શરીરાદિની અપેક્ષાએ જ યત્ન વર્તે છે, તેથી કહે છે - યદ્યપિછબસ્થાવસ્થામાં શરીરાદિની અપેક્ષાએ જ ગુણકરણ પ્રવર્તે છે, પરંતુ કેવલીને શરીરાદિથી નિરપેક્ષ તે યત્ન પ્રવર્તે છે. આથી જ સિદ્ધભગવંતોને શરીરાદિ નહિ હોવા છતાં ગુણને ફુરણ કરવારૂપ ગુણકરણ ત્યાં પ્રવર્તે છે.
ઉત્થાન - ચારિત્ર-તપને યોગાદિ સાપેક્ષ માનનારના મતે પણ ગુણકરણ તરીકે જ્ઞાનથી અપૃથભૂત એવા નિશ્ચયિક તપ-ચારિત્રનું જ ગ્રહણ કરવાનું છે. તે બતાવતાં ગ્રંથકાર કહે છે
ટીકાર્ય - વારિત્રતાસો: વળી ચારિત્ર અને તપનું પણ યોગાદિનું અપેક્ષાપણું છે, એ પ્રકારના મતમાં જ્ઞાનની સાથે અવિશ્વભૂત એવા નૈશ્ચયિક તપ-ચારિત્રનું જ અહીં કેવલીમાં, ગ્રહણ કરવું, એ પ્રમાણે મંતવ્ય છે.
ભાવાર્થ:- શ્રુતજ્ઞાનને તો યોગાદિની અપેક્ષા છે, પરંતુ ચારિત્ર અને તપને પણ યોગાદિની અપેક્ષા છે એવું જે માને છે તે મત પ્રમાણે, કેવલીનું શ્રુતજ્ઞાન કેવલજ્ઞાનમાં અંતર્ભાવ થવાથી અને કેવલજ્ઞાન યોગાદિનિરપેક્ષ છે માટે, કેવલજ્ઞાનને આશ્રયીને શ્રુતને શરીરાદિની અપેક્ષા ન હોય; પરંતુ ચારિત્ર અને તપને યોગાદિની અપેક્ષા છે. તેથી તેમના મત પ્રમાણે કેવલીને નોશ્રુતગુણકરણને આશ્રયીને સ્વાભાવિકી ક્રિયા સિદ્ધ થઈ શકે નહિ. તેથી કહે છે કે એ મતમાં વ્યવહારને અભિમત ચારિત્ર અને તપનું જે ગ્રહણ કરેલ છે તેનું અહીં ગ્રહણ કરવાનું નથી, પરંતુ જ્ઞાનની સાથે અપૃથભૂત એવા નૈૠયિક તપ-સંયમનું કેવલીમાં ગ્રહણ કરવું. તેથી કેવલજ્ઞાનને જેમ પરની અપેક્ષા નથી, તેમ કેવલજ્ઞાનથી અપૃથંભૂત એવા ચારિત્ર-તપને પણ શરીરાદિની અપેક્ષા નથી, માટે નોડ્યુતગુણકરણને આશ્રયીને પણ સ્વાભાવિકી ક્રિયા કેવલીને છે. I૧૨૬ll