SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. . . અધ્યાત્મમત પરીક્ષા ............ ગાથા ૧૮. ભાવાર્થ-નામનું લક્ષણ કરીને ત્યાં નામ અર્ણવત્પર છે એમ કહ્યું ત્યાં યોગાર્ભવત્પર ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે, યોગાર્ભવત્પર હોય અને ધાતુ-વિભક્તિ-વાક્યથી ભિન્ન હોય તે નામ છે, અને તેને “સ્વાદિ' પ્રત્યયો લાગે, તેથી રામઃ ઈત્યાદિમાં ૨કારાદિને સ્વાદિ પ્રત્યય લાગવાનો પ્રસંગ આવશે નહિ. ઉત્થાન :-અહીં પ્રશ્ન થાય કે, ચૈત્રાદિ સંકેતિત શબ્દો છે ત્યાં પણ સ્થાદિ પ્રત્યય લાગવા જોઈએ નહિ, અને ત્યાં ત્યાદિ પ્રત્યયો લાગે છે. તેથી કહે છે ટીકાર્ય -ચૈત્રાતિ' -ચૈત્રાદિ શબ્દોનો પણ યોગાર્થમાં અબાધ છે, અર્થાત્ ચૈત્રાદિ શબ્દો યોગાર્ભવત્પર છે. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે, કોઈ વ્યક્તિનું ચૈત્ર-મૈત્ર આદિ નામ રાખવામાં આવે છે તે સાંકેતિક છે, તો તેને યોગાર્ભવત્પર કઈ રીતે કહી શકાય? તેથી કહે છે ટીકાર્ય -સર્વે' - સર્વે શબ્દો વ્યુત્પન્ન (વ્યુત્પત્તિથી બનેલા) જ છે, એ પ્રકારે પક્ષનું આશ્રયણ હોવાથી આધુનિક સંકેતિત ચૈત્રાદિ શબ્દોમાં પણ યોગાર્થનો અબાધ છે, તેથી તેઓને “યાદિ વિભક્તિ લાગે તે યોગ્ય છે. અને પદના એક દેશમાં યોગાથે સંભવતો નથી, એથી કરીને તેનાથી=પદના એક દેશથી યાદિની ઉત્પત્તિ નથી. અને , રામમાં “ર”કારાદિ પદના એક દેશરૂપ છે, તેથી ત્યાં યોગાથે સંભવતો નથી. માટે રામાદિ શબ્દમાં “ર'કારાદિને યાદિ વિભક્તિ લાગવાનો પ્રસંગ નથી. ભાવાર્થ:- શબ્દને યોગાર્થ માનવાના વિષયમાં બે પક્ષો છે. (૧) એક પણ દરેક શબ્દને વ્યુત્પત્તિથી સિદ્ધ અર્થવાળા માને છે, તેથી તેમના મતમાં દરેક શબ્દ કોઈને કોઈ વ્યુત્પત્તિથી સિદ્ધ હોય છે. તેથી કોઈ વ્યક્તિનું ચૈત્રાદિ નામ રાખવામાં આવે તે નામ સાંકેતિક હોવા છતાં ચૈત્ર શબ્દ પણ વ્યુત્પત્તિસિદ્ધ છે, તેથી ત્યાં યાદિ પ્રત્યય એ પક્ષને આશ્રયીને સ્વીકારવામાં આવે છે. જ્યારે (૨) અન્ય પક્ષના મતે કેટલાક શબ્દો વ્યુત્પત્તિસિદ્ધ છે અને કેટલાક સાંકેતિક શબ્દો છે. તેમાં જે વ્યુત્પત્તિસિદ્ધ શબ્દો છે તે યોગાWપર કહેવાય, અને સાંકેતિક શબ્દો છે તે યોગાWપરન કહેવાય. તેથી એ બીજા પક્ષને આશ્રયીને વિચારીએ તો, કોઈ વ્યક્તિનું નામ ચૈત્ર રાખવામાં આવે તો તે યોગાર્થપર બને નહિ. તેથી પ્રસ્તુતમાં બીજા પક્ષનો ત્યાગ કરીને પ્રથમ પક્ષને ગ્રહણ કરવા અર્થે જ કહેલ છે કે, સર્વ શબ્દો વ્યુત્પન્ન છે, એ પ્રકારના પક્ષનો આશ્રય હોવાથી ચૈત્રાદિ શબ્દો યોગાWપર છે; જ્યારે રામ: ઇત્યાદિમાં રકારાદિ પ્રત્યેક પદ યોગાWપર નથી. માટે ચૈત્રાદિ પદને સ્વાદિ પ્રત્યય લાગે અને રામ ઈત્યાદિમાં રકારાદિને સ્વાદિ પ્રત્યય ન લાગે. એ રીતે પ્રસ્તુતમાં “મિચ્છા મિ દુક્કડના પ્રત્યેક પદને પણ સ્વાદિ પ્રત્યય લાગતા નથી, ટીકાનનુરાવો પનચપલાવિહેતુત્વપર્યવર્ણવત્ત્વ, સુવાવયપિ, માળાક્ષાदिमहिम्नार्थवत्पदेभ्य एवापूर्ववाक्यार्थलाभात् । एवं च वाक्यस्यापिनार्थवत्त्वमिति कुतस्तरां पदैकदेशस्य तथात्वमिति चेत् ? न, सङ्केतविशेषप्रतिसन्धानेन पदैकदेशादप्यर्थप्रत्ययानुभवेन तस्याप्यर्थवत्त्वाद् ।
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy