SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૨૫ . અધ્યાત્મમત પરીક્ષા. • ૫૯૭ त्मशक्तिप्रसाः, तत्पर्यायाणां तन्निष्ठध्वंसप्रतियोगित्वात् न वाऽभव्यात्मन्यन्तरात्मादिशक्त्यभावप्रसङ्गः, अन्तरात्मनामात्मपदप्रवृत्तिनिमित्तसम्यग्दर्शनकेवलज्ञानादिधर्माणामावरणमात्रेण तत्रात्यन्ताभावाभावात्। अवादिषं च ... एत्थ णिरंजणभावे अंजणमवि बिंति ववहरणकुसला । વં પુ વાપંતી સહસપિ નિષ્ણા || ત્તિ | ટીકર્થ “જિ' અહીં–બહિરાત્માદિમાં અંતરાત્માદિ શક્તિરૂપે કહ્યાં ત્યાં, જો કે શક્તિ તિર્યક્ષામાન્યરૂપ નથી, કેમ કે મિથ્યાષ્ટિનો સમ્યગ્દષ્ટિ સાથે તુલ્યપણાનો અભાવ છે. ભાવાર્થ-મિથ્યાષ્ટિ આત્મા બહિરાત્મા છે, અને તેમાં અંતરાત્મા અને પરમાત્મા બંને શક્તિરૂપે છે. અને જો શક્તિને તિર્યસામાન્યરૂપ માનીએ તો બધા બાહ્યાત્મામાં મિથ્યાદષ્ટિવરૂપ તુલ્યત્વ છે જે તિર્યસામાન્યસ્વરૂપ છે અને તે અંતરાત્માની શક્તિરૂપ છે તેમ કહી શકાય. પરંતુ પરમાત્મભાવ શક્તિરૂપે બહિરાત્મા અને અંતરાત્મા બંનેમાં છે, તેથી મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ બંનેમાં જો કોઈ તુલ્યપણું હોય તો તેને તિર્યકસામાન્યરૂપે ગ્રહણ કરીને પરમાત્મભાવની શક્તિરૂપે કહી શકાય. પરંતુ મિથ્યાષ્ટિનું સમ્યગ્દષ્ટિની સાથે તુલ્યપણું નથી. તેથી તિર્યસામાન્યરૂપ શક્તિસ્વરૂપ પરમાત્મભાવ બાહ્યાત્મા અને અંતરાત્મામાં છે તેમ કહી શકાય નહિ. તેથી શક્તિ તિર્યસામાન્યરૂપ નથી. ઉત્થાન - મિથ્યાદષ્ટિનો સમ્યગ્દષ્ટિની સાથે તુલ્યપણાનો અભાવ હોવાથી તિર્લફસામાન્યરૂપ શક્તિને ગ્રહણ કરીને પરમાત્મભાવ બાહ્યાત્મા અને અંતરાત્મામાં શક્તિરૂપે છે તેમ કહી શકાશે નહિ, એમ પૂર્વમાં સ્થાપન કર્યું. તેનું સમાધાન કોઇ આ રીતે કરે કે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિમાં કોઈ એક અનુગતધર્મની કલ્પના કરીશું કે જે બંનેમાં વર્તે છે અને તે રૂપ તિર્યસામાન્ય પરમાત્મભાવની શક્તિરૂપ છે તેથી કોઈ દોષ આવશે નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ટીકાર્ણ - નોનસ્િ' - જે કોઇપણ ધર્મ વડે તુલ્યપણાનુ અતિપ્રસંગીપણું છે. ભાવાર્થ - બહિરાત્મામાં અને અંતરાત્મામાં પરમાત્મભાવની શક્તિ સ્વીકારવા માટે કોઈ એમ કહે કે બહિરાત્મભાવવાળા એવા મિથ્યાષ્ટિમાં અને અંતરાત્મભાવવાળા એવા સમ્યગ્દષ્ટિમાં કોઇક અનુગત ધર્મ ગ્રહણ કરીને તુલ્યતા સ્વીકારીશું અને તે ધર્મરૂપે પરમાત્મભાવની શક્તિ બહિરાત્મા અને અંતરાત્મામાં તેમ સ્વીકારીશું. તેને ગ્રંથકાર કહે છે કે આવી જે કોઈ ધર્મો દ્વારા તુલ્યતા સ્વીકારવામાં આવે તો અતિપ્રસંગદોષ આવે. તે આ રીતે - આત્મત્વધર્મ ગ્રહણ કરીને પરમાત્મામાં પણ અંતરાત્મભાવની અને બહિરાત્મભાવની શક્તિ છે તેમ માનવું પડે. વસ્તુતઃ પરમાત્મામાં અંતરાત્મભાવ અને બહિરાત્મભાવની શક્તિ નથી પરંતુ ભૂતપૂર્વનયથી १. अत्र निरंजनभावेऽञ्जनमपि ब्रुवन्ति व्यवहरणकुशलाः । एवं पुनर्घनपङ्क्तिः सहस्ररश्मिमपि अज्यात् ।।
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy