SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૭૬-૧૭૭. . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .................. ૯૧૫ ટીકાર્થ તપુt-તે કહ્યું છે દ્વિષિ-‘નથ’=વર્તમાનકાલીન પ્રાપ્ત થયેલી બોધિને નહિ કરતો અને અનાગત=ભવિષ્યકાલીન, બોધિની પ્રાર્થના કરતો અન્ય બોધિને કયા મૂલથી તું પામીશ? દર અહીં ‘વારું' શબ્દ અસૂયા અર્થમાં નિપાત છે, અને બીજા વળી આ રીતે અર્થ કરે છે, “અચામિલાની' = હમણાં પ્રાપ્ત થઇ છે તેવી અન્ય બોધિને કયા મૂલ્યથી તું પામીશ? આ બીજા અર્થમાં સારું'નો અર્થ 'ફલાન' કરેલ $ “ત્તિ' શબ્દ ઉપદેશમાલાના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ અહીં ‘વારું' શબ્દ અસૂયા અર્થમાં ગ્રહણ કરીએ ત્યારે એ અર્થ પ્રાપ્ત થાય છે, ઉપદેશક અનુદ્યમશીલની પ્રાર્થનાને સહન નહિ કરી શકવાથી અસૂયાપૂર્વક ઉપદેશ આપે છે કે, આ ભવમાં પ્રાપ્ત થયેલ જિનધર્મરૂપી બોધિને અનુષ્ઠાન દ્વારા સફળ નહિ કરતો, અને ભવિષ્યમાં બોધિની પ્રાપ્તિની પ્રાર્થના કરતો, અન્યબોધિને ક્યા મૂલ્યથી તું મેળવીશ? અર્થાત્ આ ભવમાં અનુષ્ઠાન દ્વારા બોધિને સફળ કરવામાં આવે તો તે અનુષ્ઠાનના સંસ્કારો આત્મામાં રહે છે, અને તેના બળથી જ જન્માંતરમાં જિનધર્મની પ્રાપ્તિ અને રુચિ રહે છે; પરંતુ આ ભવમાં જેઓ સમ્ય યત્ન કરતા નથી તેમને અનુષ્ઠાનના સંસ્કારો પડતા નથી. માટે પ્રાર્થનામાત્રથી જન્માંતરમાં બોધિ મળશે નહિ, એ પ્રકારે અસૂયાથી ઉપદેશ આપે છે. અને સારું નો અર્થ અન્ય વળી રૂાની' કરે છે તેને ગ્રહણ કરીએ તો, વર્તમાનની બોધિ સદશ અન્યબોધિને કયા મૂલ્યથી તું મેળવીશ? એ પ્રકારનો અર્થ સમજવો. ટીકા - નનુ તથાપિ મોક્ષેચ્છાવિરૂપપ્રવૃત્તિમપૂર્યો ત્યાં તોષાદેવ ર પ્રવૃત્તિપિતિ વેત્ર कर्मदोषस्याऽनिर्णयात्, अविवेकादप्रवृत्तेः, तन्निरासायोपदेशादित्युक्तप्रायम् ॥१७६-१७७॥ , ટીકાર્ય - “નનુથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, તો પણ સંયમમાં ઉદ્યમવાળાની પ્રાર્થના સફળ છે અને અનુઘમવાળાની સફળ નથી તો પણ, (અનુદ્યમવાળાની) મોક્ષેચ્છારૂપ પ્રવૃત્તિની સામગ્રી હોવા છતાં કર્મના દોષથી જ પ્રવૃત્તિ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે કર્મદોષનો અનિર્ણય હોવાથી (કર્મદોષથી અપ્રવૃત્તિ નથી પરંતુ) અવિવેકને કારણે અપ્રવૃત્તિ છે, તેથી તેના નિરાસ માટે અવિવેકના નિરાસ માટે, (ભગવંતોનો) ઉપદેશ છે. આ ઉક્તપ્રાય છે. “રૂતિ' શબ્દ “તદ્' અર્થક છે. ભાવાર્થ શંકાકારનો આશય એ છે કે, ઉદ્યમ નહિ કરનારાઓ મોક્ષની ઇચ્છારૂપ પ્રવૃત્તિની સામગ્રી હોવા છતાં કર્મદોષના કારણે પ્રવૃત્તિ કરતા નથી; અર્થાત્ પ્રવૃત્તિની સામગ્રી જેમ મોક્ષની ઇચ્છા છે તેમ તત્ પ્રતિબંધક કર્મનો અભાવ પણ છે, અને જેઓ પ્રાર્થના કરે છે અને ઉદ્યમ કરતા નથી તેઓ પ્રવૃત્તિ કરતા નથી તેનું કારણ પ્રતિબંધક કર્મો છે, પરંતુ મોક્ષની ઇચ્છારૂપ સામગ્રીનો અભાવ નથી. તેથી ઉદ્યમ નહિ કરનારની પ્રાર્થના અકિંચિત્કર કહી શકાશે નહિ. તેને ગ્રંથકાર કહે છે કે એ વાત બરાબર નથી, કેમ કે કર્મદોષનો અનિર્ણય છે. B-૨૩
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy