SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , , , , , ' , , , ગાથા : ૧૭૨ ... • અધ્યાત્મમત પરીક્ષા = • • • • • • • • •. . . . . . . . .૮૬૯ ટીકા - સંયમો યમ (સંય યત્ર) દ્વારા નવા નક્ષત્તર: आसन्नकालभवसिद्धियस्स जीवस्स लक्खणं इणमो । विसयसुहेसु ण रज्जइ सव्वत्थामेण उज्जमइ ॥ त्ति । [ उपदेशमाला-२९० ] एवं संयमप्रवृत्तिरेवासन्नसिद्धिकत्वस्य तद्व्यापकभव्यत्वस्य च, व्याप्यव्याप्यस्य सुतरां व्याप्यत्वात् । तथा च तज्ज्ञानमेव विशेषदर्शनतया तद्विपरीतदीर्घसंसारित्वाऽभव्यत्वशङ्कानिवर्त्तकमिति । ततस्तन्निवृत्तौ निराबाधा मोक्षोपाये प्रवृत्तिः । ટીકાર્ય - “સંયમે' સંયમમાં યત્ન જ આસસિદ્ધિક જીવનું લક્ષણ છે. તે કહ્યું છે - આસન્નકાળમાં ભવથી સિદ્ધિ છે જેની તે આસન્નકાળભવસિદ્ધિક કહેવાય, અને તે જીવોનું આ લક્ષણ છે કે, વિષયસુખમાં રક્ત થતા નથી (અને) સર્વથાનમેવ સર્વ પ્રયત્નથી (ચારિત્રમાં) ઉદ્યમ કરે છે. ઈફ “ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. દીક ટીકામાં સંયમ યમ ાવ પાઠ છે ત્યાં “સંયમે ય વ પાઠ હોવો જોઇએ. તે મુજબ અર્થ કરેલ છે. ટીકાર્ય :- “પર્વ - આ રીતે = સંયમમાં યત્ન જ આસન્નસિદ્ધિક જીવનું લક્ષણ છે એ રીતે, સંયમપ્રવૃત્તિ જ - આસન્નસિદ્ધિકત્વનું અને તેના વ્યાપક = આસન્નસિદ્ધિકત્વના વ્યાપક, ભવ્યત્વનું લક્ષણ છે. ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે સંયમમાં પ્રવૃત્તિ આસન્નસિદ્ધિકત્વનું લક્ષણ બની શકે, પરંતુ તદું વ્યાપક એવા ભવ્યત્વે લક્ષણ કેવી રીતે બની શકે? તેથી કહે છે - ટીકાર્ય - વ્યાપ્ય વ્યાપ્યના વ્યાપ્યનું સુતરાં વ્યાપ્યપણું છે=ભવ્યત્વનું વ્યાપ્ય આસન્નસિદ્ધિકત્વ છે, અને તેનું વ્યાપ્ય સંયમની પ્રવૃત્તિ છે. તે સંયમની પ્રવૃત્તિનું વ્યાપક એવા ભવ્યત્વની સાથે સુતરાં વ્યાપ્યપણું છે. ભાવાર્થઃ- “ભવ્યત્વ' વ્યાપક છે. એનું વ્યાપ્ય આસન્નસિદ્ધિકત્વ છે, અને એનું વ્યાપ્ત સંયમ પ્રવૃત્તિ છે. તેથી જ્યાં જ્યાં સંયમપ્રવૃત્તિ હોય ત્યાં ત્યાં જેમ આસન્નસિદ્ધિકત્વ હોય, તેમ ભવ્યત્વ પણ હોય. માટે જ્યાં સંયમની પ્રવૃત્તિ દેખાય ત્યાં જેમ આસન્નસિદ્ધિત્વ છે, તેમ ભવ્યત્વ પણ અવશ્ય છે, એમ નિર્ણય થઈ જાય છે. ટીકાર્યઃ- તથા ર” અને તે રીતે = સંયમમાં યત્ન જ આસન્નસિદ્ધિત્વ અને ભવ્યત્વનું લક્ષણ છે તે રીતે, તેનું જ્ઞાન જ=આસન્નસિદ્ધિકત્વ અને ભવ્યત્વના લક્ષણરૂપ સંયમપ્રવૃત્તિનું જ્ઞાન , વિશેષના દર્શનપણાથી=હું પણ શાસ્ત્રમાં બતાવેલા સંયમયોગોમાં યત્ન કરી શકું તેમ છું, એ પ્રકારના વિશેષના દર્શનપણાથી, તેનાથી વિપરીત=સંયમથી વિપરીત, એવા દીર્ધસંસારીપણાની અને અભવ્યપણાની શંકાનું નિવર્તક છે. १. आसन्नकालभवसिद्धिकस्य जीवस्य लक्षणमिदम्। विषयसुखेषु न रज्यते सर्वस्थानेषूद्यच्छति ॥
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy