SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ . . .૮૫૫ ગાથા -૧૬૯........ અધ્યાત્મમત પરીક્ષા... આવે. પરંતુ શાસ્ત્રમાં સભ્ય આચરણા કરતા પણ દરેક ચારિત્રીઓને અવ્યવસાયની વિચિત્રતાથી જ નિર્જરાની વિચિત્રતા કહેલી છે. ટીકા - નવેમચર્થવ માવરિમાવના કિનલ્પિવીના નિનવનતિ પ્રવૃત્તિને વિત્યુતિ विस्मृतमिति चेत् ? न विस्मृतं, त्वयैव प्रत्युताऽयुक्तमुक्तम्, शक्त्यनिगृहनेन संयमवीर्योल्लास एव हि चारित्रं परिपूर्यते, जिनकल्पिकादीनां च स्थविरकल्पापेक्षया विशिष्टमार्गे जिनकल्पेशक्तानां विपरीतशङ्कया तत्र शक्तिनिगृहने चारित्रमेव हीयेत, कुतस्तरां तदतिरेकाधीनभाववैचित्र्यप्राप्तिसम्भावना ? स्त्रीणां तु विशिष्टमार्गे शक्तिरेव नेति स्वोचितचारित्रे शक्तिमनिगृह्य प्रवर्त्तमानानां न नाम शक्तिनिगूहनाधीना चारित्रहानिरस्ति । एवं चोत्तरोत्तरं चारित्रवृद्धिरेव तासां सम्भवतीति सम्भवति भाववैचित्र्याधीनो विचित्रकर्मक्षयः । इदमेवाभिप्रेत्योक्तं - “નિનવને નાનીને શ્રદ્ધાંજે વતિ વાર્થિશાશનમ્ | नास्यास्त्यसम्भवोऽस्य नादृष्टविरोधगतिरस्ति ॥" इति। ટીકાર્ય - નવં “તુથી શંકા કરતાં પૂર્વપક્ષી = દિગંબર, કહે છે કે આ રીતે = સ્ત્રીઓ પ્રબળ કર્મવાળી હોવા છતાં અને કઠોરચર્યા સ્ત્રીઓને નહિ હોવા છતાં અધ્યવસાયના વૈચિત્ર્યથી જ શપબ્રેણિનાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરાવિશેષને પ્રાપ્ત કરે છે એ રીતે, અન્યથા જ = જિનકલ્પિકાદિકના ગ્રહણ વગર જ, ભાવવૈચિત્ર્યની સંભાવના હોવાને કારણે જિનકલ્પિકાદિની જિનકલ્પાદિમાં પ્રવૃત્તિ નહિ થાય, એ પ્રમાણે (અમારા વડે) કહેવાયું એ શું તમે ભૂલી ગયા? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે અમે ભૂલી ગયા નથી. ઊલટું તારા વડે જ (પૂર્વપક્ષી વડે જ) અયુક્ત કહેવાયું છે. કારણ કે શક્તિના અનિગૂહન વડે = શક્તિ નહિ ગોપવવા વડે, સંયમમાં વર્ષોલ્લાસ જ ચારિત્રને પરિપૂર્ણ કરે છે. અને વિકલ્પની અપેક્ષાએ વિશિષ્ટ માર્ગરૂપ જિનકલ્પમાં શક્તિશાળી એવા જિનકલ્પિકાદિઓની વિપરીત શંકા વડે = જિનકલ્પિકાદિના ગ્રહણ - વગર પણ વિશિષ્ટ અધ્યવસાયોથી મારે વિશિષ્ટ નિર્જરા સંભવિત જ છે, તો પછી શા માટે જિનકલ્પાદિ સ્વીકારું ? આવી વિપરીત શંકા વડે, ત્યાં = જિનકલ્પમાં, શક્તિના નિગૂહનમાં = શક્તિ ગોપવવામાં, ચારિત્ર જ હીન થાય છે. તો પછી ત૬ અતિરેકને આધીન = શક્તિના અતિરેકને આધીન, ભાવવૈચિત્ર્યની સંભાવના ક્યાંથી હોય? વળી સ્ત્રીઓને વિશિષ્ટ માર્ગમાં શક્તિ જ નથી, એથી કરીને સ્વઉચિત ચારિત્રમાં શક્તિને નહિ ગોપવીને પ્રવર્તમાન સ્ત્રીઓને શક્તિનિગૂહનઆધીન = શક્તિ ગોપવવાને આધીન, ચારિત્રહાનિ ન હોય, અને એ રીતે = પોતાને ઉચિત ચારિત્રમાં શક્તિને ગોપવ્યા વિના પ્રવર્તમાન સ્ત્રીઓને શક્તિનિગૂહનઆધીન ચારિત્રની હાનિ ન હોય એ રીતે, ઉત્તરોત્તર ચારિત્રની વૃદ્ધિ જ તેઓને = સ્ત્રીઓને, સંભવે છે. જેથી કરીને ભાવવૈચિત્ર્યને આધીન વિચિત્ર કર્મક્ષય સંભવે છે. રુમેવામmત્યો - આ જ અભિપ્રાયને આશ્રયીને કહેવાયું છે, અર્થાત્ પૂર્વમાં કહ્યું કે આ જ રીતે ઉત્તરોત્તર ચારિત્રવૃદ્ધિ સ્ત્રીઓને સંભવે છે, જેથી કરીને ભાવવૈચિત્ર્યને આધીન વિચિત્ર કર્મક્ષય સંભવે છે, આને જ સામે રાખીને કહ્યું છે. આર્થિકા = સાધ્વી, જિનવચનને જાણે છે, શ્રદ્ધા કરે છે અને) અશબલ
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy