SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમતપરીક્ષા ગાથા - ૧૬૪ ટીકાર્ય :- ‘અપિ =’ - અને વળી સર્વ સ્રીઓને હીનબળપણું પણ અસિદ્ધ છે, કેમ કે મલ્લિનાથ ભગવાન આદિ સ્ત્રીઓને અનંતબળપણું છે, અને વર્તમાનકાલીન સ્ત્રીઓનું પણ તપોવ્યાપારાદિમાં પ્રાયઃ પુરુષની અપેક્ષાએ પ્રકૃષ્ટપણું દેખાય છે. એથી કરીને આ=બળની અપેક્ષાએ પુરુષ કરતાં સ્ત્રીઓને હીનપણું, અનૈકાંતિક છે. ‘તેન’ - આના દ્વારા=સર્વ સ્રીઓને હીનબલત્વ અસિદ્ધ છે. આના દ્વારા, અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત્તના અનુપદેશથી તેઓને=સ્રીઓને, હીનબળપણું છે એ પણ નિરસ્ત જાણવું. કેમ કે શાસ્ત્રમાં યોગ્યતા જોઇને જ વિચિત્ર વિશુદ્ધિનો ઉપદેશ છે. પુત્ત ત્ર – અને કહ્યું છે - સંવર અને નિર્જરારૂપ બહુ પ્રકારે તપોવિધિ શાસ્ત્રમાં સંભળાય છે. (તે) રોગચિકિત્સા = વિધિની જેમ કોઇને પણ ક્યારે ઉપકારી બને છે. દર‘કૃત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ટીકા :- યત્તુ-‘દ્દીનત્વાર્' કૃત્યસ્ય સુષિરપૂરળાયાં પુરુષાપેક્ષવાડવા નાદ્દીનત્વાવિત્યર્થ કૃતિतदुन्मत्ताध्यात्मिकप्रलपितं, रत्नत्रयसाम्राज्ये सिद्धेऽवगाहनाहीनत्वस्याऽकिञ्चित्करत्वात्, स्वशरीरापेक्षया सर्वत्रावगाहनावैषम्याभावाच्च, अन्यथा स्थूलकृशादिशरीरभेदेन तद्व्यवस्थाविप्लवप्रसङ्गात् । एतेन संस्थानहीनत्वादित्यादिकमपास्तं, अनित्थंस्थे निष्ठसंस्थाने सर्वसंस्थानसमावेशात् । ટીકાર્ય :-‘યદુ’- જે વળી‘દીનાત્’હેતુ આપ્યો છે, એનો શૂષિરપૂરણામાં પુરુષની અપેક્ષાએ અવગાહનાહીનપણું હોવાથી, એ પ્રમાણે અર્થ (કરે છે), તે ઉન્મત્ત એવા આધ્યાત્મિક વડે પ્રલપિત=કહેવાયેલ છે. કેમ કે, રત્નત્રયીનું સામ્રાજ્ય સિદ્ધ થયે છતે અવગાહનાહીનપણાનું અકિંચિત્ક૨૫ણું છે. (અને અવગાહનાહીનપણાનું કિંચિત્ક૨પણું માનીએ તો પણ) સ્વશરીરની અપેક્ષાએ સર્વત્ર અવગાહનાના વૈષમ્યનો=વિષમપણાનો, અભાવ છે. અન્યથા=સ્વશરીરની અપેક્ષાએ સર્વ સિદ્ધોના જીવોમાં ૨/૩ભાગરૂપ સમાનતાને કારણે વૈષમ્યાભાવ ન માનો તો, સ્થૂલકૃશાદિ શરીરના ભેદથી તદ્ભવસ્થાના= અવગાહનાની વ્યવસ્થાના, વિપ્લવનો=નાશનો, પ્રસંગ પ્રાપ્ત થશે. ‘યત્તુ’નો અન્વય –‘તનુન્મત્તાધ્યાત્મિપ્ર પિત’એ પ્રમાણે છે. હજૈનત્વાનો અર્થ શૂષિરપૂરણામાં પુરુષની અપેક્ષાએ અવગાહનાહીનપણું છે, આવું હીનપણું હોવાથી સ્ત્રીઓને મોક્ષ નથી, એ પ્રમાણે કથન ઉન્મત્ત આધ્યાત્મિક પ્રલપિત છે, એમ અન્વય સમજવો. ભાવાર્થ :- ‘ચત્તુ’થી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સિદ્ધાવસ્થામાં પૂર્વશરીર કરતાં શરીરના ત્રીજા ભાગમાં જે પોલાણ હોય છે તે રૂપ શુષિર પૂર્ણ થાય છે, તેથી સ્વશરીરની અપેક્ષાએ ૨/૩ ભાગ અવગાહના રહે છે. તે રૂપ શુષિરપૂરણામાં પુરુષની અપેક્ષાએ સ્ત્રીઓનું અવગાહનાહીનપણું છે, કેમ કે સ્ત્રીઓનું શરીર પુરુષ કરતાં કદમાં ટૂંકું હોય છે. તેથી અવગાહનાહીનપણાને કારણે સ્ત્રીમાં ચારિત્ર નથી, એ પ્રકારનું જે આધ્યાત્મિકનું કથન છે, તે ઉન્મત્તના પ્રલાપ જેવું છે. કેમ કે રત્નત્રય સામ્રાજ્યરૂપ સાધ્ય સિદ્ધ થયે છતે અવગાહનાની હીનતાનું અકિંચિત્કરપણું
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy