SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬. . • • • • • કે , , , , , , , , , , , , , , , , , , , , , , અધ્યાત્મમત પરીક્ષા • • • • • • • •. ..ગાથા : ૧૫૮ આ રીતે છએ કારકો એક આત્મારૂપ પદાર્થમાં જ સમાવેશ પામે છે. જો આત્મા અને જ્ઞાન, કુંભાર અને ઘટની જેમ પૃથફ હોત તો છએ કારણોનો એકત્ર સમાવેશ ન થાય. ટીકા - નવચંદ્રવં સમાવેશડવર્ણનાત્પમિતિ ? ત્રિા' આત્મનિમર્તના વેરિ'[યો. શા. ४-२] इत्यादि प्रयोगा विस्मृताः । तत्र विषयत्वरूपं कर्मत्वमाश्रयत्वरूपं कर्तृत्वं च नोक्तमिति चेत् ? विवक्षाधीने कारके का वा भाक्ताऽभाक्तव्यवस्था ? 'प्रयोगबाहुल्याऽबाहुल्यानुसारिणीयमिति चेत् ? सेयं स्वेच्छानुसारेणैव प्रमाणमिति दिग् । एवं दर्शनादिक्रियाणामपि स्वभावसिद्धत्वमुन्नेयम्, न हि तेषां काचन विभावक्रियाऽस्ति यस्यां स्वभावो न निविशेत, ટીકાર્ય નથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અન્યત્ર આ પ્રકારે સમાવેશનું, અદર્શન હોવાથી આ અદષ્ટકલ્પનછે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તો શું “આત્માને આત્મા વડે જાણે છે” ઇત્યાદિ પ્રયોગો વિસ્મૃત થઈ ગયા? ભાવાર્થ-પૂર્વપક્ષનો કહેવાનો આશય એ છે કે, પૂર્વમાં છએ કારકોનો એકત્ર સમાવેશ કર્યો તે અકલ્પન છે, કેમ કે અન્યત્ર આવા પ્રકારનો એક જ વ્યક્તિમાં છએ કારકોનો સમાવેશ દેખાતો નથી, પરંતુ સર્વત્ર ભિન્ન ભિન્ન વ્યક્તિમાં ભિન્ન ભિન્ન કારકત્વ દેખાય છે. જેમ કુંભારમાં કર્તા કારકત્વ, ઘટમાં કર્મકારકત્વ, દંડમાં કરણકારકત્વ ઇત્યાદિ દેખાય છે. તેના સમાધાનરૂપે કહે છે કે માત્માનાત્મના ત્તિ ઈત્યાદિ પ્રયોગો સર્વ કારકોના એક ઠેકાણે સમાવેશને બતાવે છે, તે શું તમારા વડે વિસ્મૃત થઈ ગયા? ટીકાર્ય - “તત્ર' - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે છે કે, ત્યાં='તથાદિથી તમે છએ કારકો એકત્ર બતાવ્યાં ત્યાં, વિષયવરૂપ કર્મત્વ અને આશ્રયસ્વરૂપ કર્તુત્વ કેમ ન કહ્યું? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, વિવક્ષાઆધીન કારકમાં શું ભાક્તવ્યવસ્થા અથવા શું અભાક્તવ્યવસ્થા? વિપક્ષીઆધીન કારક હોવાને કારણે ભાક્ત-અભાત વ્યવસ્થા નથી. ભાવાર્થ - પૂર્વપક્ષીના કથનનું તાત્પર્ય એ છે કે, સામાન્ય રીતે કર્તા જે ક્રિયા કરે છે તેનો જે વિષય હોય તેને કર્મ કહેવાય છે. જેમ કુંભારની ક્રિયાનો વિષય ઘટ છે માટે ઘટ કર્મ છે. અને કાર્યને અનુકૂળ જે ક્રિયા છે તેનો આશ્રય જે હોય તે કર્તા છે. જેમ ઘટરૂપ કાર્યને અનુકૂળ કુંભારની જે ક્રિયા છે તેનો આશ્રય કુંભાર છે. માટે ક્રિયાના વિષયત્વરૂપ કર્મત્વ છે અને ક્રિયાના આશ્રયત્નરૂપ કર્તુત્વ છે એમ તમે કહ્યું, પરંતુ જ્ઞતિક્રિયાનો જે સ્વતંત્ર પ્રયોક્તા છે તેને કર્તા કહ્યો અને જ્ઞતિક્રિયા પ્રાપ્રમાણ છે માટે તેને કર્મ કહ્યું, પરંતુ ક્રિયાના વિષયને કર્મ ન કહ્યું. વાસ્તવિક રીતે કુંભારની ક્રિયા કુંભાર વડે પ્રાપ્યમાણ છે છતાં કર્મ થતી નથી, પરંતુ કુંભારની ક્રિયાનો વિષય ઘટ છે તે કર્મ થાય છે. તેમ પ્રસ્તુતમાં વિષયવરૂપ કર્મત્વ અને આશ્રયત્નરૂપ કર્તુત્વ તમે કહ્યું નથી, તેથી તમારા પ્રયોગમાં છએ કારકો ઉપચરિત છે, અને કુંભારની ઘટક્રિયામાં છએ કારકો અનુપચરિત છે, એ પ્રકારનો શિકાકારનો આશય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે વિવક્ષાને આધીન કારક હોવાને કારણે ભાક્ત-અભાક્ત વ્યવસ્થા નથી. आत्मानमात्मना वेत्ति मोकत्यागद्य आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy