SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • • • • • • •. . . . .9૭૯ ગાથા - ૧પપ . . . . અધ્યાત્મમત પરીક્ષા. - અહીં વિશેષ એ છે કે, સમ્યક્તનો પરિણામ અને ચારિત્રનો પરિણામ એ બંને જીવના શુદ્ધ-શુદ્ધતર પરિણામ છે; આમ છતાં, સમ્યક્તની પ્રતિજ્ઞા ભાવથી જ્યાં સુધી આ પરિણામ પરિપતિત ન થાય ત્યાં સુધી ગ્રહણ કરવાનું એ પ્રયોજન છે કે, પ્રતિજ્ઞાનો વિષય શ્રદ્ધા છે અને તે શ્રદ્ધાને અનુકૂળ આચરણ યક્ષાવેશ વખતે જીવ કરતો નથી, પરંતુ તેનાથી વિપરીત કુદેવાદિને નમસ્કાર કરે છે. આમ છતાં, પ્રતિજ્ઞામાં ભાવને આશ્રયીને તેવો વિકલ્પ રાખવામાં ન આવે તો વ્યવહારથી પ્રતિજ્ઞાભંગનો દોષ પ્રાપ્ત થાય; જ્યારે ચારિત્રમાં સમિતિ-ગુપ્તિની આચરણાવિષયક પ્રતિજ્ઞા છે, માટે ત્યાં ભાવને આશ્રયીને તે પ્રકારનો વિકલ્પ કરેલ નથી. ઉત્થાન :- આ પ્રકારના સંપ્રદાયપક્ષીના આશયનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર ‘નૂનથી કહે છે ટીકાર્થ “નૂન'- ક્રિયા પણ સામાયિકની પ્રતિજ્ઞાનો વિષય નથી, કેમ કે માવજીવન અવધિકાળથી ન્યૂનવૃત્તિપણું છે, અને માવજીવન અવધિકાળથી જૂનવૃત્તિપણું કેમ છે તેમાં હેતુ કહે છે- “નિરુદ્ધયોગાદિ અવસ્થામાં ક્રિયાનો અભાવ છે. ઉત્થાન અહીં પ્રશ્ન થાય કે સામાયિકની પ્રતિજ્ઞાનો વિષયક્રિયા નથી તો શું છે? તે બતાવતાં પિર'થી કહે છે ટીકાર્ય - પિત્ર'-અને વળી ભાવકૃતના સંકલ્પનો વિષયતાત્ત્વિક ચારિત્ર જ પ્રતિજ્ઞાનો વિષય છે. આથી કરીને જ= ભાવકૃતના સંકલ્પના વિષયવાળું તાત્ત્વિક ચારિત્ર છે આથી કરીને જ, જઘન્યથી તેનું-ચારિત્રનું, સમયમાત્ર કાલમાને કહ્યું છે. કેમ કે ભવના અંત સમયમાં જતાદેશ સંકલ્પનો સમયમાત્ર કાલનો ચારિત્રને અનુકૂળ ભાવશ્રુત સંકલ્પનો, સંભવ છે, અને ત્યારપછી તેવા પ્રકારના સંકલ્પનો ઉપરમ છે.=સંકલ્પ શાંત થાય છે. ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે, જો પ્રતિજ્ઞાનો વિષય તાત્ત્વિક જ ચારિત્ર હોય, અને તેથી ચારિત્રનો જઘન્યકાળ સમયમાત્ર હોય, તો દેશવિરતિની પ્રતિજ્ઞાનો વિષય પણ તાત્ત્વિક ચારિત્ર જ હોવું જોઈએ અને તેનું પણ જઘન્ય સમયમાત્ર કાલમાન હોવું જોઈએ. પરંતુ દેશવિરતિનું કાલમાન જઘન્યથી અંતર્મુહૂર્ત છે, માટે ચારિત્રના જઘન્ય કાલમાનના બળથી પ્રતિજ્ઞાનો વિષય તાત્ત્વિક જ ચારિત્ર છે તેમ કહી શકાય નહીં. તેથી કહે છે ટીકાર્થ રેશવિસ્તરતુ' - દેશવિરતિનું નાનાભંગ વિકલ્પથી કવલિતપણું હોવાથી તથાપણું નથી=દેશવિરતિ અનેક ભાગાના વિકલ્પોવાળી હોવાથી જઘન્યથી સમયમાનપણું નથી. [; “કૃતિ' શબ્દ સિદ્ધાંતકારે સંપ્રદાયપક્ષીનું નિરાકરણ કર્યું, તેની સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ - સિદ્ધાંતકારને એ કહેવું છે કે, સામાયિકની પ્રતિજ્ઞાનો વિષય ક્રિયા પણ નથી, અર્થાત્ સંપ્રદાયપક્ષીએ જીવના શુદ્ધતર પરિણામરૂપ ચારિત્ર કહેલ તે તો નથી, પરંતુ ક્રિયા પણ નથી; કેમ કે પ્રતિજ્ઞાનો વિષય ક્રિયા હોય તો જીવન સુધીની પ્રતિજ્ઞા છે, અને ૧૪માં ગુણસ્થાનકે ક્રિયાનો અભાવ હોવાથી પ્રતિજ્ઞાભંગનો દોષ આવશે.
SR No.005703
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages400
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy